India-Pakistan News : વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું – પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન

India-Pakistan tension : વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા બ્રહ્મોસ બેઝને નુકસાન પહોંચાડવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. અમે પાકિસ્તાનની રક્ષણાત્મક પ્રણાલીને ધ્વસ્ત કરી છે. ભારતીય સેના સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. અમે કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું નથી. પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન થયું છે

Written by Ankit Patel
Updated : May 10, 2025 23:53 IST
India-Pakistan News : વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું – પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન
વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને કર્નલ સોફિયા કુરૈશી. (Source: ANI Photo)

India-Pakistan Tension Today News : વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા બ્રહ્મોસ બેઝને નુકસાન પહોંચાડવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. અમે પાકિસ્તાનની રક્ષણાત્મક પ્રણાલીને ધ્વસ્ત કરી છે. ભારતીય સેના સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. અમે કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું નથી. પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન થયું છે.

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા

ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી છે, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી.

રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

શુક્રવારે પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેમને નિષ્ફળ બનાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. આજે શનિવારે રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસકોન્ફરન્સ કરી હતી.

Live Updates

India Pakistan News LIVE: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું - ભારતીય સેના આ સરહદી અતિક્રમણનો જવાબ આપી રહી છે

દિલ્હી: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જે કરાર થયો હતો, તેનું છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી અતિક્રમણનો જવાબ આપી રહી છે અને તેનો સામનો કરી રહી છે, આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ અતિક્રમણને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ. સેના આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈપણ અતિક્રમણનો સામનો કરવા માટે નક્કર અને કડક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

India Pakistan News LIVE: પાકિસ્તાને 3 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગું થયું હતું. જોકે પાકિસ્તાને 3 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંછ, નૌશેરા, શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રાજૌરીમાં તોપમારો કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે.

India Pakistan News LIVE: પાકિસ્તાનની સીઝફાયરનું ઉલ્લંઘન, વિસ્ફોટોના અવાજ સંભળાયા

જમ્મુ અને કાશ્મીર: ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની ડ્રોનને અટકાવવામાં આવ્યું.વિસ્ફોટોના અવાજ સંભળાતા જોવા મળે છે.

India Pakistan News LIVE: વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું - પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા બ્રહ્મોસ બેઝને નુકસાન પહોંચાડવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. અમે પાકિસ્તાનની રક્ષણાત્મક પ્રણાલીને ધ્વસ્ત કરી છે. ભારતીય સેના સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. અમે કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું નથી. પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન થયું છે.

India Pakistan News LIVE: અમેરિકાના રાષ્ટ્રપતિનો દાવો, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા

ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી છે, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી.

India Pakistan News LIVE: : વલસાડ : તણાવ વચ્ચે ગુજરાત પોલીસે દરિયાકાંઠાની સુરક્ષા વધારી

વલસાડ (ગુજરાત): ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત પોલીસે દરિયાકાંઠાની સુરક્ષા વધારી દીધી છે. સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચેકિંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.

India Pakistan News LIVE: પીએમ મોદીએ મહત્વની બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાન અને ત્રણ સેના પ્રમુખો સાથે બેઠક કરી.

India Pakistan News LIVE: પાકિસ્તાન આખી દુનિયા માટે ખતર છે : ઓવૈસી

ભારત પાકિસ્તાન સંઘર્, અંગે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે શ્રીનગરમાં ડ્રોન આવ્યું.. અંદાજો નથી કે સૈનિક અમારી સુરક્ષા કેવી રીતે કરી રહ્યા છે. આપણે એવા દેશ સામે ઊભા રહેવાનું છે જે આખી દુનિયા માટે ખતરો છે. તેમના પરમાણું બોમ્બને નિષ્ક્રીય કરવાની જરૂર છે. આપણે આપણા રક્ષા દળોનું સમર્થન કરવાની જરૂર છે.

India Pakistan News LIVE: ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયા 5 પ્રમુખ આતંકી, મસૂદ અઝહરના સંબંધીઓનો પણ ખાત્મો

સરકારી સૂત્રોએ જણાવ્યું કે જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરના સાળા હાફિઝ મહોમ્મદ જમીલ અને મોહમ્મદ યૂસુફ અઝહર એ પાંચ આતંકવાદીઓમાં સામેલ હતા. જેને ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં નવ આતંકી સ્થળોને નીશાન બનાવી નષ્ટ કર્યા હતા.

India Pakistan News LIVE: જેસલમેરમાં લોકોને ઘરમાં રહેવાની અપીલ

જેસલમેરમાં જિલ્લા તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે. જિલ્લા તંત્રે કહ્યું કે બધુ જ બંધ રહેશે. જિલ્લા તંત્રનું કહેવું છે કે બધુ બંધ રહેશે. વર્તમાન હાલાતને ધ્યાનમાં રાખીને દરેકને ઘરમાં રહેવાની અપીલ કરી છે. વાહનોની મૂવમેન્ટ પણ રોકવામાં આવી છે.

India Pakistan News LIVE: ભૂજથી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે માઈગ્રન્ટ વર્કર

ગુજરાતના ભૂજમાં પાકિસ્તાનના અનેક જગ્યાઓને ડ્રોનથી નિશાન બનાવવાની કોશિશ થઈ રહી છે ત્યારે ધ ઈન્ડિયન એક્સપ્રે અનુસાર ભૂજમાં હાજર માઈગ્રન્ટ વર્કર્સ પોતાના રાજ્યમાં જવા માટે નીકળી પડ્યા છે. આજે ભૂજમાં માર્કેટ બંધ છે.

India Pakistan News LIVE: ચાર ધામયાત્રામાં હેલિકોપ્ટર સેવા સસ્પેન્ડ

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયનવિકાસ પ્રાધિકરણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા હેલિકોપ્ટર સેવાને તત્કાલ પ્રભાવથી સ્થગિત કરી દીધી છે. હેલિકોપ્ટર સેવા માત્ર ચાર ધામ ચાત્રા સ્થળોથી નીકળવા માટે ઉપલબ્ધ છે.

India Pakistan News LIVE: જમ્મુમાં વધુ એક વ્યક્તિનું મોત

જમ્મુમાં પાકિસ્તાનની ગોળીબારમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર પ્રમાણે અશોક કુમાર નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે સુરક્ષિત જગ્યા પર જઈ રહ્યો હતો ત્યારે તે પાકિસ્તાનના હુમલાનો શિકાર બન્યો હતો. તેના પરિવારના અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત મેંઢરમાં એક મહિલાનું મોત થયું છે.

India Pakistan News LIVE: આક્રામક મંસૂબા સાથે સીમા તરફ આવી રહી છે પાકિસ્તાની સેનાઃ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ

વિંગ કમાંડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના પોતાના સૈનિકોને આગળના ક્ષેત્રો તરફ લઈ જઈ રહી છે. જે આક્રામક ઈરાદાને દર્શાવે છે. ભારતીય સશસ્ત્ર દળ પરિચાલન તત્પરતાની ઉચ્ચ સ્થિતિમાં છે. બધી શત્રુતાપૂર્ણ કાર્યવાહીઓના પ્રભાવી ઢંગથી મુકાબલો કરવામાં આવ્યો છે. આનુપાતિક રૂપથી જવાબ આપવામાં આવ્યો છે.

India Pakistan News LIVE: અમે તણાવ વધારવા માગતા નથી : કર્નલ સોફિયા

ભારતીય સશસ્ત્ર દળ ઈચ્છે છે કે અમે કોઈ તણાવ વૃદ્ધી ઈચ્છતા નથી પરંતુ એ પાકિસ્તાની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.

India Pakistan News LIVE: ભારતે પાકિસ્તાન પર કર્યા સટીક હુમલા : વિંગ કમાંડર વ્યોમિકા સિંહ

વિંગ કમાંડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે એક ત્વરિત અને સુનિયોજિત પ્રક્રિયામાં ભારતીય સશસ્ત્ર દળોએ માત્ર ચિન્હિત સૈન્ય લક્ષ્યો પર સટીક હુમલો કર્યો છે. પાકિસ્તાને ભારતીય એસ-400 પ્રણાલીને નષ્ટ કરવા, સૂરત અને સિરસામાં હવાઈ અડ્ડોને નષ્ટ કરવાનો દાવો કરી સતત દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત-પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા ખોટા દાવાને સ્પષ્ટ રૂપથી નકારી કાઢ્યા છે.

India Pakistan News LIVE: રાજૌરીમાં પાકિસ્તાની ગોળીબારમાં થયું નુકસાન

વિદેશ સચિવ વિક્રમ મીસ્રીએ કહ્યું કે આજ સવારે પાકિસ્તાનના રાજૌરી શહેર પર ગોળીબારી કરી છે. જેમાં અધિક નાયાબ આયુક્ત રાજ કુમાર થાપાનું મોત થયું હતું. જેમાંથી રાજ્યમાં નાગરિકના મોત અને નુકસાન વધી શકે છે.

India Pakistan News LIVE: પાકિસ્તાને સ્કૂલ અને હોસ્પિટલને બનાવ્યા નિશાન : સોફિયા કુરૈશી

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને શ્રીનગર, અવંતીપુર અને ઉધમપુરમાં હવાઈ ઠેકાણા ઉપર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરોને નિશાના બનાવ્યા છે. એનાથી એકવાર ફરીથી નાગરિક પાયાના માળખા પર હુમલો કરવાની ગેરજવાબદારી ભરી પ્રવૃત્તિની જાણ થઈ છે.

India Pakistan News LIVE: નાગરિક વિમાનોની આડ લઈ રહ્યું છે પાકિસ્તાન

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે ચિતાનો વિષય એ રહ્યો છે કે પાકિસ્તાને નાગરિક વિમાનોની આડ લઈને ઈન્ટરનેશનલ હવાઈ માર્ગનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. જેનાથી તે પોતાની ગતિવધિઓ સંતાડે છે. પાકિસ્તાને અનેક ખોટા દાવા કર્યા છે એ બધા ખોટા છે.

India Pakistan News LIVE: પાકિસ્તાને લડાકૂ વિમાનોથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત તણાવ વધારવાની ગતિવિધીઓ કરી હી છે. તેના જવાબમાં ભારતે ડિફેન્ડ કરતા જવાબ આપ્યો હતો. આજે સવારે ફરીથી તણાવ વધારવાની કોશિશ કરી હતી. કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને હાઈસ્પીડ મિસાઈલથી પંજાબના એરબેસ સ્ટેશનને ઉડાવવાની કોશિશ કરી હતી. તેમના વિમાનોએ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી.

India Pakistan News LIVE: અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા: પ્રયાસ નિષ્ફળ બનાવાયો

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને પંજાબના અમૃતસરમાં બાયકર યિહા III કામિકાઝે ડ્રોન લોન્ચ કર્યા, જેનાથી પંજાબના રહેણાંક વિસ્તારો જોખમમાં મુકાયા. જોકે, આજે સવારે 5 વાગ્યે આર્મી એર ડિફેન્સ ગન દ્વારા આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, અને તેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો હતો, એમ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું. “ડ્રોનનો હેતુ નાગરિક વિસ્તારો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો હતો,”

India Pakistan News LIVE: પાકિસ્તાનની કાર્યવાહીને ઉશ્કેરણીજનક અને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે: MEA

એક ખાસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયે કહ્યું, “છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાનની કાર્યવાહીને ઉશ્કેરણીજનક અને ઉશ્કેરણીજનક તરીકે જોવામાં આવી રહી છે.

India Pakistan News LIVE: પઠાણકોટની બધી હોટલોને બંધ રાખવાનો આદેશ

પઠાણકોટ જિલ્લા વહીવટીતંત્રે બધી હોટલો બંધ રાખવા અને મહેમાનોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા જણાવ્યું છે.

India Pakistan News LIVE: હરિયાણાના સિરસા પર પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો

હરિયાણાના સિરસામાં ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, અને એરફોર્સ સ્ટેશન નજીકના ખેતરોમાં બે સ્થળોએ મિસાઇલ જેવી વસ્તુઓના અવશેષો મળી આવ્યા હતા. આ ત્યારે બન્યું જ્યારે હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રે અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પાકિસ્તાન સરહદી જિલ્લાઓ પર ડ્રોન હુમલા અને તોપમારો ચાલુ રાખે છે.

હરિયાણાના ત્રણ જિલ્લાઓ જેમાં પંચકુલા , અંબાલા અને પાણીપતનો સમાવેશ થાય છે, સાંજે 7 વાગ્યાથી સંપૂર્ણ અંધારપટ જોવા મળ્યો. સિરસાને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે અને શનિવારથી આગામી આદેશો સુધી સંપૂર્ણ અંધારપટનું પાલન કરવામાં આવશે.

India Pakistan News LIVE: ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના હુમલામાં S-400 મિસાઈલ સિસ્ટમનો નાશ થયાનો ઇનકાર કર્યો

ભારતીય લશ્કરી અધિકારીએ આજે ​​જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો દાવો કે JF-17 ફાઇટર જેટમાંથી છોડવામાં આવેલી તેની મિસાઇલોએ આદમપુરમાં ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરી દીધી હતી તે “ખોટો” છે. પાકિસ્તાનની એક સરકારી ટીવી ચેનલે અગાઉ અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાન વાયુસેનાની હાઇપરસોનિક મિસાઇલોએ આદમપુરમાં S-400 સિસ્ટમનો નાશ કર્યો હતો.

India Pakistan News LIVE: BSF જમ્મુએ પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો

BSF જમ્મુએ આજે ​​પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો.બીએસએફ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પાકિસ્તાને આજે જમ્મુ સેક્ટરમાં બીએસએફ ચોકીઓ પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેના જવાબમાં BSF એ વળતો હુમલો કર્યો, જેના કારણે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સની ચોકીઓ અને સંપત્તિઓને વ્યાપક નુકસાન થયું.

“બીએસએફ દ્વારા સિયાલકોટ જિલ્લાના લૂની ખાતે અખનૂર વિસ્તારની સામે આવેલા આતંકવાદી લોન્ચપેડને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. ભારતની સાર્વભૌમત્વની રક્ષા કરવાનો અમારો સંકલ્પ અટલ છે.”

India Pakistan News LIVE: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુમાં લોકો સાથે વાતચીત કરવા માટે બહાર નીકળ્યા

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જમ્મુ શહેરના લોકો સાથે વાતચીત કરી, જ્યાં પાકિસ્તાન દ્વારા રાતોરાત કરવામાં આવેલા ગોળીબારમાં અનેક ઘરો અને કારને નુકસાન થયું હતું.

Lazy Load Placeholder Image

India Pakistan News LIVE: યુએસ સેક્રેટરીએ પાકિસ્તાની સેના પ્રમુખ સાથે વાત કરી

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ શુક્રવારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે વાત કરી હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવા વિનંતી કરી હતી. વારંવાર યુદ્ધવિરામ ઉલ્લંઘન અને સરહદી જિલ્લાઓમાં ડ્રોન હુમલા શરૂ કરવાના પાકિસ્તાનના વારંવાર પ્રયાસો પછી નિયંત્રણ રેખા પર તણાવ વધી રહ્યો છે ત્યારે આ વાત સામે આવી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં સંઘર્ષ ટાળવા માટે રચનાત્મક વાટાઘાટો શરૂ કરવામાં પણ તેઓએ તેમની સહાયની ઓફર કરી છે. શુક્રવારે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે તણાવ “શક્ય તેટલી ઝડપથી” ઓછો થાય.

“રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું છે કે તેઓ આ તણાવને શક્ય તેટલી ઝડપથી ઓછો કરવા માંગે છે. તેઓ સમજે છે કે આ બે દેશો દાયકાઓથી એકબીજા સાથે વિરોધાભાસી રહ્યા છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં આવ્યા તે પહેલાં ઘણા સમય પહેલા,” વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું.

India Pakistan News LIVE: પશ્વિમી સીમાઓ પર સતત હુમલો કરી રહ્યું છે પાકિસ્તાન

રક્ષા અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા અને અન્ય હથિયારો સાથે આપણી પશ્વિમી સીમાઓ ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે. આવી જ ઘટનાઓ સવારે લગભગ 5 વાગ્યે અમૃતસરના આખા કેંટના ઉપર દુશ્મરના અનેક હિયારબંધ ડ્રોન ઉડતા દેખાયા હતા. આપણી વાયુ રક્ષા એકમોએ તરત જ દુશ્મનના ડ્રોન પર હુમલો કરી તેને નષ્ટ કરી હતી.

India Pakistan News LIVE: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના, બહુરાષ્ટ્રીય કંપનીઓને સુરક્ષા વધારવા જણાવ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે દક્ષિણ ગુજરાત પોલીસે શુક્રવારે 200 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાઈ દેખરેખ વધુ તીવ્ર બનાવીને માછીમાર સમુદાયને દરિયામાં ન જવાની સલાહ આપવાથી લઈને બહુરાષ્ટ્રીય કંપનીઓની ઓફિસોની મુલાકાત લેવા અને તેમને સુરક્ષા વધારવા અંગે માહિતી આપવા સુધીના અનેક પગલાં લીધા.

શુક્રવારે બપોરે, સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 6 રાજેશ પરમાર સાથે દરિયામાં ગયા, તમામ સલામતીના પગલાંનું પાલન કરીને દોઢ કલાક બોટમાં મુસાફરી કરી.

India Pakistan News LIVE: અધિક નાયબ કમિશનર સહિત ત્રણના મોત

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને રાજૌરીમાં પાકિસ્તાની ગોળીબારમાં રાજોરી અધિક નાયબ કમિશનર રાજકુમાર થાપાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત અન્ય બે નાગરિકોના પણ મોત થયા છે.

India Pakistan News LIVE: પઠાણકોટમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે.

India Pakistan News LIVE: સેના સવારે 10 વાગ્યે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે

શુક્રવારે પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેમને નિષ્ફળ બનાવ્યા હતા. આજે શનિવારે 10 વાગ્યે રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસકોન્ફરન્સ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ