/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/dr-manmohan-singh-doog-bye.jpg)
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ વિદાય.. photo - jansatta
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 December 2024, આજના તાજા સમાચાર: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયો છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાનના પુત્રીએ તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમન સિંહ, પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન કડગે, લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહ્યા હતા.
મનમોહન સિંહને ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીથી લઈને ભુતાનના રાજા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું.
- Dec 28, 2024 13:17 IST
Manmohan Singh Death funeral LIVE: મનમોહન સિંહને નમ આંખોથી આપી અંતિમ વિદાય
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન કડગે, લોકસબાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીએ નિગમ બોધ ઘાટ પર, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.
- Dec 28, 2024 13:15 IST
Manmohan Singh Death funeral LIVE: મનમોહન સિંહની પુત્રીએ આપી મુખાગ્નિ
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને દિલ્હીના નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના પુત્રીએ તેમને મુખાગ્નિ આપી હતી.
- Dec 28, 2024 13:04 IST
Manmohan Singh Death funeral LIVE: ડો. મનમોહનસિંહના પાર્થિવ દેહનાં અંતિમસંસ્કાર કરાયા
દિલ્હીના નિગમ બોધ ઘાટ પર પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલિન થયો છે. નિગમ બોધ ઘાટ પર રાષ્ટ્રિય દ્વૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી, કોંગ્રેસ નેતાઓ હાજર છે અને આખા દેશે ભીની આંખે મહાન અર્થશાસ્ત્રીને અંતિમ વિદાય આપી...
- Dec 28, 2024 12:51 IST
Manmohan Singh Death funeral LIVE: પૂર્વ પીએમને અપાઈ સલામી
દિલ્હીના નિગમ બોધ ઘાટ પર પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને અંતિમ સલામી અપાઈ છે. નિગમ બોધ ઘાટ પર રાષ્ટ્રિય દ્વૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી, કોંગ્રેસ નેતાઓ અને અન્ય લોકો હાજર છે.
- Dec 28, 2024 12:15 IST
IND vs AUS 4th Test Live : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહંચ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નિગમ બોધ ઘાટ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા છે.
- Dec 28, 2024 12:14 IST
IND vs AUS 4th Test Live : ભૂતાનના રાજા અંતિમ સંસ્કારમા સામેલ થવા ભારત પહોંચ્યા
ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને મોરીશસના વિદેશ મંત્રી મનીષ ગોબિન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારત પહોંચ્યા છે.
- Dec 28, 2024 11:13 IST
Manmohan Singh Death funeral LIVE: પૂર્વ પીએમએ રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપ્યું : કોંગ્રેસ સાંસદ
પૂર્વ વડાપ્રધાનના નિધન પર કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોરે કહ્યું કે આ આધુનિક ભારત માટે એક વાસ્તવિક ક્ષતિ છે. તેઓ આધુનિક ભારત 2.0ના નિર્માતા હતા. જેને જવાહરલાલ નેહરુ સ્થાપિત કરવા માંગતા હતા. તેમણે 21મી સદીમાં એ કામને આગળ વધાર્યું અને ભારતને એ મુકામે પહોંચાડ્યું છે જ્યાં આપણે અત્યારે છીએ. તેઓ એક એવા વ્યક્તિ છે જેમણે રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપ્યું છે.
- Dec 28, 2024 10:34 IST
Manmohan Singh Death funeral LIVE: પૂર્વ વડાપ્રધાનની અંતિમ યાત્રા શરુ
પૂર્વ વડાપ્રધાન ડો મનમોહન સિંહનો પાર્થિવ દેહ નિગમ બોધ ઘાટ લઈ જવાય રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરુ થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાને 26 ડિસેમ્બર દિલ્હીની એઈમ્સમાં દુનિયાને અલવિદા કહ્યું હતું.
- Dec 28, 2024 10:28 IST
Manmohan Singh Death funeral LIVE: કોંગ્રેસના નેતાઓએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે પૂર્વ પીએમને સન્માન આપ્યું
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સાંસદો રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા અને અન્ય સભ્યો સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમનું સન્માન આપવા માટે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં એકઠા થયા હતા.
- Dec 28, 2024 09:57 IST
Manmohan Singh Death funeral LIVE: કોંગ્રેસ સ્મારક અંગે શું કહ્યું?
કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહે કહ્યું કે આ કોઈ મુદ્દો નથી. પીએમ મોદીની સરકારે આ અંગે વિચારવું જોઈતું હતું. આખો દેશ ઈચ્છે છે કે તેમના અંતિમ સંસ્કારની જગ્યાએ જ તેમનું સ્મારક બનવું જોઈએ. આ માંગ માત્ર કોંગ્રેસ, પંજાબ અને સિખ સમુદાયનું જ નહીં પરંતુ દરેક ભારતીયોની વૈશ્વિક માંગ છે. આ અંગે વિચારવાની જરૂર નથી. સરકારે આ અંગે પહેલાથી જ વિચાવવું જોઈએ.
- Dec 28, 2024 09:52 IST
Manmohan Singh Death funeral LIVE: ગૃહમંત્રાલયે જાહેર કર્યું નિવેદન
ગૃહમંત્રાલયે ફરી એકવાર નિવેદન જાહેર કર્યું છે કે આજ સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ડો.મનમોહન સિંહના સ્મારક માટે સ્થાન આપવા માટે અનુરોધ પ્રાપ્ત થયો છે. કેબિનેટની બેઠકના તરત બાદ ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગીય ડો. મનમોહન સિંહના પરિવારને જાણ કરી હતી કે સરકાર સ્મારક માટે સ્થાન આપશે. આ વચ્ચે દાહ સંસ્કાર અને અન્ય ઔપચારિકતા પૂરી કરી શકાય છે. કારણ કે ટ્રસ્ટનું ગઠન કરવામાં આવશે અને આ માટે સ્થાન આપવાનું છે.
- Dec 28, 2024 09:10 IST
Manmohan Singh Death funeral LIVE: ડો. મનમોહન સિંહનો પાર્થિવ દેહ કોંગ્રેસ મુખ્યાલય લવાયો
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો પાર્થિવ દેહ એઆઈસીસી મુખ્યાલય લવાયો છે. જ્યાં કાર્યકર્તાઓને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.
- Dec 28, 2024 06:56 IST
Manmohan Singh Death funeral LIVE: સરકાર સ્માર બનાવવા માટે તૈયાર
મનમોહન સિંહનું સ્મારક બનાવવા માટે મોદી સરકાર તૈયાર થઈ ગઈ છે. સરકારે કહ્યું તે તેમને બે ત્રણ દિવસનો સમય જોઈએ છે જેથી જગ્યા શોધી શકે. પરંતુ કોંગ્રેસ ઈચ્છે છે કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર થાય ત્યાં જ સ્મારક બનવું જોઈએ.
- Dec 28, 2024 06:54 IST
Manmohan Singh Death funeral LIVE: આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે થશે પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us