Gujarati News 31 January 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલને ઝટકો, આપના 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 31 January 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ના સાત ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધા છે

Written by Ankit Patel
Updated : January 31, 2025 23:45 IST
Gujarati News 31 January 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલને ઝટકો, આપના 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી
અરવિંદ કેજરીવાલ - photo - X

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 31 January 2025, આજના તાજા સમાચાર: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ના સાત ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધા છે. આ ધારાસભ્યોમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત, જનકપુરીથી ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરથી મદનલાલ, પાલમથી ભાવના ગૌર સામેલ છે. આ પાંચ ધારાસભ્યોને હાલની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી નથી. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં ધારાસભ્ય નરેશ યાદવ, ધારાસભ્ય પવન શર્મા અને ધારાસભ્ય ગિરીશ સોનીનો પણ સમાવેશ થાય છે.

બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ પોતાના સંબોધનમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી

આજે સંસદમાં બજેટ શત્ર શરૂ થયું છે આ બજેટ સેશન પહેલા સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરાયું હતું. આ ઈકોનોમિક સર્વે ખુબ જ મહત્વનો છે. જેનાથી દેશની આર્થિક તાકાત વિશે જાણી શકાય છે. આ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે મૌની અમાસ દિવસે જે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમના પરિવાર પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આપણે સાથે મળીને આગળ વધીશું ત્યારે આપણી ભાવિ પેઢીઓને 2047માં એક વિકસિત, મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ ભારત જરૂર જોવા મળશે.

સોનિયા ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ કહ્યું – 10 કરોડ આદિવાસી ભાઇ-બહેનોનું અપમાન

સોનિયા ગાંધીના નિવેદન પર પીએમ મોદી પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ એક રેલીમાં કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 10 કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાથી આવે છે, હિન્દી તેમની માતૃભાષા પણ નથી, પરંતુ તેમ છતાં તેમણે આટલું શાનદાર ભાષણ આપ્યું અને કોંગ્રેસને તે કંટાળાજનક લાગ્યું.

મીડિયા સોનિયા ગાંધી પાસેથી એ જાણવા માંગતું હતું કે તેઓ રાષ્ટ્રપતિ મુર્મૂના ભાષણ વિશે શું કહેવા માંગે છે. પહેલા તો સોનિયાએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો પરંતુ પછી તેમણે રાહુલ ગાંધી સામે જોઈને કહ્યું કે Poor Lady, તે છેલ્લે સુધી તો ખૂબ થાકી ગયા હતા. સોનિયા ગાંધીએ આવો કટાક્ષ કર્યો તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને બોરિંગ ગણાવ્યું હતું. તે એવું કહેતા પણ જોવા મળ્યા કે આવ્યા કે તેમણે વારંવાર જૂની વાતો રિપીટ કરી હતી.

અલકાયદાના ટોચના કમાન્ડર સલાહ અલ-જાબીર એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો

અમેરિકાએ સીરિયામાં મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં અલકાયદાનો ટોચનો કમાન્ડર સલાહ અલ-જબીર માર્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, એ જ કાર્યવાહીમાં અમેરિકાને મોટી સફળતા મળી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આ હવાઈ હુમલાની પુષ્ટિ કરતા દાવો કર્યો છે કે આતંકવાદીઓનું નેટવર્ક નાશ પામ્યું છે.

બજેટ પહેલા સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળી 77000 પાર

બજેટ 2025 પહેલા શેરબજારમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સ પાછલા બંધ 76759 સામે આજે 76888 ખુલ્યો હતો. બ્લુ ચીપ શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળી 77000 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23249 સામે આજે 23296 ખુલ્યો હતો. શેરબજારમાં સુધારાથી સેન્સેક્સ 100 પોઇન્ટ વધીને 23300 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ શેરમાં નબળાઇથી બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઇન્ટ ડાઉન હતો જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 400 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

આજથી બજેટ સત્ર શરુ

આજે 31 જાન્યુઆરી 2025 અને શુક્રવારથી દેશનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રને સૌથી વધુ હોબાળો માનવામાં આવી રહ્યો છે કારણ કે આ એક સત્ર દ્વારા દેશનો આર્થિક પાયો નાખવાનો છે. મોદી સરકાર સામે ઘણા પડકારો છે, મોંઘવારીથી લઈને નબળા રૂપિયા સુધી, તેણે ઘણા મોરચે સમસ્યાઓ વધારી છે. આ કારણસર સરકાર બેકફૂટ પર જઈ રહી હોવાનું માની વિપક્ષ પોતાના માટે વધુ તકો શોધી રહ્યો છે.

નલિયામાં એક દિવસમાં 5 ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું

ગુજરાતમાં અત્યારે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 12.3 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 12.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું. જોકે, નલિયામાં 5.2 ડિગ્રી તાપમાન વધીને 15.2 ડિગ્રી લઘુતમ સપાટીએ રહ્યું હતું.

Live Updates

Today Live News : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલને ઝટકો, આપના 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ના સાત ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ ધારાસભ્યોમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત, જનકપુરીથી ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરથી મદનલાલ, પાલમથી ભાવના ગૌર સામેલ છે. આ પાંચ ધારાસભ્યોને હાલની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી નથી. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં ધારાસભ્ય નરેશ યાદવ, ધારાસભ્ય પવન શર્મા અને ધારાસભ્ય ગિરીશ સોનીનો પણ સમાવેશ થાય છે.

સોનિયા ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ કહ્યું – 10 કરોડ આદિવાસી ભાઇ-બહેનોનું અપમાન

સોનિયા ગાંધીના નિવેદન પર પીએમ મોદી પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ એક રેલીમાં કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 10 કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાથી આવે છે, હિન્દી તેમની માતૃભાષા પણ નથી, પરંતુ તેમ છતાં તેમણે આટલું શાનદાર ભાષણ આપ્યું અને કોંગ્રેસને તે કંટાળાજનક લાગ્યું.

Today Live News : વારાણસીઃ ગંગા નદીમાં બોટ પલટી, 60 શ્રદ્ધાળુઓ સવાર હતા

વારાણસીના મનમંદિર ઘાટની સામે શુક્રવારે બપોરે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બોટમાં લગભગ 60 શ્રદ્ધાળુઓ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના એક મોટી બોટ અને નાની બોટ વચ્ચે ટકરાયા બાદ બની હતી. બોટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થળ પર હાજર પોલીસ અને NDRFની ટીમે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Today Live News : દેશની સરહદોની સુરક્ષા અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

આ વર્ષે દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશની સરહદોની સુરક્ષા અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં અમને સારા પરિણામો મળ્યા છે. થોડા દિવસો પહેલા, એક ઐતિહાસિક ક્ષણમાં, બે સ્વદેશી નિર્મિત યુદ્ધ જહાજ અને એક સબમરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે.

Today Live News : દલિત, વંચિત અને આદિવાસી સમુદાયો મહત્તમ લાભ મેળવી રહ્યા છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, મારી સરકારના પ્રયાસોનો સૌથી વધુ લાભ દેશના દલિત, વંચિત અને આદિવાસી સમુદાયને મળી રહ્યો છે. આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસી સમાજની અવગણના થતી રહી અને મારી સરકારે તેના સન્માનને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. દેશભરમાં સ્થાપિત 770 થી વધુ એકલવ્ય શાળાઓ દ્વારા આદિવાસી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં 20 નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે.

Today Live News : આયુષ્માન ભારત યોજના હેઠળ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો: રાષ્ટ્રપતિ

આયુષ્માન ભારત યોજના હેઠળ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને દર વર્ષે 5 લાખ રૂપિયાનો વીમો મળશે. યુવાનોના શિક્ષણ અને રોજગાર માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

Today Live News : પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા જ આપણે દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહને ગુમાવ્યા છે. તેઓ લાંબા સમય સુધી સંસદના સભ્ય હતા. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

Today Live News : ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છેઃ રાષ્ટ્રપતિ

બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ નોંધાવી રહ્યું છે. ભારતની UPI ટેક્નોલોજીની સફળતાને દુનિયાના ઘણા દેશો જોઈ રહ્યા છે. મારી સરકાર સામાજિક ન્યાય અને સફળતા માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. ભારતના નાનામાં નાના દુકાનદારો પણ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

Today Live News : દિલ્હીમાં મેટ્રો રૂટ સતત વિસ્તરી રહ્યા છે: રાષ્ટ્રપતિ મુર્મુ

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, દિલ્હીમાં રિથાલા, નરેલા, કોંડલી નેટવર્ક પર કામ શરૂ થઈ ગયું છે. મારી સરકારના સતત પ્રયાસોને કારણે દિલ્હીમાં મેટ્રો રૂટ સતત વિસ્તરી રહ્યા છે. દિલ્હીમાં મેટ્રો રૂટ 200 કિલોમીટરથી બમણો થઈ ગયો છે. ભારતના મેટ્રો નેટવર્કે 1000 કિલોમીટરનો માઈલસ્ટોન પાર કરી લીધો છે. ભારત મેટ્રો રૂટ ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે.

Today Live News : બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂનું સંબોધન શરુ, મહાકુંભ દુર્ઘટનાનો ઉલ્લેખ

આજે સંસદમાં બજેટ શત્ર શરૂ થયું છે આ બજેટ સેશન પહેલા સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. આ ઈકોનોમિક સર્વે ખુબ જ મહત્વનો છે. જેનાથી દેશની આર્થિક તાકાત વિશે જાણી શકાય છે. આ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન શરુ કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે મૌની અમાસ દિવસે જે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમના પરિવાર પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના.

Today Live News : નલિયામાં એક દિવસમાં 5 ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું

ગુજરાતમાં અત્યારે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 12.3 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 12.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું. જોકે, નલિયામાં 5.2 ડિગ્રી તાપમાન વધીને 15.2 ડિગ્રી લઘુતમ સપાટીએ રહ્યું હતું.

Today Live News : આજથી બજેટ સત્ર શરુ થશે

આજે 31 જાન્યુઆરી 2025 અને શુક્રવારથી દેશનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રને સૌથી વધુ હોબાળો માનવામાં આવી રહ્યો છે કારણ કે આ એક સત્ર દ્વારા દેશનો આર્થિક પાયો નાખવાનો છે. મોદી સરકાર સામે ઘણા પડકારો છે, મોંઘવારીથી લઈને નબળા રૂપિયા સુધી, તેણે ઘણા મોરચે સમસ્યાઓ વધારી છે. આ કારણસર સરકાર બેકફૂટ પર જઈ રહી હોવાનું માની વિપક્ષ પોતાના માટે વધુ તકો શોધી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ