Today News : પંજાબના ફિરોઝપુરમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો, એક પરિવાર ઇજાગ્રસ્ત

India-Pakistan tension : ઓપરેશન સિંદૂરથી રઘવાયા થયેલા પાકિસ્તાને સતત બીજા દિવસે રાત્રે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સતર્ક ભારતીય સૈન્યના જવાનોએ તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા

India-Pakistan tension : ઓપરેશન સિંદૂરથી રઘવાયા થયેલા પાકિસ્તાને સતત બીજા દિવસે રાત્રે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સતર્ક ભારતીય સૈન્યના જવાનોએ તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian Army, Operation Sindoor video,

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

India-Pakistan tension today News : ઓપરેશન સિંદૂરથી રઘવાયા થયેલા પાકિસ્તાને સતત બીજા દિવસે રાત્રે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સતર્ક ભારતીય સૈન્યના જવાનોએ તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બોર્ડર સાથે જોડાયેલા મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પંજાબના ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોને હુમલો કર્યો હતો. જેમાં એક પરિવાર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisment

પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કર્યું, "માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદ પર તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારે હાથ ધરેલા આગોતરા આયોજનની વિગતો મેળવી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રધાનમંત્રીએ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ વિગતો મેળવી, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં, જે પાકિસ્તાનની સરહદે છે."

જમ્મુના સાંબા સેક્ટરમાં BSFએ સાત આતંકવાદીઓને ઠાર માર્યા

શુક્રવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સે જણાવ્યું હતું કે તેણે જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત આતંકવાદીઓને ઠાર માર્યા છે, અને એક રેન્જર્સ ચોકીનો પણ નાશ કર્યો છે. સર્વેલન્સ ગ્રીડ દ્વારા આતંકવાદીઓના "મોટા જૂથ" ને શોધી કાઢવામાં આવ્યા બાદ 8-9 મેની રાત્રે સાંબા સેક્ટરમાં આ ઘટના બની હતી.

નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં લોકોએ આખી રાત વિસ્ફોટોના અવાજો સાંભળ્યા. પંજાબ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. પંજાબમાં અમૃતસર, જલંધર, ગુરદાસપુર, તરનતારન, હોશિયારપુર, પઠાણકોટ, ફિરોઝપુર, ફાઝિલ્કા અને ચંદીગઢમાં જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હરિયાણાના મોહાલી અને પડોશી પંચકુલામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું. કુપવાડા, પૂંછ, રાજૌરી અને બારામુલા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ ભારતે જોરદાર જવાબ આપ્યો.

Advertisment

સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 7-8 મે 2025 ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાન તરફથી જમ્મુના સતવારી, સાંબા, આર.એસ.પુરા અને અરનિયા શહેરો પર આઠ મિસાઇલો છોડવામાં આવી હતી. આ પહેલા પાકિસ્તાને બુધવારે રાત્રે પણ ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • May 09, 2025 23:29 IST

    India Pakistan News LIVE: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં

    ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી કરવાના અમેરિકાના પ્રયાસો અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે આ એવી બાબત છે જેમાં અમારા વિદેશ મંત્રી અને NSA પણ સામેલ છે. રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું છે કે તેઓ ઇચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય. તેઓ સમજે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં આવ્યા તે પહેલાં, આ બંને દેશો દાયકાઓથી એકબીજા સાથે મતભેદમાં રહ્યા છે. જોકે બંને દેશોના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે, આ સંઘર્ષને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



  • May 09, 2025 22:45 IST

    India Pakistan News LIVE: ડ્રોન હુમલામાં ફિરોઝપુરમાં એક પરિવાર ઇજાગ્રસ્ત

    — ANI_HindiNews (@AHindinews) May 9, 2025



  • May 09, 2025 22:39 IST

    India Pakistan News LIVE: પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ દિલ્હી પહોંચી

    પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ જાલંધરથી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશન પહોંચી.

    — ANI_HindiNews (@AHindinews) May 9, 2025



  • May 09, 2025 22:27 IST

    India Pakistan News LIVE: ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન હુમલો

    પંજાબ: ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોને હુમલો કર્યો. જેમાં એક પરિવાર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



  • May 09, 2025 21:45 IST

    India Pakistan News LIVE: જમ્મુ કાશ્મીર : સાંબામાં ભારે ગોળીબારી અને વિસ્ફોટના અવાજ સંભળાયા

    watch जम्मू-कश्मीर: सांबा में भारी गोलाबारी और विस्फोटों की आवाजें सुनी गई।

    वीडियो वर्तमान समयानुसार नहीं है। pic.twitter.com/LojAMieLQF
    — ANI_HindiNews (@AHindinews) May 9, 2025



  • May 09, 2025 21:05 IST

    India Pakistan News LIVE: પંજાબના ફિરોઝપુરમાં સાયરન અને વિસ્ફોટોના અવાજો

    પંજાબ: ફિરોઝપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને સાયરન અને વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) May 9, 2025



  • May 09, 2025 20:33 IST

    India Pakistan News LIVE: 15 મે સુધી દેશના 24 એરપોર્ટને બંધ કરવોનો ભારત સરકારનો નિર્ણય

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે 15 મે સુધી દેશના 24 એરપોર્ટને બંધ કરવોનો નિર્ણય કર્યો છે. તેમાં સીમાવર્તીના એરપોર્ટ સામેલ છે. જે રીતે આકાશમાં ડ્રોન હુમલા થઇ રહ્યા છે સાવધાની રાખતા આ નિર્ણય કરાયો છે.



  • May 09, 2025 20:05 IST

    India Pakistan News LIVE: રાજ્યમાં તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક રદ કરાઈ

    ભારત-પાક વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે. સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે, હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર પાછા ફરે. વધુમાં અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવાની સૂચના આપવામાં આવી છે.



  • May 09, 2025 18:55 IST

    India Pakistan News LIVE: સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું - નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓનો શિકાર ન બને

    સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે મજબૂત વ્યવસ્થા કરવા વહીવટીતંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. દરેક જિલ્લા કલેક્ટરને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવા માટે ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહખોરી કે કાળાબજારને રોકવા માટે, તમામ વિક્રેતાઓ, છૂટક વેપારીઓ, પ્રોસેસરો, મિલરો અને આયાતકારોને જરૂરી કાનૂની જોગવાઈઓનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે. નાગરિકોને નમ્ર વિનંતી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓનો શિકાર ન બને અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રમાં વિશ્વાસ રાખે અને સંપૂર્ણ સહયોગ આપે.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025



  • May 09, 2025 17:54 IST

    કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું - પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો

    કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જવાબ આપ્યો અને ડ્રોન કાઉન્ટર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી અભિયાન માટે મોટો આંચકો છે.



  • May 09, 2025 17:44 IST

    પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું - પાકિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા

    વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર કર્યો હતો. ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. તંગધાર, ઉરી અને ઉધરપુરમાં ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે. તેમણે તસવીર બતાવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે. કિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા.



  • May 09, 2025 16:21 IST

    India Pakistan News LIVE: સીએમ માને કહ્યું - પંજાબમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસ સિલિન્ડરની કોઈ અછત રહેશે નહીં

    પંજાબના સીએમ ભગવંત માનએ કહ્યું કે પંજાબમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસ સિલિન્ડરની કોઈ અછત રહેશે નહીં. જો કોઈ કાળાબજારી કરી રહ્યું છે અથવા કોઈ વસ્તુ વધુ કિંમતે વેચી રહ્યું છે, તો પોલીસમાં ફરિયાદ કરો. કોઈએ ગભરાવાની જરૂર નથી.

    — ANI_HindiNews (@AHindinews) May 9, 2025



  • May 09, 2025 15:09 IST

    India Pakistan News LIVE: પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને ફોન કર્યો

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કર્યું, "માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદ પર તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારે હાથ ધરેલા આગોતરા આયોજનની વિગતો મેળવી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રધાનમંત્રીએ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ વિગતો મેળવી, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં, જે પાકિસ્તાનની સરહદે છે."



  • May 09, 2025 12:53 IST

    India Pakistan News LIVE: ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે IPL સ્થગિત થવાની શક્યતા

    સરહદ પર વધતા તણાવને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ સ્થગિત થવાની સંભાવના છે. ઇન્ડિયન એક્સપ્રેસ સમજે છે કે આ અંગે સત્તાવાર પુષ્ટિ ટૂંક સમયમાં થશે, ભારત સરકાર સાથે પરામર્શ કર્યા પછી, BCCI માને છે કે ટુર્નામેન્ટ આગળ વધારવા માટે યોગ્ય સમય નથી અને ખેલાડીઓની સલામતી સાથે ચેડા ન થાય તેની ખાતરી કરવા માંગે છે.



  • May 09, 2025 11:57 IST

    India Pakistan News LIVE: જમ્મુના સાંબા સેક્ટરમાં BSFએ સાત આતંકવાદીઓને ઠાર માર્યા

    શુક્રવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સે જણાવ્યું હતું કે તેણે જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત આતંકવાદીઓને ઠાર માર્યા છે, અને એક રેન્જર્સ ચોકીનો પણ નાશ કર્યો છે. સર્વેલન્સ ગ્રીડ દ્વારા આતંકવાદીઓના "મોટા જૂથ" ને શોધી કાઢવામાં આવ્યા બાદ 8-9 મેની રાત્રે સાંબા સેક્ટરમાં આ ઘટના બની હતી.

    — DD News (@DDNewslive) May 9, 2025

    https://platform.twitter.com/widgets.js



  • May 09, 2025 11:17 IST

    India Pakistan News LIVE: વિદેશ મંત્રાલય આજે મીડિયાને માહિતી આપશે

    ભારતે ગુરુવારે રાત્રે પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યાના કલાકો પછી, આજે, શુક્રવારે વિદેશ મંત્રાલય મીડિયાને માહિતી આપશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભારત દ્વારા બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવતા ઓપરેશન સિંદૂર શરૂ કર્યાના એક દિવસ પછી થયો હતો.



  • May 09, 2025 10:31 IST

    India Pakistan News LIVE: ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ચીને આપ્યું નિવેદન

    ભારત-પાકિસ્તાન તણાવ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ગઈકાલે કહ્યું હતું કે, "અમે ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિ પર ચીનનું વલણ શેર કર્યું હતું. ચીન વર્તમાન વિકાસ અંગે ચિંતિત છે. ભારત અને પાકિસ્તાન હંમેશા એકબીજાના પાડોશી છે અને રહેશે. તેઓ બંને ચીનના પડોશી પણ છે."



  • May 09, 2025 10:03 IST

    India Pakistan News LIVE: એરપોર્ટ પર સુરક્ષાના પગલાંમાં વધારો

    ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા તણાવને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધને કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, પરંતુ દેશભરમાં મોટાભાગની ફ્લાઇટ્સ સામાન્ય રીતે કાર્યરત છે.

    DIAL એ શુક્રવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે "દિલ્હી એરપોર્ટની કામગીરી સામાન્ય રહે છે. જોકે, બદલાતી એરસ્પેસ પરિસ્થિતિઓ અને વધેલા સુરક્ષા પગલાંને કારણે કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ પર અસર પડી શકે છે,".



  • May 09, 2025 10:02 IST

    India Pakistan News LIVE: પાકિસ્તાન તરફથી ગોળીબારમાં એકનું મોત, ચાર ઘાયલ

    ગુરુવારે સાંજે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું અને તેના પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. ગુરુવારે કાશ્મીરમાં આ ઘટના બની હતી, કારણ કે પાકિસ્તાને કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના અનેક સરહદી જિલ્લાઓમાં નિયંત્રણ રેખા (LoC) પર ભારે તોપમારો ચાલુ રાખ્યો હતો.



  • May 09, 2025 09:52 IST

    India Pakistan Attack LIVE: સવારે જમ્મુના સતવારીમાં પાકિસ્તાને ફરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો

    જમ્મુ અને કાશ્મીર: જમ્મુથી સવારના દ્રશ્યો, જ્યાં પરિસ્થિતિ સામાન્ય છે. ભારતીય વાયુ સંરક્ષણ એકમોએ આખી રાત પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને અટકાવ્યા.

    — ANI (@ANI) May 9, 2025



  • May 09, 2025 09:50 IST

    India Pakistan Attack LIVE: લેહમાં 12 મે સુધી શાળાઓ બંધ

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેહ વહીવટીતંત્રે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને 9 અને 10 મેના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે. બંને દેશો વચ્ચે સંપૂર્ણ લશ્કરી સંઘર્ષની આશંકા વચ્ચે તણાવ વધી રહ્યો હોવા છતાં, ગુરુવારે રાત્રે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને અન્ય કેટલાક સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. લેહના ડેપ્યુટી કમિશનર સંતોષ સુખદેવાએ જણાવ્યું હતું કે, "લેહ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આગામી બે દિવસ સુધી બંધ રહેશે." તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.



  • May 09, 2025 09:49 IST

    Today news live : પાકિસ્તાનના બધા જ પ્લાન નિષ્ફળ, CDS અને સેના પ્રમુખ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયમાં એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સીડીએસ ઉપરાંત, ત્રણેય સેનાના વડાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં પાકિસ્તાનના હુમલાઓ અંગે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.



  • May 09, 2025 09:46 IST

    Today news live : સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, શેરબજારમાં વેચવાલીનું દબાણ

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તૂટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80334 સામે મોટા ઘટાડે આજે 78968 ખુલ્યો હતો. મોટાભાગના બ્લુ ચીપ શેરમાં ઘટાડાથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઘટીને 79730 લેવલની સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેરમાં પાવરગ્રીડ અઢી ટકા, એલ્ટ્રાટેક સિમેન્ટ 1.6 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને એચસીએલ ટેક કંપનીના શેર 1 થી દોઢ ટકા ડાઉન હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24273 સામે આજે 23935 ખુલ્યો હતો. હાલ 160 પોઇન્ટના ઘટાડે 24100 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 440 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 300 પોઇન્ટ ડાઉન હતા. સંભવિત ભારત પાકિસ્તાન યુદ્ધની ગભરાટથી શેરબજારમાં વેચવાલીનું દબાણ છે.



  • May 09, 2025 09:46 IST

    Today news live : લાહોરમાં ભારતીય સેનાએ બતાવ્યું શૌર્ય, હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ

    7-8 મેની રાત્રે, પાકિસ્તાને ભારતના ૧૫ શહેરોમાં લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને કોઈ સફળતા મળી નહીં. આ પછી, પાકિસ્તાનમાં ભારતીય સેનાના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા અને તેના ઘણા શહેરોમાં વિસ્ફોટ થયા. સેના અને વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય હુમલામાં પાકિસ્તાનના લાહોરમાં પાકિસ્તાની સેનાની હવાઈ સંરક્ષણ પ્રણાલી નાશ પામી છે.



  • May 09, 2025 08:56 IST

    Today news live : ભારતીય સેનાએ ઇન્ટરસેપ્ટેડ ડ્રોન હુમલાના વિઝ્યુઅલ્સ જાહેર કર્યા

    ભારતીય સેનાના એક્સ હેન્ડલે પોસ્ટ કર્યું, "પાકિસ્તાન સશસ્ત્ર દળોએ 08 અને 09 મે 2025 ની મધ્યરાત્રિએ સમગ્ર પશ્ચિમ સરહદ પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને અનેક હુમલાઓ શરૂ કર્યા. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક યુદ્ધવિરામ ઉલ્લંઘન (CFV) પણ કર્યા. ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને CFV ને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો."

    — ADG PI - INDIAN ARMY (@adgpi) May 9, 2025



  • May 09, 2025 08:53 IST

    Today news live : BSF એ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

    X પરની એક પોસ્ટમાં, BSF જમ્મુએ લખ્યું, “8 મે 2025 ના રોજ લગભગ 2300 વાગ્યે, BSF એ J&K ના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.” આ તે જ સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને ભારતીય સરહદી જિલ્લાઓ પર અનેક ડ્રોન અને મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા હતા, જેમાં ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.



  • May 09, 2025 07:25 IST

    Today news live : આપણી સેના યોગ્ય જવાબ આપી રહી છે

    જમ્મુ અને કાશ્મીરના એક સ્થાનિકે કહ્યું, "ગઈ રાત્રે જ્યારે અમે જમવાનું શરૂ કર્યું, ત્યારે અમને કેટલાક વિસ્ફોટો સાંભળવા મળ્યા... સવારે લગભગ 4:30 વાગ્યે, ફરીથી વિસ્ફોટો સંભળાયા પરંતુ અમારા સુરક્ષા દળોએ તેમને નિષ્ક્રિય કરી દીધા. ચિંતા કરવાની કોઈ વાત નથી. અમારા સુરક્ષા દળો સતર્ક છે... અમારી સેના યોગ્ય જવાબ આપી રહી છે અને અમને તેમના પર ગર્વ છે."



  • May 09, 2025 07:24 IST

    Today news live : રાજસ્થાનમાં તમામ સરકારી કર્મચારીઓની રજા રદ

    રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સૂચનાઓ આપી. મુખ્યમંત્રીએ તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવા અને તેમને મુખ્યાલયમાં રિપોર્ટ કરવા કહેવાનો પણ નિર્દેશ આપ્યો.



  • May 09, 2025 07:23 IST

    Today news live : જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિનો તાગ મેળવવા રવાના

    જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જમ્મુ જઈ રહ્યા છે.



  • May 09, 2025 07:22 IST

    Today news live : આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો

    જમ્મુ અને કાશ્મીરના એક સ્થાનિકે જણાવ્યું, "...ગઈકાલે રાત્રે સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ ડ્રોન ઉડવા લાગ્યા અને આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો. આપણી સેના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહી છે. અમને આપણા વડા પ્રધાન અને આપણી સેના પર વિશ્વાસ છે. આપણી સેનાએ બધા ડ્રોનને નિષ્ક્રિય કર્યા. અમને આપણા દેશ પર ગર્વ છે. સરહદની નજીક તણાવ છે પરંતુ બાકીના સ્થળો સુરક્ષિત છે."



ભારત પાકિસ્તાન સંઘર્ષ એર સ્ટ્રાઈક Indian army પાકિસ્તાન india વિશ્વ દેશ