/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/india-new-zealand-free-trade-agreement.jpg)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન (તસવીર - સોશિયલ મીડિયા)
India New Zealand FTA : ભારત અને ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર મહત્વપૂર્ણ કરાર થઇ ગયા છે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધો પર ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે ભારત-ન્યૂઝીલેન્ડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સફળ અને ઐતિહાસિક નિષ્કર્ષની જાહેરાત કરી હતી. તેને બંને દેશો માટે મહત્વાકાંક્ષી, પરસ્પર લાભદાયી અને ભવિષ્યની દિશા નક્કી કરનાર સમજુતી ગણાવી હતી.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પીયૂષ ગોયલે શું કહ્યું
ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર કેન્દ્રીય વેપાર અને રોકાણ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આજે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લોકોની આસપાસ વેપારને પ્રોત્સાહન આપવા અને આપણા ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સંશોધકો માટે તકો ખોલવા વિશે છે. આ કરાર ઉપજ અને ખેડૂતોની આવકમાં વધારો કરીને આધુનિક કૃષિ ઉત્પાદકતાને વેગ આપે છે. તે સુવ્યવસ્થિત નિકાસ દ્વારા આ ક્ષેત્રમાં ભારતીય વ્યવસાયો માટે દરવાજા ખોલે છે અને આપણા યુવાનોને વૈશ્વિક મંચ પર શીખવા, કામ કરવા અને વિકાસ કરવા માટે વિકલ્પો પૂરા પાડે છે.
ઓમાન, યુકે, સંયુક્ત અરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા અને મોરેશિયસ પછી ન્યુઝીલેન્ડ સાથેની એફટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સાતમી એફટીએ છે.
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાને કહ્યું કે ભારત સાથે એફટીએ પર વાતચીત સંપન્ન
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે કહ્યું હતું કે ભારત સાથે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે આ મુક્ત વેપાર કરાર ભારતમાં નિકાસ થતા આપણા 95 ટકા ઉત્પાદનો પરની ડ્યુટી ઘટી જશે અથવા સમાપ્ત થઇ જશે.
આ પણ વાંચો - ખાતા નંબર તરીકે 11111111111, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના યોજનામાં ગેરરીતિ પર CAGના મોટા ખુલાસા
એવો અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યૂઝીલેન્ડની ભારતમાં નિકાસ 1.1 અબજ ડોલરથી વધીને 1.3 અબજ ડોલર પ્રતિ વર્ષ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે મેં ન્યૂઝીલેન્ડ-ભારત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ થયા પછી હમણાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. આ કરાર બંને દેશો વચ્ચેની મજબૂત મિત્રતા પર આધારિત છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે અને આ ન્યૂઝીલેન્ડના વ્યવસાયોને 1.4 અબજ ભારતીય ગ્રાહકો સુધી પહોંચવાની તક આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us