Gujarati News 29 January 2025 LIVE: મહાકુંભમાં નાસભાગ થતા 30 લોકોના મોત, મૃતકોના પરિવારને 25-25 લાખની સહાય

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 January 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થતા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, મહાકુંભ મેળામાં મંગળવારની રાત્રે 2 વાગે નાસભાગ થઇ જેમા 30 લોકોના મોત થયા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 1920 જારી કર્યો છે.

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 January 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થતા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, મહાકુંભ મેળામાં મંગળવારની રાત્રે 2 વાગે નાસભાગ થઇ જેમા 30 લોકોના મોત થયા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 1920 જારી કર્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Maha Kumbh Stampede updates

મહાકુંભ દુર્ઘટના -Express photo by Chitral Khambhati

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 January 2025 LIVE, આજના તાજા સમાચાર: મહાકુંભ મેળામાં મૌની અમાસના દિવસે નાસભાગ થતા 30 લોકોના મોત થયા છે. આ ઘટના પર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ઘટના અત્યં દુઃખદ છે, મૃતકોને મારી શ્રદ્ધાંજલી છે. જેણે પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે મને સહાનુભૂતિ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે અમે ઉંડે સુધી જઇશું. ઉપરાંત પોલીસ સ્તરે અમે અલગથી તપાસ કરાવીશું, આ ઘટના ક્યા કારણસર ઘટી છે. મૃતકોના પરિવારજનોને 25 - 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. કાયદા પંચ આ સમગ્ર ઘટનાની તપાસ કરી એક ચોક્કસ સમય મર્યાદામાં રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોંપશે.

Advertisment

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થતા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા છે. મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, મહાકુંભ મેળામાં મંગલવારની રાત્રે 2 વાગે નાસભાગ થઇ જેમા 30 લોકોના મોત થયા છે. તેમાંથી 25 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે. આ ઘટના બાદ 90 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 1920 જારી કર્યું છે.

સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે. કમિશને જણાવ્યું કે આ દુર્ઘટના પશ્ચિમ સાઉદી અરબમાં જિઝાનની પાસે થઈ છે. કમિશને જણાવ્યું કે, તેઓ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે.

મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી અને આ ઘટનાની જાણકારી લીધી. મેળાની સ્પેશિયલ ડ્યુટી ઓફિસર આકાંક્ષા રાણાએ જણાવ્યું હતું કે સંગમ પર અવરોધ તૂટી જતાં આ ઘટના બની હતી.

Advertisment

નાસભાગ અંગે મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું- મહાકુંભ સેનાને કેમ ન સોંપવામાં આવ્યો?

પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી ઘટનાને લઈને રડ્યા. તેમણે કહ્યું કે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવામાં આવે પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. તેમણે કહ્યું કે જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત.

  • Jan 29, 2025 20:50 IST

    મહાકુંભ મેળામાં નાસભાગના મૃતકોને 25 -25 લાખની સહાય મળશે: CM યોગી

    મહાકુંભ મેળામાં મૌની અમાસના દિવસે નાસભાગ થતા 30 લોકોના મોત થયા છે. આ ઘટના પર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ઘટના અત્યં દુઃખદ છે, મૃતકોને મારી શ્રદ્ધાંજલી છે. જેણે પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે મને સહાનુભૂતિ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે અમે ઉંડે સુધી જઇશું. ઉપરાંત પોલીસ સ્તરે અમે અલગથી તપાસ કરાવીશું, આ ઘટના ક્યા કારણસર ઘટી છે. મૃતકોના પરિવારજનોને 25 - 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. કાયદા પંચ આ સમગ્ર ઘટનાની તપાસ કરી એક ચોક્કસ સમય મર્યાદામાં રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોંપશે.

    https://twitter.com/AHindinews/status/1884610117192315314



  • Jan 29, 2025 19:16 IST

    મહાકુંભ મેળામાં નાસભાગથી 30 મોત, 60 લોકો ઘાયલ, ઇમરજન્સી નંબર જારી કરાયા

    પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાસ પર નાસભાગ થતા 30 લોકોના મોત અને 60 લોકો ઘાયલ થયા છે. મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મહાકુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું કે, મહાકુંભ મેળામાં મંગલવારની રાત્રે 2 વાગે નાસભાગ થઇ જેમા 30 લોકોના મોત થયા છે. તેમાંથી 25 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે. આ ઘટના બાદ 90 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહા કુંભ મેળા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 1920 જારી કર્યું છે.

    https://twitter.com/AHindinews/status/1884596746522972345



  • Jan 29, 2025 17:29 IST

    દિલ્હીમાં બીટિંગ રિટ્રીટ સાથે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ સમાપ્ત

    દિલ્હીમાં વિજય ચોક પર બીટિંગ રિટ્રીટ ચાલી રહ્યું છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ બીટિંગ રિટ્રીટ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. બીટિંગ રિટ્રીટ પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમના સમાપનનું પ્રતિક છે.

    — ANI_HindiNews (@AHindinews) January 29, 2025



  • Jan 29, 2025 13:28 IST

    Today Live News : ઓછી સંખ્યામાં સ્નાન કરવા જઈ રહ્યા છે સંતો

    મૌની અમાસ પર અમૃત સ્નાન કરવા માટે પંચાયતી નિરંજની અખાડાના દિગંબર નાગા બાબા ચિદાનંદ પુરીએ કહ્યું કે આજે એક અપ્રત્યાશિત ઘટનાના કારણે અમારી શોભા યાત્રા ન નીકળી શકી. અમે ઓછી સંખ્યામાં પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છીએ.



  • Jan 29, 2025 11:09 IST

    Today Live News : મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જાગવા અને વ્યવસ્થા કરવા કહ્યું

    કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર પ્રદેશ સરકારને તાત્કાલિક રાહતના પગલાં પૂરા પાડવા વિનંતી કરી. X પરની એક પોસ્ટમાં ખડગેએ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકાર અને કેન્દ્ર સરકારની ટીકા કરી અને તેમના પર ગેરવહીવટનો આક્ષેપ કર્યો અને ઘટનાની નિંદા કરી. ખડગેએ X પર લખ્યું, “મહા કુંભ દરમિયાન, તીર્થરાજ સંગમના કિનારે નાસભાગના સમાચાર, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો અને ઘણા લોકો ઘાયલ થયા, તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે.



  • Jan 29, 2025 09:18 IST

    Today Live News : યોગ ગુરુ રામદેવે લોકો માટે કરી પ્રાર્થના

    યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે આજે મેં ઘાયલો માટે પ્રાર્થના કરતા પવિત્ર સ્નાન કર્યું છે અને તેઓ ઝડપી સાજા થવા માટે પ્રાર્થના કરી છે. મેં આજે પ્રતિકાત્મક સ્નાન કર્યું છે. લોકોની ભલાઈ માટે પ્રાર્થના કરી છે.



  • Jan 29, 2025 08:39 IST

    Today Live News : CM યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને કરી અપીલ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે અપોતાના નજીકના ઘાટ ઉપર જ સ્નાન કરો અને સંગમ ઘાટ તરફ જવાની કોશિશ ન કરો. પ્રશાસનની સૂચનાઓનું પાનલ કરો અને તેમને સહયોગ આપો. તેમણે કોઈપણ અફવા પર ધ્યાન આપવા માટે અપીલ કરી છે.



  • Jan 29, 2025 08:37 IST

    Today Live News : નાસભાગ અંગે મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું- મહાકુંભ સેનાને કેમ ન સોંપવામાં આવ્યો?

    પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી ઘટનાને લઈને રડ્યા. તેમણે કહ્યું કે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવામાં આવે પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. તેમણે કહ્યું કે જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત.



  • Jan 29, 2025 08:36 IST

    Today Live News : મહાકુંભ નાસભાગ ઘટના અંગે પીએમ મોદીએ યુપી સીએમ સાથે બે વખત વાત કરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી અને આ ઘટનાની જાણકારી લીધી. મેળાની સ્પેશિયલ ડ્યુટી ઓફિસર આકાંક્ષા રાણાએ જણાવ્યું હતું કે સંગમ પર અવરોધ તૂટી જતાં આ ઘટના બની હતી.



  • Jan 29, 2025 08:35 IST

    Today Live News : મૌની અમાસ પર મહાકુંભ- સંગમ ઘાટ પર ભાગદોડ, 14 લોકોના મોત

    મંગળવાર-બુધવારની રાત્રે પ્રયાગરાજના સંગમ કિનારે નાસભાગ મચી ગઈ હતી. ઘણા લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ 13 અખાડાઓએ બુધવારે મૌની અમાવસ્યા પર આયોજિત અમૃતસ્નાન રદ કરી દીધું છે. મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ