Live

Gujarati News 4 February 2025 LIVE : રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું – તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 4 February 2025: પીએમ મોદીએ કહ્યું - જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવે છે તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે. સમસ્યાને ઓળખ કરી છૂટી ના શકીએ, સમસ્યાનું સમાધાન પણ કરવાનું હોય છે

Written by Ankit Patel
Updated : February 04, 2025 18:12 IST
Gujarati News 4 February 2025 LIVE : રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું – તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે
PM Modi Lok Sabha Speech : લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન (તસવીર - સ્કીનગ્રેબ)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 February 2025 LIVE, આજના તાજા સમાચાર :પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. 12 કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવે છે તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે. સમસ્યાને ઓળખ કરી છૂટી ના શકીએ, સમસ્યાનું સમાધાન પણ કરવાનું હોય છે.

…તો હું રાજીનામું આપવા તૈયાર છું, લોકસભામાં મહાકુંભ દુર્ઘટનાને લઇને અખિલેશ યાદવનો મોટો દાવો

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એકવાર ફરીથી સંસદમાં મહા કુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મહાકુંભમાં મૃતકોનો આંકડો જાહેર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે સંસદમાં બે મિનિટનું મૌન હોવું જોઈએ. અખિલેશ યાદવે સંસદમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રચાર કરવામાં આવ્યો કે અમે 100 કરોડની તૈયારી અમે કરી રાખી છે. અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર મારા નિવેદનને ખોટું કહે છે અને કહે છે કે 100 કરોડ લોકોની સિસ્ટમની વાત કરવામાં આવી નથી, તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. અખિલેશ યાદવે કહ્યું કે મહાકુંભમાં લોકો પૂર્ણ્ય કમાવવા માટે આવ્યા હતા પરંતુ લાશ લઈને ગયા.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકારની પહેલ, કમિટીની રચના કરાઈ

ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ યુસીસીના અમલ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ છે. આ કમિટી 45 દિવસની અંદર રિપોર્ટ આપશે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે.

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન

ગુજરાતના રાજકારણમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે 4 ફેબ્રુઆરી 2025ના મંગળવારે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. નોંધનીય છે કે કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.

PM મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જશે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે: સૂત્રો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે, જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે યોજના મુજબ મોદી પેરિસની બે દિવસની મુલાકાત પૂરી કરીને વોશિંગ્ટન ડીસી જશે.

ટ્રમ્પ બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની અમેરિકાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. ટ્રમ્પ વહીવટીતંત્ર બીજી ટર્મ માટે સત્તામાં આવ્યાના અઠવાડિયામાં દ્વિપક્ષીય મુલાકાતે વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેનારા કેટલાક વિદેશી નેતાઓમાં મોદી પણ હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર મેક્સિકો બાદ કેનેડાએ પણ 40 દિવસની રાહત આપી

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો વિરુદ્ધ આક્રમક છે અને તાજેતરમાં તેમણે જાહેરાત કરી હતી કે બંને દેશો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશોના સ્થાનિક વેપારીઓ માટે મોટી સમસ્યા સર્જાઈ હતી, પરંતુ હવે લાગે છે કે ટ્રમ્પ આ મુદ્દે નરમ પડી શકે છે. તેનું કારણ એ છે કે જ્યાં એક તરફ મેક્સિકોના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે વાત કરી છે તો બીજી તરફ ટ્રમ્પે પોતે પણ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કરી છે.

મેક્સીકન રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે તેણીએ ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ તાત્કાલિક અસરથી મેક્સિકો પરના ટેરિફને એક મહિના માટે રોકવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે મેક્સિકો યુએસમાં ડ્રગની દાણચોરીને રોકવા માટે સરહદ પર તરત જ 10,000 નેશનલ ગાર્ડ તૈનાત કરશે. આ માટે તેમણે ટ્રમ્પને આશ્વાસન પણ આપ્યું છે.

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. એટલે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

Live Updates

Today News Live : ઇન્ડિયન સ્ટેટ વાળા નિવેદન પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું - આ લોકો અર્બન નક્સલની ભાષા બોલનાર

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં કેટલાક પરિવારો છે જેમણે ફેમિલી મ્યુઝિયમ બનાવ્યા છે. અમે પીએમ મ્યુઝિયમ બનાવ્યું છે. અમે બંધારણને સર્વોચ્ચ રાખીએ છીએ અને ઝેરની રાજનીતિ કરતા નથી. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીએ છીએ. એ દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો અર્બન નક્સલીઓની ભાષા બોલે છે. ઇન્ડિયન સ્ટેટ સામે લડાઇની ઘોષણા કરનારાઓ બંધારણની ભાવના કે દેશની એકતાને સમજી શકતા નથી.

Today News Live : રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું - તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે

પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. 12 કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવે છે તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે. સમસ્યાને ઓળખ કરી છૂટી ના શકીએ, સમસ્યાનું સમાધાન પણ કરવાનું હોય છે.

...તો હું રાજીનામું આપવા તૈયાર છું, લોકસભામાં મહાકુંભ દુર્ઘટનાને લઇને અખિલેશ યાદવનો મોટો દાવો

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એકવાર ફરીથી સંસદમાં મહા કુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મહાકુંભમાં મૃતકોનો આંકડો જાહેર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે સંસદમાં બે મિનિટનું મૌન હોવું જોઈએ. અખિલેશ યાદવે સંસદમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રચાર કરવામાં આવ્યો કે અમે 100 કરોડની તૈયારી અમે કરી રાખી છે. અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર મારા નિવેદનને ખોટું કહે છે અને કહે છે કે 100 કરોડ લોકોની સિસ્ટમની વાત કરવામાં આવી નથી, તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. અખિલેશ યાદવે કહ્યું કે મહાકુંભમાં લોકો પૂર્ણ્ય કમાવવા માટે આવ્યા હતા પરંતુ લાશ લઈને ગયા.

Today News Live : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકારની પહેલ, કમિટીની રચના કરાઈ

ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ યુસીસીના અમલ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ છે. આ કમિટી 45 દિવસની અંદર રિપોર્ટ આપશે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે.

Today News Live : IPS અભય ચુડાસમાનું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

ગુજરાત પોલીસમાં આગવી છાપ અને એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકે ઓળખાતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ નિવૃત્તી પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. અભય ચુડાસમા અત્યારે એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે.

Today News Live : દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આતિશી સામે ફરિયાદ થઈ

દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલા મુખ્યમંત્રી અને કાલકાજીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બીએનએસની કલમ 188 હેઠળ આતિશી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, આતિશી અને તેના સમર્થકો પર સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Today News Live : કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન

ગુજરાતના રાજકારણમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે 4 ફેબ્રુઆરી 2025ના મંગળવારે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. નોંધનીય છે કે કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.

Today News Live : સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો, બેંક શેરમાં તેજી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 77186 સામે મોટા ઉછાળે આજે 77687 ખુલ્યો હતો. સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળી 77862ની ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23361 સામે ઉંચા ગેપમાં આજે 23509 ખુલ્યો હતો. નિફ્ટી 200 પોઇન્ટ ઉછળી 23570ની ટોચે પહોંચ્યો હતો. આજે લાર્સન ટુર્બો, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ 2 થી 3 ટકા વધીને સેન્સેક્સના ટોપ 5 ગેઇન શેર હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા.

Today News Live : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ટ્રમ્પે પાછા મોકલ્યા

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીયોને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી.

Today News Live : ગુજરાતમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. એટલે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

Today News Live : ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર મેક્સિકો બાદ કેનેડાએ પણ 40 દિવસની રાહત આપી

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો વિરુદ્ધ આક્રમક છે અને તાજેતરમાં તેમણે જાહેરાત કરી હતી કે બંને દેશો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશોના સ્થાનિક વેપારીઓ માટે મોટી સમસ્યા સર્જાઈ હતી, પરંતુ હવે લાગે છે કે ટ્રમ્પ આ મુદ્દે નરમ પડી શકે છે. તેનું કારણ એ છે કે જ્યાં એક તરફ મેક્સિકોના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે વાત કરી છે તો બીજી તરફ ટ્રમ્પે પોતે પણ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કરી છે.

મેક્સીકન રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે તેણીએ ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ તાત્કાલિક અસરથી મેક્સિકો પરના ટેરિફને એક મહિના માટે રોકવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે મેક્સિકો યુએસમાં ડ્રગની દાણચોરીને રોકવા માટે સરહદ પર તરત જ 10,000 નેશનલ ગાર્ડ તૈનાત કરશે. આ માટે તેમણે ટ્રમ્પને આશ્વાસન પણ આપ્યું છે.

Today News Live : PM મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જશે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે: સૂત્રો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે, જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે યોજના મુજબ મોદી પેરિસની બે દિવસની મુલાકાત પૂરી કરીને વોશિંગ્ટન ડીસી જશે.

ટ્રમ્પ બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની અમેરિકાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. ટ્રમ્પ વહીવટીતંત્ર બીજી ટર્મ માટે સત્તામાં આવ્યાના અઠવાડિયામાં દ્વિપક્ષીય મુલાકાતે વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેનારા કેટલાક વિદેશી નેતાઓમાં મોદી પણ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ