Gujarati News 21 January 2025 : જો ભારત શેખ હસીનાને પાછા નહીં મોકલે તો તે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન ગણાશે : બાંગ્લાદેશ સરકાર

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 January 2025: બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતથી પાછા લાવવાના તેમના પ્રયત્નો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પણ કરશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 January 2025: બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતથી પાછા લાવવાના તેમના પ્રયત્નો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પણ કરશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
sheikh hasina, bangladesh violence, bangladesh

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 January 2025, આજના તાજા સમાચાર: બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. છેલ્લા 6 મહિનાથી વચગાળાની સરકાર ભારત સરકાર પાસે તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. આ અંગે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના સલાહકારો સતત આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. તેમના કાયદાકીય સલાહકાર આસિફ નજરૂલે કહ્યું હતું કે જો ભારત શેખ હસીનાને પાછા નહીં મોકલે તો તે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન ગણાશે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતથી પાછા લાવવાના તેમના પ્રયત્નો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પણ કરશે.

Advertisment

સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ, ઘરે લગાવ્યા સીસીટીવી

સૈફ અલી ખાનને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે કેટલીક નિયમિત તપાસ કરાવી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સૈફ અલી ખાન પર હુમલા બાદ તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના ઘરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.

તુર્કીની હોટલમાં ભીષણ આગ, 66ના મોત, 51 ઇજાગ્રસ્ત

તુર્કીની એક હોટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં એક સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 51 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તુર્કીના ગૃહ મંત્રીએ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે એક લોકપ્રિય સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મહાકુંભમાં ગૌતમ અદાણીએ સંગમમાં પૂજા કરી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મહાકુંભમાં ભાગ લેવા મંગળવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરી હતી. અદાણી ગ્રુપ ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં ભક્તોની સતત સેવામાં વ્યસ્ત છે. મહાકુંભ મેળા વિસ્તારમાં દરરોજ એક લાખ ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક કરોડ ભક્તોને આરતી સંગ્રહનું વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.

Advertisment

નલિયામાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત

ગુજરાતના તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. સોમવારના દિવસે ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં રવિવારના તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં 10.5 ડિગ્રી પર યથાવત રહ્યું હતું. જ્યારે વેરાવળમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Jan 21, 2025 22:11 IST

    Today Live News : જો ભારત શેખ હસીનાને પાછા નહીં મોકલે તો તે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન ગણાશે : બાંગ્લાદેશ સરકાર

    બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. છેલ્લા 6 મહિનાથી વચગાળાની સરકાર ભારત સરકાર પાસે તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. આ અંગે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના સલાહકારો સતત આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. તેમના કાયદાકીય સલાહકાર આસિફ નજરૂલે કહ્યું હતું કે જો ભારત શેખ હસીનાને પાછા નહીં મોકલે તો તે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન ગણાશે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતથી પાછા લાવવાના તેમના પ્રયત્નો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પણ કરશે.



  • Jan 21, 2025 21:25 IST

    Today Live News : તુર્કીની હોટલમાં ભીષણ આગ, 66ના મોત, 51 ઇજાગ્રસ્ત

    તુર્કીની એક હોટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં એક સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 51 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તુર્કીના ગૃહ મંત્રીએ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે એક લોકપ્રિય સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે.



  • Jan 21, 2025 20:52 IST

    Today Live News : દિલ્હીમાં શિવસેના ભાજપના ઉમેદવારનું સમર્થન કરશે

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ દિલ્હી ભાજપના તમામ ઉમેદવારોને સમર્થનની જાહેરાત કરી.

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2025



  • Jan 21, 2025 16:45 IST

    Today Live News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર

    ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.



  • Jan 21, 2025 14:55 IST

    Today Live News : સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ, ઘરે લગાવ્યા સીસીટીવી

    સૈફ અલી ખાનને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે કેટલીક નિયમિત તપાસ કરાવી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સૈફ અલી ખાન પર હુમલા બાદ તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ આજે હોસ્પિટલમાંથી ઘરે પરત ફરવાના છે, તેથી તેમના ઘરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.



  • Jan 21, 2025 11:52 IST

    Today Live News : છત્તીસગઢ પોલીસની મોટી કાર્યવાહી, 14 નક્સલીઓનું એન્કાઉન્ટર

    છત્તીસગઢના ગરિયાબંદમાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, 14 ઠાર થયા છે. મોટી વાત એ છે કે એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, તેની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. ગરિયાબંદમાં છત્તીસગઢ પોલીસનું અન્ય ઘણા નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.



  • Jan 21, 2025 10:28 IST

    Today Live News : સેન્સેક્સ વધીને ખુલ્યા બાદ 76000 નીચે, ઝોમેટો 8 ટકા તૂટ્યો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 77073 સામે આજે 77261 ખુલ્યો હતો. જો કે બ્લુચીપ શેરમાં ઘટાડાથી શેરબજાર ઘટ્યું અને સેન્સેક્સ 77000 નીચે ઉતરી ગયું હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23344 સામે આજે 23421 ખુલ્યો હતો. ઝોમેટો શેરમાં મંદી ચાલુ રહેતા આજે શેર 7.5 ટકા તૂટ્યો હતો. અદાણી પોર્ટ્સ સવા ટકા, કોટક બેંક અને રિલાયન્સ પણ 1 ટકા આસપાસ ડાઉન હતા. બેંક શેરમાં વેચવાલીથી બેંક નિફ્ટી 170 પોઇન્ટ ડાઉન હતો.



  • Jan 21, 2025 08:29 IST

    Today Live News : યુપી એસટીએફનું શામલીમાં મુસ્તફા કગ્ગા ગેંગના 4 ગુનેગારો સાથે એન્કાઉન્ટર

    યુપી એસટીએફે મેરઠમાં મુસ્તફા કગ્ગા ગેંગના 4 ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ ગુનેગારોમાંથી એક પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં એક ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી. તેનું નામ સુનિલ હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે કરનાલની અમૃતધારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર બનતા તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

    મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર રાત્રે 2 વાગ્યાની આસપાસ થયું હતું. ઝીંઝાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં, STF એ અરશદ બડી માજરા, સહારનપુર અને તેના ત્રણ સાથીઓ મનજીત, સતીશ અને એક અન્યને ઘેરી લીધા. આ દરમિયાન, અરશદ અને તેના સાથીઓએ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો. આ જવાબી ગોળીબારમાં ચારેય ગુનેગારો મૃત્યુ પામ્યા. એસટીએફના એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે આમાંથી, અરશદ પર 1 લાખ રૂપિયાનું ઇનામ હતું.



  • Jan 21, 2025 07:51 IST

    Today Live News : નલિયામાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત

    ગુજરાતના તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. સોમવારના દિવસે ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં રવિવારના તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં 10.5 ડિગ્રી પર યથાવત રહ્યું હતું. જ્યારે વેરાવળમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



  • Jan 21, 2025 07:51 IST

    Today Live News : મહાકુંભમાં ગૌતમ અદાણી આજે સંગમમાં પૂજા કરશે

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મહાકુંભમાં ભાગ લેવા મંગળવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે તેમની મુલાકાત દરમિયાન તેઓ ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરશે. આ ઉપરાંત બડે હનુમાનજીના પણ દર્શન કરીશું. અદાણી ગ્રુપ ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં ભક્તોની સતત સેવામાં વ્યસ્ત છે. મહાકુંભ મેળા વિસ્તારમાં દરરોજ એક લાખ ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક કરોડ ભક્તોને આરતી સંગ્રહનું વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ