/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/madhya-pradesh-wall-collapse-.jpg)
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત થયા છે. (Photo: Social Media)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 August 2024, આજના તાજા સમાચાર: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી મીડલ ઇસ્ટમાં પરિસ્થિતિ દિવસને દિવસે વધુ ગંભીર બની રહી છે. ઈરાન સમર્થિત આંતકવાદી સંગઠન હિઝબુલ્લાહ એ ઈઝરાયલ પર ફરી રોકેટ હમુલો કર્યો છે. હિઝબુલ્લા એ કહ્યું કે, તેણે ઈઝરાયલના ઉત્તર વિસ્તારમાં પર દર્જનો જેટલા કત્યુશા રોકેટ વડે હુમલો કર્યો છે. આ હુમલો પેલેસ્ટાઈન લોકોના સમર્થનમાં કર્યો છે. આતંકવાદી સંગઠને લેબનાનથી ઈઝરાયલ પર 50 રોકેટ ફેંક્યા હતા.
ગુજરાત રવિવાર 4 ઓગસ્ટ, વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટને રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Aug 04, 2024 15:34 IST
મધ્યપ્રદેશમાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત, મૃતકોને 4 લાખ અને ઘાયલને 1 લાખની સહાય
મધ્યપ્રદેશમાં સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશ સરકારના મંત્રી ગોવિંદ રાજપુતે કહ્યું, આ બહુ જ દુખદ ઘટના છે. વહીવટીતંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનોને 8 લાખ અને ઘાયલોને 1 લાખ રૂપિયા સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે.
#WATCH सागर: मध्य प्रदेश सरकार में मंत्री गोविंद राजपूत ने कहा, "यह बहुत ही दुखद घटना है। प्रशासन सक्रियता से काम कर रहा है। हम सब यहां मौजूद हैं। मुख्यमंत्री ने मृतकों के परिवार को 4 लाख रुपए और घायलों को 1 लाख रुपए की आर्थिक सहायता देने की घोषणा की है। मैंने सागर के कलेक्टर को… https://t.co/UbT1PLF0CHpic.twitter.com/kruQowne6W
— ANI_HindiNews (@AHindinews) August 4, 2024
- Aug 04, 2024 13:17 IST
વિશાખાપટ્ટનમ સ્ટેશન પર કોરબા એક્સપ્રેસમાં આગ લાગી
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટેશન પર ઉભી કોરબા એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં રવિવાર સવારે આગ લાગી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. હજી સુધી ટ્રેન ડબ્બામાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
- Aug 04, 2024 12:52 IST
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકના મોત, ઘણા લોકો ઘાયલ
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દિવાલ પડવાથી 8 બાળકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
मध्य प्रदेश : सागर के शाहपुर में मंदिर की दीवार गिरी, 8 बच्चों की मौत, कई घायल
#MadhyaPradesh | #sagarpic.twitter.com/uliSErQAYI— Shubham Rai (@shubhamrai80) August 4, 2024
- Aug 04, 2024 10:24 IST
વાયનાડ ભૂસ્ખલન : 7માં દિવસે બચાવ કામગીરી ચાલુ, મૃત્યુઆંક 308 પહોંચ્યો
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સળંગ સાતમાં દિવસે બચાવ કામગીરી ચાલુ છે. વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 308 પહોંચ્યો છે.
#WATCH केरल: वायनाड में भूस्खलन प्रभावित क्षेत्रों में बचाव और तलाशी अभियान 6वें दिन भी जारी।
मरने वालों की संख्या 308 हुई। pic.twitter.com/qtHEKbr1Jn— ANI_HindiNews (@AHindinews) August 4, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us