Manmohan Singh Death : મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે નિગમબોધ ઘાટ પર થશે, રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 December 2024: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 December 2024: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Manmohan Singh Death tribute

ડો. મનમહોનસિંહને દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલી - photo - Jansatta

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 December 2024, આજના તાજા સમાચાર: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11.45 કલાકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ ભારતના સૌથી આદરણીય નેતાઓમાંના એક હતા અને દેશની આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી હતી. વડા પ્રધાન મોદીએ પોસ્ટ કર્યું હતું એક સામાન્ય પરિવારમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ વ્યવહારુ હતો.

  • Dec 27, 2024 23:06 IST

    Manmohan Singh Death LIVE: પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

    — ANI_HindiNews (@AHindinews) December 27, 2024



  • Dec 27, 2024 21:05 IST

    Manmohan Singh Death LIVE: મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે નિગમબોધ ઘાટ પર થશે

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11.45 કલાકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે.



  • Advertisment
  • Dec 27, 2024 17:59 IST

    Manmohan Singh Death LIVE: ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે CWCની બેઠક

    પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે AICC હેડક્વાર્ટરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક બોલાવવામાં આવી છે.

    — ANI_HindiNews (@AHindinews) December 27, 2024



  • Dec 27, 2024 16:53 IST

    Manmohan Singh Death LIVE: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું - મનમોહન સિંહ જી નું નિધન દેશ માટે એક મોટી ખોટ

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જી નું નિધન દેશ માટે એક મોટી ખોટ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કરી દીધું હતું.તેમનું યોગદાન દેશની પ્રગતિ અને વિકાસ માટે શાશ્વત રહેશે. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભગવાન તેમના પરિવારને આ સંકટના સમયે શક્તિ આપે.



  • Dec 27, 2024 16:03 IST

    Manmohan Singh Death LIVE: તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

    — ANI_HindiNews (@AHindinews) December 27, 2024



  • Dec 27, 2024 13:18 IST

    Manmohan Singh Death LIVE: ફારુક અબ્દુલ્લાએ આપી શ્રદ્ધાંજલિ

    જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેસના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર કહ્યું કે એક યોગ્ય અર્થશાસ્ત્રી હતા અને તેમણે જે સૌથી મોટું કામ કર્યું છે એ છે ભારતને એક રાખવાનું. તેમણે અર્થવ્યવસ્થાને સુધાર, આજે આપણે ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત કરીએ છીએ જે મનમોહન સિંહના કારણે શક્ય બન્યું છે. પોતાના પરિવાર અને લોકો તરફથી હું તમે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.



  • Dec 27, 2024 11:47 IST

    Manmohan Singh Death LIVE: બરાક ઓબામાએ મનમોહન સિંહને નમ્ર અને મૃદુભાષી ગણાવ્યા

    બરાક ઓબામાએ પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહ વિશે કહ્યું કે તેઓ એક નમ્ર, મૃદુભાષી અર્થશાસ્ત્રી હતા. ઓબામાએ ભારતના અર્થતંત્રને આધુનિક બનાવવાનો શ્રેય મનમોહન સિંહને આપ્યો હતો. ઓબામાએ જણાવ્યું હતું કે તેમની "સફેદ દાઢી અને પાઘડી તેમના શીખ ધર્મની ઓળખ હતી, પરંતુ પશ્ચિમી લોકો માટે તેઓ એક પવિત્ર માણસ હતા."



  • Dec 27, 2024 11:20 IST

    Manmohan Singh Death LIVE: અર્થવ્યવસ્થા મામલે તેમણે નવી દિશા દેખાડી : PM નરેન્દ્ર મોદી

    પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનથી અમને ઉંડુ દુઃખ છે. તેમનું જવું આખા દેશ માટે એક મોટો ઝાટકો છે. તેમનું જીવન આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ છે. કે કેવી રીતે આપણે સંઘર્ષથી ઉપર ઉઠી શકીએ છીએ. અને ઉંચાઈઓ સુધી પહોંચી શકીએ છીએ. તેમણે હંમેશા એક ઈમાનદાર વ્યક્તિ, એક મહાન અર્થશાસ્ત્રી અને સુધારા માટે ખુદને સમર્પિત કરનાર નેતાઓના રૂપમાં યાદ કરવામાં આવ્યા છે. એક અર્થશાસ્ત્રીના રૂપમાં તેમણે દેશને અનેક સેવાઓ પ્રદાન કરી છે. એક પડકારપૂર્ણ સમય દરમિયાન તેમણે આરબીઆઈ ગવર્નરના રૂપમાં કાર્ય કર્યું છે. જ્યારે પૂર્વ પીએમ ભારત રત્ન પીવી નરસિંમ્હા રાવની કેબિનેટમાં નાણામંત્રી હતા તેમણે આર્થિક સંટકથી ઝઝુમી રહેલા દેશને અર્થવ્યવસ્થાના મામલે એક નવી દિશા દેખાડી હતી.



  • Dec 27, 2024 11:12 IST

    IND vs AUS 4th Test Live Day two : બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનું ત્રીજા સત્રની રમત શરુ

    બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ત્રીજા સત્રની રમત શરુ થઈ છે. ભારતે 18 ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે 59 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિાય 415 રન સાથે આગળ છે. વિરાટ કોહલી 2 અને યશસ્વી જયશ્વાલ 29 રન બનાવી ક્રિઝ પર છે.



  • Dec 27, 2024 10:04 IST

    Manmohan Singh Death LIVE: એમકે સ્ટાલિન આજે દિલ્હી જશે

    તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ આપવા આજે દિલ્હી જશે.



  • Dec 27, 2024 10:03 IST

    Manmohan Singh Death LIVE: દેશના વિદેશ સચિવે વ્યક્ત કર્યું દુઃખ

    ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ લખ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના નિધન પર ખુબ જ દુઃખ થયું છે. તેમની બુદ્ધિમત્તા, દબાણમાં ધિરજ અને હંમેશા ગર્મજોશીથી કામ કરનારું વ્યક્તિક્વએ એ દરેક લોકોને પ્રભાવિત કર્યા છે જેમને તેમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના, ઓમ શાંતિ



  • Dec 27, 2024 08:35 IST

    Manmohan Singh Death LIVE: રાષ્ટ્રપતિ ભવનમાં અડધી કાઠીએ ધ્વજ

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજને અડધો ઝુકાવવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાનનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. ભારત સરકારે કાલ માટેના નિર્ધારિત બધા કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. અને સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પુરા રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે.



  • Dec 27, 2024 07:21 IST

    Manmohan Singh Death LIVE: માયાવતીએ શોક વ્યક્ત કર્યો

    બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ એક્સ પર કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનના સમાચાર ખુબ જ દુઃખદ છે. ભારતની આર્થિક પ્રગતિમાં તેમના ઉલ્લેખનીય યોગદાન અને તેમની સદાચારી સ્વભાવને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રતિ મારી ઊંડી સંવેદનાઓ છે.



  • Dec 27, 2024 07:19 IST

    Manmohan Singh Death LIVE: કેરળમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર કેરળમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.



  • Dec 27, 2024 07:18 IST

    Manmohan Singh Death LIVE: કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા

    ભારતીય ટીમના ખેલાડીઓ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર તેમને ટ્રીબ્યુટ આપવા માટે પોતાના હાથે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા.

    — डीडी न्यूज़ (@DDNewsHindi) December 27, 2024



  • Dec 27, 2024 06:45 IST

    Manmohan Singh Death LIVE: Manmohan Singh Death LIVE: રાહુલ ગાંધી અને ખડગે મનમોહન સિંહના ઘરે પહોંચ્યા

    રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે.

    — ANI (@ANI) December 26, 2024



  • Dec 27, 2024 06:42 IST

    Manmohan Singh Death LIVE: રાહુલ ગાંધી પહોંચ્યા દિલ્હી

    પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કર્ણાટકથી દિલ્હી પહોંચ્યા છે.



  • Dec 27, 2024 06:42 IST

    Manmohan Singh Death LIVE: ઈતિહાસ તમારું મૂલ્યાંકન દયાથી કરશે- ખડગે

    મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- બેશક, ઈતિહાસ તમારું મૂલ્યાંકન દયાથી કરશે, ડૉ. મનમોહન સિંહજી! ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધનથી ભારતે એક સ્વપ્નદ્રષ્ટા રાજકારણી, દોષરહિત અખંડિતતાના નેતા અને અપ્રતિમ કદના અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે. તેમણે કહ્યું, "આર્થિક ઉદારીકરણની તેમની નીતિ અને અધિકારો આધારિત નીતિએ લાખો ભારતીય નાગરિકોના જીવનમાં ગહન પરિવર્તન કર્યું, વર્ચ્યુઅલ રીતે ભારતમાં મધ્યમ વર્ગ બનાવ્યો અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા."



  • Dec 27, 2024 06:41 IST

    Manmohan Singh Death LIVE: મનમોહન સિંહના સાવકા ભાઈ અમૃતસરથી દિલ્હી પહોંચ્યા

    પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સાવકા ભાઈ સુરજીત સિંહ કોહલીએ કહ્યું કે તેમના ભાઈના નિધનના સમાચાર મળતા તેઓ દિલ્હી પહોંચ્યા છે. કોહલીએ કહ્યું કે તે દિલ્હી જઈ રહ્યો છે. પૂર્વ વડાપ્રધાનના મૃત્યુની થોડી મિનિટો પહેલા કોહલીએ કહ્યું હતું કે, "તેમની હાલત નાજુક છે."



  • Dec 27, 2024 06:41 IST

    Manmohan Singh Death LIVE: મનમોહન સિંહે ભારતના આર્થિક પરિવર્તનને આગળ વધાર્યું - સ્ટાલિન

    તમિલનાડુના ભૂતપૂર્વ પીએમ સ્ટાલિને કહ્યું- “ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના અવસાનથી ખૂબ જ દુઃખ થયું, એક એવા રાજનેતા, જેમની શાણપણ અને નેતૃત્વએ ભારતના આર્થિક પરિવર્તનનું નેતૃત્વ કર્યું. "તેમના કાર્યકાળમાં સ્થિર વૃદ્ધિ, સામાજિક પ્રગતિ અને સુધારાઓનો યુગ આવ્યો જેણે લાખો લોકોના જીવનમાં સુધારો કર્યો."



  • Dec 27, 2024 06:40 IST

    Manmohan Singh Death LIVE: અખિલેશ યાદવે શોક વ્યક્ત કર્યો

    મનમોહન સિંઘનું નિધન થયું લાઈવ અપડેટ્સ: અખિલેશ યાદવે કહ્યું, “મહાન અર્થશાસ્ત્રી અને સત્યવાદી અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું અવસાન એ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.”



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ