/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/PM-Modi-Attack-On-Congress.jpg)
પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર (ફોટો - નરેન્દ્ર મોદી ટ્વીટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજના દિવસના મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર બીજો સૌથી મોટો હુમલો કર્યો છે. સામ પિત્રોડાના લેગસી ટેક્સ અંગેના નિવેદન પર પીએમે એક જનસભામાં કહ્યું છે કે, કોંગ્રેસ હવે વારસામાં મળેલી સંપત્તિ પર ટેક્સ લગાવવાનું કામ કરવા જઈ રહી છે.
તારાપુર વટામણ હાઈવે પર એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં રોડ ક્રોસ કરી રહેલા બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર પિતા પુત્ર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતુ, જ્યારે 9 વર્ષિય પુત્ર રોડ પર ઢસડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ અનુસાર, મૃતક અમિતભાઈ જાદવ તારાપુરના વલ્લીગામના રહેવાસી હતા, પુતરનું નામ દર્શન છે, જે સારવાર હેઠળ છે.
આ બાજુ ગુજરાતનું રાજકારણ સુરત બેઠક બાદ વધારે ગરમાયું છે. એક તરફ રૂપાલાનો ક્ષત્રિયો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સુરત લોકસભા બેઠક મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. હવે રાજરમતના આક્ષેપો સાથે વિપક્ષ પણ મેદાનમાં ઉતર્યું છે. આજે ગુજરાતમાં ગરમી વધશે. આઈપીએલ 2024ની આજની 40મી મેચમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે ટક્કર થશે. દેશ દુનિયા સહિત ગુજરાતના તમામ સમાચાર વિશે જાણવા માટે વાંચતા રહો આજના તાજા સમાચાર.
- Apr 24, 2024 22:09 IST
કોંગ્રેસ દ્વારા તેલંગાણા માટે ઉમેદવાર જાહેર
કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે તેલંગાણાના 3 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
कांग्रेस ने आगामी लोकसभा चुनाव के लिए तेलंगाना से उम्मीदवारों की सूची जारी की pic.twitter.com/pzyAsdKfAE
— ANI_HindiNews (@AHindinews) April 24, 2024
- Apr 24, 2024 20:36 IST
બસપા એ લોકસભા ચૂંટણી માટે નવા ઉમેદવાર જાહેર કર્યા
બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની બેઠક પર ઉમેદવારની યાદી જાહેર કરી છે.
उत्तर प्रदेश: बहुजन समाज पार्टी (बसपा) ने आगामी लोकसभा चुनाव के लिए अपने उम्मीदवारों की सूची जारी की। pic.twitter.com/XdObAuHRzr
— ANI_HindiNews (@AHindinews) April 24, 2024
- Apr 24, 2024 19:53 IST
પીએમ મોદીનો ભોપાલમાં રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ભોપાલ ગયા છે. આ દરમિયાન પીએમ મોદીએ ભોપાલમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં પીએમ મોદીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ જોડાયા હતા.
#WATCH मध्य प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने भोपाल में रोड शो किया। उनके साथ मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव भी मौजूद हैं। pic.twitter.com/logkXI3PCZ
— ANI_HindiNews (@AHindinews) April 24, 2024
- Apr 24, 2024 19:21 IST
અખિલેશ યાદવ લોકસભા ચૂંટણી લડશે
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ લોકસભા ચૂંટણી લડશે. ગુરુવારે (25 એપ્રિલ) કન્નૌજ લોકસભાથી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે.
समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव कल कन्नौज लोकसभा से पार्टी प्रत्याशी के रूप में नामांकन पत्र दाखिल करेंगे।#LokSabhaElections2024pic.twitter.com/zq1vXLYYBJ
— ANI_HindiNews (@AHindinews) April 24, 2024
- Apr 24, 2024 17:47 IST
નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં જાહેર સભા દરમિયાન બેભાન થઈ ગયા
Lok Sabha Elections 2024 : કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીની મહારાષ્ટ્રના યવતમાલમાં એક રેલી દરમિયાન અચાનક તબિયત ખરાબ થઇ હતી. નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં જાહેર સભામાં મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન બેહોશ થઈ ગયા હતા.
- Apr 24, 2024 16:54 IST
કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો, દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રી રાજ કુમાર ચૌહાણનું રાજીનામું
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રી રાજ કુમાર ચૌહાણે બુધવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ પર જાહેરમાં તેમનું અપમાન કરવાનો આરોપ લગાવીને આ નિર્ણય લીધો હતો. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રાજકુમાર ચૌહાણે આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ કોઇ અન્ય પાર્ટીમાં જોડાવા પર વિચાર કરી રહ્યા નથી. તેમણે માંગ કરી છે કે તે બહારના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે જે પાર્ટી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે દિલ્હી પહોંચ્યા છે.
રાજ કુમાર ચૌહાણને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના જૂના સહયોગી માનવામાં આવે છે અને તેમને દિલ્હીમાં પાર્ટીના મોટા દલિત નેતા પણ કહેવામાં આવે છે.
- Apr 24, 2024 14:47 IST
પીએમ મોદીનો મોટો પ્રહાર, 'માતા-પિતા પાસેથી મળેલી સંપત્તિ પર કોંગ્રેસ લગાવશે ટેક્સ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર બીજો સૌથી મોટો હુમલો કર્યો છે. સામ પિત્રોડાના લેગસી ટેક્સ અંગેના નિવેદન પર પીએમે એક જનસભામાં કહ્યું છે કે, કોંગ્રેસ હવે વારસામાં મળેલી સંપત્તિ પર ટેક્સ લગાવવાનું કામ કરવા જઈ રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, તેણે પોતે જ એક પરિવારથી બીજા પરિવારમાં સત્તા ટ્રાન્સફર કરી છે, પરંતુ દેશની જનતાને આમ કરતા રોકવામાં આવી રહી છે.
પીએમ મોદીએ છત્તીસગઢના સરગુજામાં કહ્યું હતું કે, શાહી પરિવારના રાજકુમારના સલાહકારે થોડા સમય પહેલા કહ્યું હતું કે, મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ લાગવો જોઈએ. હવે આ લોકો એક ડગલું આગળ વધી ગયા છે. હવે કોંગ્રેસનું કહેવું છે કે, તે વારસા વેરો લાદશે, એટલે કે, વારસામાં મળેલી સંપત્તિ પર પણ વેરો લગાવશે.
પીએમ મોદી સરગુજા ભાષણ
भाजपा और एनडीए के प्रति इस अभूतपूर्व उत्साह का आधार बीते 10 वर्षों का हमारा ट्रैक रिकार्ड है। सरगुजा की जनता-जनार्दन को जय जोहार!https://t.co/CEnv1ScyoT
— Narendra Modi (@narendramodi) April 24, 2024
- Apr 24, 2024 12:01 IST
તારાપુર વટામણ હાઈવે પર કાર ચાલકે બાઈક સવારને ફંગોળ્યા: પિતાનું મોત, પુત્રની હાલત ગંભીર
તારાપુર વટામણ હાઈવે પર એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં રોડ ક્રોસ કરી રહેલા બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર પિતા પુત્ર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતુ, જ્યારે 9 વર્ષિય પુત્ર રોડ પર ઢસડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ અનુસાર, મૃતક અમિતભાઈ જાદવ તારાપુરના વલ્લીગામના રહેવાસી હતા, પુતરનું નામ દર્શન છે, જે સારવાર હેઠળ છે.
- Apr 24, 2024 10:26 IST
'અમેરિકામાં સરકાર અડધી મિલકત લઈ લે છે...', સામ પિત્રોડાનું નિવેદન
હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. અમેરિકાનો ઉલ્લેખ કરે છે પિત્રોડાએ એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સામ પિત્રોડાએ કહ્યું છે કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી 45 ટકા તેના બાળકો અને 55 ટકા સરકારને જાય છે. આ એક ખૂબ જ રસપ્રદ કાયદો છે. કાયદો તમને કહે છે
- Apr 24, 2024 09:39 IST
સપા ચીફ કન્નૌજથી તેજ પ્રતાપની ટિકિટ કાપીને પોતે લડશે ચૂંટણી
ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટ સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. સપાએ આ સીટ પરથી તેજ પ્રતાપને મેદાનમાં ઉતાર્યા છે. જો કે, કન્નૌજની સપા એકમ હજુ પણ ઇચ્છે છે કે અખિલેશ યાદવ પોતે અહીંથી ચૂંટણી લડે. આ અંગે અંતિમ અને સત્તાવાર નિર્ણય સમાજવાદી પાર્ટી જ લેશે.
- Apr 24, 2024 08:12 IST
આજનો બુધવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
આજે 24 એપ્રિલ 2024, બુધવારનો દિવસ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું તમારું રાશિ ભવિષ્ય.
- Apr 24, 2024 08:10 IST
આજે સાંજે શાંત થઈ જશે લોકસભા ચૂંટણી બીજા તબક્કાના પ્રચાર પડઘમ
આજે 24 એપ્રિલ 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ થઈ જશે. બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો ઉપર મતદાન 26 એપ્રિલ 2024ના રોજ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us