Gujarati News 23 January 2025 : અમદાવાદમાં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું હું મહાકુંભમાં જવાનો છું

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 January 2025: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા આધ્યાત્મિક મેળાનું અમિત શાહે કર્યું હતું. ત્યારબાદ તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે, આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે.

Written by Ankit Patel
Updated : January 23, 2025 23:37 IST
Gujarati News 23 January 2025 : અમદાવાદમાં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું હું મહાકુંભમાં જવાનો છું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (તસવીર: Gujarat BJP)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 January 2025, આજના તાજા સમાચાર: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા આધ્યાત્મિક મેળાનું અમિત શાહે કર્યું હતું. ત્યારબાદ તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે, આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી મહાકુંભ થયો છે. અનેક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. ગ્રહોની સ્થિતિ આવવાની સાથે જ કરોડો લોકો આવે અને તેઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. સરકારની કામગીરી રામસેતુ ખિસકોલી જેટલી હોય છે. સૌ ગુજરાતીઓને કહું છું કે, મહાકુંભ ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જવું જોઈએ.

અમેરિકાએ ગેરકાયદેસર NRIનો મુદ્દો ઉઠાવ્યો, એસ જયશંકરે જવાબ આપ્યો

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. એસ જયશંકરે માર્કો રુબિયો દ્વારા ઉઠાવવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોની ઓળખ કરે છે, તો ભારત હંમેશા તેમને પાછા લેવા માટે તૈયાર છે.

બેઠક બાદ પત્રકાર પરિષદ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે વિશ્વાસનું સ્તર ઘણું ઊંચું છે અને આ વિશ્વાસ વધુ વ્યવસ્થિત લાગણી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખૂબ જ સ્પષ્ટ કેમિસ્ટ્રી છે અને આ સિસ્ટમમાં પણ છે. તેથી, આ સંબંધને વધુ આગળ લઈ જવાની બેઠકમાં સ્પષ્ટ ઈચ્છા હતી.

નલિયામાં બે ડિગ્રી પારો ગગડ્યો

ગુજરાતમાં થોડી રાહત બાદ ઠંડીમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. બુધવારના દિવસે ગુજરાતમાં 9 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈને 9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડિસામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Live Updates

Today Live News : પંજાબ પોલીસે કેજરીવાલની સુરક્ષા માટે તૈનાત પોતાના જવાનોને પરત બોલાવ્યા

પંજાબ પોલીસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સુરક્ષા માટે તૈનાત પોતાના જવાનોને પરત બોલાવી લીધા છે. પંજાબ પોલીસ વડાએ ગુરુવારે આ માહિતી આપી હતી. ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસની સૂચના બાદ ગુરુવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે આ પગલાની પુષ્ટિ કરી હતી અને તેની પાછળ સંબંધિત અધિકારીઓની સૂચનાઓને ટાંકી હતી. ડીજીપી ગૌરવ યાદવે પટિયાલામાં કહ્યું કે સમયાંતરે અમને મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને ધમકીઓના અહેવાલો મળે છે અને અમે તેને સંબંધિત એજન્સીઓ સાથે શેર કરીએ છીએ. દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચના નિર્દેશોનું પાલન કરીને આજે અમે કેજરીવાલની સુરક્ષામાંથી પંજાબ પોલીસના જવાનોને હટાવી લીધા છે.

Today Live News : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું - ભારત ડિઝાઇન અને પ્રતિભાના આધારે દુનિયાના બજારનું નેતૃત્વ કરી રહ્યું છે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દાવોસમાં ભારતને ખૂબ જ સારી માન્યતા આપવામાં આવી છે. જે રીતે ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, જે પ્રકારનું ખુલ્લું અર્થતંત્ર ભારત ધરાવે છે, તેને ખૂબ જ સારી માન્યતા મળી રહી છે. આજે ભારત ડિઝાઇન અને પ્રતિભાના આધારે દુનિયાના બજારનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારતની 45% વીજ ઉત્પાદન ક્ષમતા રિન્યુએબલ ઉર્જામાંથી આવી રહી છે. 2030 માટે જે લક્ષ્ય રાખ્યો હતો તે હાલમાં જ પ્રાપ્ત કરી લીધો છે.

Today Live News : યોગી આદિત્યનાથે દિલ્હીની આપ સરકાર પર કર્યો પ્રહાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના પાપોની કિંમત મથુરા, વૃંદાવનના ભક્તો અને સંતોને ચૂકવવી પડી રહી છે, જ્યાં મા ગંગા ગંદા નાળામાં ફેરવાઈ જાય છે. જ્યારે પણ નમામી ગંગે પરિયોજના અંતર્ગત મા યમુનાના સ્વચ્છતાની વાત આવી ત્યારે અરવિંદ કેજરીવાલ અને કંપનીએ સહકાર આપ્યો નહીં. તે કામ કરવા માંગતા નથી, તેમનું એકમાત્ર કામ સવારે-સવારે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવાનું અને પ્રેસના માધ્યમથી ભ્રામક નિવેદનો આપવાનું છે.

Today Live News : ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષાની તારીખ બદલાશે

જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના એક્સ હેન્ડલ પર એક ટ્વીટ કરી 16 ફેબ્રુઆરી 2025માં રોજ લેવાનારી જીપીએસસી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.

Today Live News : અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા આધ્યાત્મિક મેળાનું અમિત શાહે કર્યું હતું. ત્યારબાદ તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે, આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી મહાકુંભ થયો છે. અનેક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. ગ્રહોની સ્થિતિ આવવાની સાથે જ કરોડો લોકો આવે અને તેઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. સરકારની કામગીરી રામસેતુ ખિસકોલી જેટલી હોય છે. સૌ ગુજરાતીઓને કહું છું કે, મહાકુંભ ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જવું જોઈએ.

Today Live News : અમેરિકામાં સ્કૂલમાં એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થિનીને ગોળી મારી

અમેરિકાના નેશવિલેમાં સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની છે. પોલીસે આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે એક વિદ્યાર્થીએ ટેનેસીના નેશવિલેમાં એક હાઈસ્કૂલમાં ગોળીબાર કર્યો હતો જેમાં એક વિદ્યાર્થી મૃત્યુ પામ્યો જ્યારે અન્ય એક સાથી ઘવાયો હતો. જોકે હુમલાખોરે પછીથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

Today Live News : કેન્દ્રિય મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને સુરતની મુલાકાતે આવશે. અમદાવાદના GMDC મેદાનમાં આયોજીત હિન્દુ આધ્યાત્મિક મેળા સહિત અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક જાહેરસભાનું પણ આયોજન કરાયું છે. અમદાવાદના અલગ-અલગ કાર્યક્રમોની વચ્ચે અમિત શાહ બપોરે સુરત પહોંચશે. અહીં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Today Live News : નલિયામાં બે ડિગ્રી પારો ગગડ્યો

ગુજરાતમાં થોડી રાહત બાદ ઠંડીમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. બુધવારના દિવસે ગુજરાતમાં 9 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈને 9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડિસામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Today Live News : અમેરિકાએ ગેરકાયદેસર NRIનો મુદ્દો ઉઠાવ્યો, એસ જયશંકરે જવાબ આપ્યો

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. એસ જયશંકરે માર્કો રુબિયો દ્વારા ઉઠાવવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોની ઓળખ કરે છે, તો ભારત હંમેશા તેમને પાછા લેવા માટે તૈયાર છે.

બેઠક બાદ પત્રકાર પરિષદ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે વિશ્વાસનું સ્તર ઘણું ઊંચું છે અને આ વિશ્વાસ વધુ વ્યવસ્થિત લાગણી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખૂબ જ સ્પષ્ટ કેમિસ્ટ્રી છે અને આ સિસ્ટમમાં પણ છે. તેથી, આ સંબંધને વધુ આગળ લઈ જવાની બેઠકમાં સ્પષ્ટ ઈચ્છા હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ