Gujarati News 23 September 2024 Highlights : ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો છે: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

India Gujarat Today Latest News in Gujarati Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 September 2024: ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ ગુનો છે.

India Gujarat Today Latest News in Gujarati Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 September 2024: ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ ગુનો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Supreme Court

સુપ્રીમ કોર્ટ (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 September 2024, આજના તાજા સમાચાર: ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ ગુનો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટીને આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાયદેસર રીતે આવી સામગ્રી રાખવી એ પણ ગુનો છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નથી.

Advertisment

સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કહ્યું કે અમે કેન્દ્રને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને બાળ યૌન શોષણ સામગ્રી સાથે બદલવા માટે વટહુકમ બહાર પાડવા માટે પણ વિનંતી કરી છે. આ સાથે હાઈકોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા પણ કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે NGO જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સની અરજી પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ NGOએ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

પીએમ મોદી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ વચ્ચે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝામાં માનવતાવાદી કટોકટી અને આ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પેલેસ્ટાઈનના લોકોને સતત માનવતાવાદી સહાય સહિત ભારતના અતૂટ સમર્થનની પુષ્ટી કરી હતી. વડા પ્રધાને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતની સમય-પરીક્ષણની સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર બે રાજ્યોનો ઉકેલ જ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે. ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનાર પ્રથમ દેશોમાંનો એક હોવાનું યાદ કરીને, તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદ માટે ભારતનું સતત સમર્થન વ્યક્ત કર્યું હતું. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.

સુલ્તાનપુર લૂટકાંડના વધુ એક આરોપી અનુજ પ્રતાપનું SIFએ કર્યું એન્કાઉન્ટર

Advertisment

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં થયેલી લૂંટમાં STFએ વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આ એન્કાઉન્ટર ઉન્નાવમાં થયું હતું. આરોપી અનુજ પ્રતાપ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એસટીએફના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં અનુજને ગોળી વાગી હતી. તેનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસ અનુજને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તમને જણાવી દઈએ કે એસટીએફ આ જ કેસના અન્ય એક આરોપી મંગેશ યાદવને એન્કાઉન્ટરમાં મારી ચૂકી છે.

મળતી માહિતી મુજબ, લખનઉ એસટીએફએ અનુજ પ્રતાપનું ઉન્નાવમાં એન્કાઉન્ટર કર્યું છે. તેની ઓળખ અમેઠીના મોહનગંજ જિલ્લાના ગામ જનાપુર પોલીસ સ્ટેશનના રહેવાસી ધરમરાજ સિંહના પુત્ર અનુજ પ્રતાપ સિંહ તરીકે થઈ હતી. અનુજનો એક સહયોગી ભાગી જવામાં સફળ રહ્યો છે. અનુજને પ્રાથમિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોએ ઘાયલ આરોપીને મૃત જાહેર કર્યો હતો. આ મામલે અચલગંજ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Sep 23, 2024 21:32 IST

    Today News Live : સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન

    સંયુક્ત રાષ્ટ્રમાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર એ ભારત માટેની પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા અણારી વન અર્થ, વન હેલ્થ' અને વન સન, વન વર્લ્ડ અને વન ગ્રીડ જેવી પહેલોમાં પણ દેખાય છે.



  • Sep 23, 2024 20:46 IST

    Today News Live : મહારાષ્ટ્રની બદલાપુર કાંડના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

    મહારાષ્ટ્રની બદલાપુરની શાળામાં માસૂમ બાળકીઓના શોષણના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અક્ષય શિંદેએ પોલીસનું હથિયાર છીનવી લીધું હતું અને વાહનમાં જ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આમાં પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસે જવાબી ફાયરિંગ કરતા અક્ષય શિંદેને ગોળી વાગી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું છે - થાણે પોલીસ



  • Sep 23, 2024 18:57 IST

    Today News Live : લેબનોનમાં ઇઝરાયેલનો હુમલો, 100 લોકોના મોત

    ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનું યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. લેબનોન તરફથી જાણકારી આપવામાં આવી કે ઇઝરાયેલના હવાઇ હુમલામાં તેમના ઓછામાં ઓછા 100 નાગરિકોના મોત થયા છે. આ પહેલા સમાચાર એજન્સી એપીને ઈઝરાયેલી સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહ પર દબાણ વધારતા લેબનાનમાં 300 સ્થળો પર હુમલો કર્યો છે.



  • Sep 23, 2024 17:27 IST

    Today News Live : હરિયાણામાં અમિત શાહે કહ્યું - અમે ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી બંનેને ખતમ કરવાનું કામ કર્યું

    યમુનાનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું એક સમય હતો જ્યારે હરિયાણામાં એક સરકાર આવતી હતી તો ભ્રષ્ટાચાર વધતો હતો અને જ્યારે બીજી સરકાર આવતી ત્યારે ગુંડાગીરી વધતી હતી. અમે ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી બંનેને ખતમ કરવાનું કામ કર્યું છે. અમે 10 વર્ષમાં ઘણી નોકરીઓ આપી છે. શું તમારે ક્યાંય ખર્ચી કે પર્ચી આપવી પડી. કોંગ્રેસની સરકારમાં નોકરીઓ વહેંચવાનું કામ કોંગ્રેસના દલાલો કરતા હતા, ભાજપની સરકારમાં પોસ્ટમેન ઘરે આવીને નિમણૂક પત્ર આપે છે.



  • Sep 23, 2024 16:14 IST

    Today News Live : અમે તમને તમારા રાજ્યનો દરજ્જો પાછું આપીશું કારણ કે તે તમારો અધિકાર છે - રાહુલ ગાંધી

    શ્રીનગર : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક જાહેર રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમને જલ્દીથી જલ્દી રાજ્યનો દરજ્જો પાછો મળે. અમે ભાજપ પર સૌપ્રથમ તમારા રાજ્યનો દરજ્જો પાછો આપવા માટે દબાણ કરીશું, જો તેઓ તમને તે નહીં આપે તો હું તમને ખાતરી આપું છું કે અમે તમને તમારા રાજ્યનો દરજ્જો પાછું આપીશું કારણ કે તે તમારો અધિકાર છે, તમારો લોકશાહી અધિકાર છે અને તમને તે આપવો પડશે.



  • Sep 23, 2024 14:17 IST

    Today News Live : ભગવંત માનની કેબિનેટમાં આજે મોટો ફેરફાર, આ 5 નવા મંત્રીઓ લેશે શપથ

    પંજાબના ભગવંત માન કેબિનેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સોમવારે રાજ નિવાસ ખાતે શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. ચાર મંત્રીઓએ સોમવારે જ મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપનાર મંત્રીઓમાં બલકૌર સિંહ, ચેતન સિંહ જોડામાજરા, બ્રહ્મશંકર જિમ્પા અને અનમોલ ગગનનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે કેબિનેટ વિસ્તરણને લઈને સમજૂતી થઈ હતી.

    સાંજે 5 વાગ્યે શપથ ગ્રહણ થશે

    કેબિનેટ વિસ્તરણને લઈને સોમવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પંજાબ રાજભવનમાં રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની હાજરીમાં નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કલકૌર સિંહનો એક વાંધાજનક વીડિયો વાયરલ થયો હતો. આ પછી સરકાર વિપક્ષના પ્રહારો હેઠળ આવી હતી. જ્યારે અનમોલ ગગન લઘુત્તમ ટેકાના ભાવને લઈને નિશાના પર હતા.



  • Sep 23, 2024 12:02 IST

    Today News Live : ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો છે: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

    ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ ગુનો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટીને આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાયદેસર રીતે આવી સામગ્રી રાખવી એ પણ ગુનો છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નથી.

    સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કહ્યું કે અમે કેન્દ્રને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને બાળ યૌન શોષણ સામગ્રી સાથે બદલવા માટે વટહુકમ બહાર પાડવા માટે પણ વિનંતી કરી છે. આ સાથે હાઈકોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા પણ કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે NGO જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સની અરજી પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ NGOએ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.



  • Sep 23, 2024 09:20 IST

    શેરબજાર તેજી સાથે ખુલ્યા, સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો

    શેરબજાર સોમવારે તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 84544 પાછલા બંધ સામે સોમવારે 100 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 84651 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી વધીને 25872 ખૂલ્યો હતો, જ્યારે અગાઉ 25790 લેવલ પર બંધ થયો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ 300 પોઇન્ટ વધ્યો અને 84843 સુધી ગયો હતો. બેંક નિફ્ટી અને આઈટી ઇન્ડેક્સ પણ વધ્યા છે. બુલિયન માર્કેટની વાત કરીયે તો સોનામાં તેજી છે.



  • Sep 23, 2024 09:01 IST

    Today News Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝામાં માનવતાવાદી કટોકટી અને આ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પેલેસ્ટાઈનના લોકોને સતત માનવતાવાદી સહાય સહિત ભારતના અતૂટ સમર્થનની પુષ્ટી કરી હતી. વડા પ્રધાને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતની સમય-પરીક્ષણની સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર બે રાજ્યોનો ઉકેલ જ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે. ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનાર પ્રથમ દેશોમાંનો એક હોવાનું યાદ કરીને, તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદ માટે ભારતનું સતત સમર્થન વ્યક્ત કર્યું હતું. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.



  • Sep 23, 2024 08:59 IST

    Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામા વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વલસાડમાં અને ઉમેરગામમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.



  • Sep 23, 2024 08:55 IST

    Today News Live : આજનો દિવસ તમારો કેવો રહેશે

    આજે 23 સપ્ટેમ્બર 2024, સપ્તાહનો પહેલો દિવસ એટલે કે સોમવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.



  • Sep 23, 2024 08:51 IST

    Today News Live : સુલ્તાનપુર લૂટકાંડના વધુ એક આરોપી અનુજ પ્રતાપનું SIFએ કર્યું એન્કાઉન્ટર

    ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં થયેલી લૂંટમાં STFએ વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આ એન્કાઉન્ટર ઉન્નાવમાં થયું હતું. આરોપી અનુજ પ્રતાપ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એસટીએફના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં અનુજને ગોળી વાગી હતી. તેનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસ અનુજને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તમને જણાવી દઈએ કે એસટીએફ આ જ કેસના અન્ય એક આરોપી મંગેશ યાદવને એન્કાઉન્ટરમાં મારી ચૂકી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ