/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/food-stocks.jpg)
પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને લોકોને ખાદ્ય ઉપલબ્ધતા અંગે ચિંતા ન કરવા વિનંતી કરી છે (પ્રતિકાત્મક તસવીર)
India-Pakistan Conflict : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને લોકોને ખાદ્ય ઉપલબ્ધતા અંગે ચિંતા ન કરવા વિનંતી કરી છે. મંત્રાલયનું કહેવું છે કે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી પાસે ડાંગર, ઘઉં, કઠોળ, ફળો અને શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયે શનિવારે દેશભરના નાગરિકોને ખાતરી આપતો પત્ર જાહેર કર્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ નાગરિકને દેશની ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર નથી.
ઘઉં, કઠોળ, ફળો અને શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
પત્રમાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમારી પાસે ડાંગર, ઘઉં, કઠોળ, ફળો અને શાકભાજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. દેશભરમાં ખેડૂતો પાસેથી પાકની ખરીદી સરળતાથી ચાલુ છે અને અનાજથી લઈને બાગાયત સુધીના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદન લક્ષ્ય કરતાં વધુ છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે દરેક ખેતરને જરૂરી માહિતી, સંસાધનો અને સહાય પૂરી પાડવા માટે સતત સમીક્ષા અને સંકલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો, વૈજ્ઞાનિકો અને વહીવટ ત્રણેય એકજુટ છે. આ ઉપરાંત કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખાતરી આપી છે કે અમારી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ વાંચો - ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા 5 પ્રમુખ આતંકીની વિગતો સામે આવી, મસૂદ અઝહરના સંબંધીઓ પણ સામેલ
અમારી પાસે જરૂરિયાત કરતાં વધુ સ્ટોક છે: પ્રહલાદ જોશી
શુક્રવારે કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી, દેશભરમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે હું બધાને ખાતરી આપવા માંગુ છું કે હાલમાં આપણી પાસે સામાન્ય જરૂરિયાત કરતા અનેક ગણો વધુ સ્ટોક ઉપલબ્ધ છે. પછી ભલે તે ચોખા હોય, ઘઉં હોય, કે પછી ચણા, તુવેર, મસૂર કે મગ જેવા કઠોળ હોય. કોઈ અછત નથી અને નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગભરાટમાં ન આવે અથવા અનાજ ખરીદવા માટે બજારોમાં ઉતાવળ ન કરે.
સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી થશે
તેમણે પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે દેશમાં ખાદ્ય સ્ટોક વિશે ફરતા સંદેશાઓ પર વિશ્વાસ ન કરો. આપણી પાસે જરૂરી ધોરણો કરતાં ઘણો વધારે ખાદ્ય સ્ટોક છે. ખોટા સંદેશાઓને અવગણો. આવશ્યક ચીજવસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અથવા વ્યવસાયિક સંસ્થાઓને કાયદા અમલીકરણ એજન્સીઓને સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સંગ્રહખોરી અથવા સ્ટોકના ઢગલા કરવામાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us