India Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત બાદ થયું સીઝફાયર, જયશંકરનો ટ્રમ્પને સણસણતો જવાબ

Jaishankar india pakistan ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન યુદ્ધવિરામ કરાવ્યો હોવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.

Jaishankar india pakistan ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન યુદ્ધવિરામ કરાવ્યો હોવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Jaishankar | S Jaishankar | Donald Trump

Jaishankar React On Donald Trump USAID Funding Controversy: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. (Photo: @DrSJaishankar, @POTUS)

India Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન યુદ્ધવિરામ કરાવ્યો હોવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. જયશંકરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બંને દેશોના ડીજીએમઓ વચ્ચેની વાતચીત પછી થયો હતો અને કોઈ પણ વેપાર કરારની તેમાં કોઈ ભૂમિકા નહોતી.

Advertisment

એ યાદ રાખવું જોઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ વેપાર બંધ કરવાની ધમકી આપી હતી અને તેના કારણે ભારત અને પાકિસ્તાન યુદ્ધમાંથી પાછા હટી ગયા હતા.

ટ્રમ્પની ટિપ્પણી પર, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, 'તે સમય દરમિયાન જે બન્યું તેનો રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ હતો અને યુદ્ધવિરામ એવી વસ્તુ હતી જેના પર બંને દેશોના ડીજીએમઓ વચ્ચે ચર્ચા થઈ હતી.' જયશંકરે વધુમાં કહ્યું, 'હું તેને અહીં છોડી દઉં છું.'

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો પરંતુ 10 મેના રોજ, બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધવિરામ વિશે માહિતી આપી હતી.

Advertisment

ભારતે હવાઈ હુમલા કર્યા હતા

એ યાદ અપાવવું મહત્વપૂર્ણ છે કે પહેલગામ હુમલાના જવાબમાં, ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં કાર્યરત આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો હતો. હવાઈ હુમલામાં, ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

10 મેના રોજ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના DGMO એ ભારતીય DGMO ને ફોન કર્યો હતો અને તેઓ સંમત થયા હતા કે બંને દેશો લશ્કરી કાર્યવાહી બંધ કરશે.

આ પણ વાંચોઃ-Trump vs Musk: શું ઈલોન મસ્ક અમેરિકામાં રાજનૈતિક પાર્ટી બનાવશે, ડેમોક્રેટિક-રિબપ્લિકન પાર્ટીને આપશે પડકાર?

તાજેતરમાં ન્યૂઝવીક સાથેની વાતચીત દરમિયાન જયશંકરે એમ પણ કહ્યું હતું કે જ્યારે 9 મેની રાત્રે યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી, ત્યારે તેઓ તે જ રૂમમાં હાજર હતા.

ભારત પાકિસ્તાન સંઘર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા એસ જયશંકર