Gujarati News 7 April 2024 Highlights : અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આપ પાર્ટીનો સત્યાગ્રહ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 April 2024 : પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. આજે પીએમ મોદી 3 રાજ્ય - બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 April 2024 : પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. આજે પીએમ મોદી 3 રાજ્ય - બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
arvind kejriwal | arvind kejriwal aap | aap party satyagraha | aap leaders satyagraha

ઇડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં આપ નેતા ઉપવાસ પર બેઠા છે. (Photo - @AamAadmiParty)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 April 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 7 એપ્રિલ 2024, રવિવાર છે.આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ પાછી લેવા માટે ભાજપ પર દબાણ બનાવી રહ્યો છે. બીજી તરફ આજે આઈપીએલ 2024ની 19મી મેચ રમાશે. આજે આ મેચમાં ગુજરાત ટાયટન્સ અને લખનઉ રોયલ સુપર જાયનટ્સ વચ્ચે મુકાબલો ટક્કર થશે. ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ બ્રેકિંગ લાઇવ ન્યૂઝ અપેડટ મેળવો…

Advertisment

રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે સંબંધ છે

રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાહેર સભાને સંબોધતા કહ્યું કે શું કારણ છે કે કોંગ્રેસ આવે ત્યારે જ ભ્રષ્ટાચાર વધે છે?. હમ બને તુમ બને એક દુજે કે લિયે'. આ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો સંબંધ છે.

પીએમ મોદીનો 3 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર

પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. આજે પીએમ મોદી 3 રાજ્ય - બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમા પીએમ મોદી જબલપુરમાં રોડ શોકર્યો હતો. છે. 16 માર્ચે ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીનો પ્રથમ મધ્યપ્રદેશ પ્રવાસ છે.

Advertisment
  • Apr 07, 2024 23:06 IST

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એકનાથ શિંદે સાથે રોડ શો કર્યો

    નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે રોડ શો કર્યો હતો.

    — ANI_HindiNews (@AHindinews) April 7, 2024



  • Apr 07, 2024 17:59 IST

    રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે સંબંધ છે

    રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાહેર સભાને સંબોધતા કહ્યું કે શું કારણ છે કે કોંગ્રેસ આવે ત્યારે જ ભ્રષ્ટાચાર વધે છે?. હમ બને તુમ બને એક દુજે કે લિયે'. આ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો સંબંધ છે.

    — ANI_HindiNews (@AHindinews) April 7, 2024



  • Apr 07, 2024 12:42 IST

    અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આપ પાર્ટીનો સત્યાગ્રહ

    અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં આપ પાર્ટીના કાર્યકત્તાઓ સત્યાગ્રહ પર ઉતર્યા છે.

    — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 7, 2024

    પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સત્યાગ્રહ કરી રહ્યા છે. આપના નેતાઓ દિલ્હીના રામ લીલા મેદાનમાં સત્યાગ્રહ કરી રહ્યા છે. આ સત્યાગ્રહમાં આપ સાથે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ જોડાયા છે.

    — AAP (@AamAadmiParty) April 7, 2024



  • Apr 07, 2024 12:34 IST

    ગરીબનો દિકરો મોદી, ગરીબનો સેવક છે : પીએમ મોદી

    પીએમ મોદી બિહારમાં ચંટણી પ્રચાર કરી રહ્યા છે. બિહારના નવાદામાં જનસભાને સંબોધતા તેમણે કહ્યુ કે, ગરીબનો દિકરો મોદી, ગરીબનો સેવક છે. જ્યાં સુધી દેશના દરેક ભાઇ બહેનની ગરીબી દૂર નહી કરું, શાંતથી બેસીશ નહીં.

    — ANI_HindiNews (@AHindinews) April 7, 2024



  • Apr 07, 2024 11:24 IST

    પશ્ચિમ બંગાળના હુગલી શહેરમાં ભારે વરસાદ

    એક બાજુ દેશમાં ગરમી વધી રહી છે ત્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં હુગલી શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) April 7, 2024



  • Apr 07, 2024 11:19 IST

    રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો 9 એપ્રિલે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરશે

    ભાજપ નેતા અને રાજકોટના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યું છે. આ વિવાદમાં કરણી સેના પણ ક્ષત્રિય સમાજ સાથે છે. કરણસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે કહ્યુ કે, 9 એપ્રિલે ગુજરાતના ગાંધીનગર સ્થિત મુખ્લાલય કમલમનો ઘેરાવો કરશે. તેમણે ક્ષત્રિય સમાજને કેસરિયા ઝંડા અને મજબૂત ઝંડા સાથે કમલમ્ પહોચવા આહ્વાન કર્યું છે. વીડિયામાં તેમણે કહ્યુ છે કે, જેને જે ભાષામાં જવાબ જોઇએ, એ ભાષમાં જવાબ આપવામાં આવશે.

    — Dr Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) April 6, 2024



  • Apr 07, 2024 11:13 IST

    દિલ્હીમાં ભાજપનું આપ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન

    દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને ભાજપના શરાબ થી શીશ મહલ અભિયાન અંતર્ગત આપ પાર્ટી સામે વિદેશ પ્રદર્શન

    — ANI_HindiNews (@AHindinews) April 7, 2024



  • Apr 07, 2024 10:11 IST

    લાઓસમાં ફસાયેલા 17 ભારતીયો પરત

    લાઓસ ખોટી રીતે ગેરકાયદેસર અને ખતરનાક પ્રવૃત્તિમાં ફસાયેલા 17 ભારતીયો સહી સલામત ભારત પરત ફરી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેમણે લાઓસના અધિકારીઓનો આભાર માન્યો અને ભારતીય દાતાવાસની કામગીરીની પ્રશંસા કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે, મોદીની ગેરંટી તમામ ભારતીયો માટે દેશ અને વિદેશમાં દરેક સ્થળે કામ કરે છે.

    — Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) April 6, 2024



  • Apr 07, 2024 10:00 IST

    પીએમ મોદી 3 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર, જબલપુરમાં રોડ શો કરશે

    પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. આજે પીએમ મોદી 3 રાજ્ય - બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. જેમા પીએમ મોદી જબલપુરમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનો આ રોડ શો એક કિમીથી વધુ લાંબો હશે. પીએમ મોદી સાંજે 6 વાગે જબલપુર પહોંચશે. 16 માર્ચે ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીનો પ્રથમ મધ્યપ્રદેશ પ્રવાસ છે.



બ્રેકિંગ ન્યૂઝ લોકસભા ચૂંટણી 2024 ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ PM Narendra Modi