/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Rajnath-Singh.jpg)
Rajnath Singh : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (તસવીર: ajnathsingh/X)
India Pakistan Tension Today News Update: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું છે. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ બ્રહ્મોસ મિસાઇસ 290 થી 400 કિમી રેન્જ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ દ્વારા ભારતે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે.
રવિવારે સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં રવિવારને 11 મે ના રોજ સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 2.83 ઇંચ (72 મીમી ) વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
- May 11, 2025 23:03 IST
રાજસ્થાનના બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ વચ્ચે સાયરનનો અવાજ સંભળાયા
રાજસ્થાનના બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ વચ્ચે સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે.
watch | राजस्थान: बाड़मेर में पूरी तरह से ब्लैकआउट के बीच एहतियाती सायरन की आवाज़ सुनी जा सकती है।
(वीडियो वर्तमान समयानुसार नहीं है।) pic.twitter.com/AJlgsbX06V— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
- May 11, 2025 18:51 IST
DGMO એ કહ્યું - અમે 100 આતંકવાદીઓને ઠાર કર્યા
ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સાથેના તણાવ અંગે ત્રણેય સેનાની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદી ઠેકાણાને ઉડાવી દેવાના પુરાવા પણ બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યુસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે.
- May 11, 2025 17:18 IST
સાંજે 6.30 કલાકે ત્રણેય સેનાના ડીજીએમઓ પ્રેસ બ્રીફિંગ કરશે
આજે સાંજે 6:30 વાગ્યે ત્રણેય સેનાઓ- ભારતીય સેના, ભારતીય નૌ સેના અને ભારતીય વાયુસેનાના સૈન્ય સંચાલન મહાનિર્દેશક દ્વારા મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે.
- May 11, 2025 14:36 IST
સેનાએ જેસલમેરમાં પાકિસ્તાનની મિસાઇલને નિષ્ક્રિય કરી
રાજસ્થાનના જેસલમેરમાં એક ખેતરમાં આવી પડેલી પાકિસ્તાની મિસાઇલને નિષ્ક્રિય કરી છે. આ મિસાઇલ ગઇ કાલે એક ખેતર માંથી મળી આવી હતી.
watch राजस्थान: सुरक्षा बलों ने जैसलमेर के एक खेत में गिरी एक मिसाइल को निष्क्रिय कर दिया, जिसे कल बरामद किया गया था। pic.twitter.com/vsKiXS6ibu
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
- May 11, 2025 14:32 IST
શહીદ BSF સૈનિક મોહમ્મદ ઇમ્તિયાઝને અંતિમ શ્રદ્ધાંજલી
પાકિસ્તાન સરહદ પારથી ગોળીબારમાં શહીદ થનાર બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી.
watch जम्मू, जम्मू-कश्मीर: सीमा पार से गोलीबारी में जान गंवाने वाले BSF सब-इंस्पेक्टर मोहम्मद इम्तियाज को जम्मू-कश्मीर के उपराज्यपाल मनोज सिन्हा ने अंतिम श्रद्धांजलि दी। pic.twitter.com/SyhJuQOSu1
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
- May 11, 2025 13:38 IST
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું છે. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ બ્રહ્મોસ મિસાઇસ 290 થી 400 કિમી રેન્જ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ દ્વારા ભારતે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે.
watch दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए लखनऊ में ब्रह्मोस एयरोस्पेस एकीकरण और परीक्षण सुविधा का उद्घाटन किया। pic.twitter.com/SWV49IEgnn
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
- May 11, 2025 11:09 IST
PM મોદી સાથે ત્રણેય સેના પ્રમુખની બેઠક, ડોભાલ અને રક્ષા મંત્રી પણ સામેલ
ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને સેના પ્રમુખ સાથે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ, દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ અને સીડીએસ અમિત ચૌહાણ હાજર છે. નોંધનિય છે કે, શનિવારે સાંજે 5 વાગે યુદ્ધવિરામની ઘોષણા બાદ રાતે 8 વાગે પાકિસ્તાને હુમલા કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
watch दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने 7, LKM में एक बैठक की अध्यक्षता की। बैठक में रक्षा मंत्री राजनाथ सिंह, विदेश मंत्री डॉ. एस जयशंकर, एनएसए अजीत डोभाल, सीडीएस, तीनों सेनाओं के प्रमुख मौजूद रहे। pic.twitter.com/rHtCmisrX6
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
- May 11, 2025 09:25 IST
11 વાગે રક્ષા મંત્રાલયની પ્રેસ બ્રિફિંગ, વર્તમાન સ્થિતિની જાણકારી આપશે
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ જમ્મુ કાશ્મીર સહિત ઘણા વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. આ દરમિયાન રક્ષા મંત્રાલય 11 વાગે પ્રેસ બ્રિફિંગ કરશે. જેમા પ્રવર્તમાન સ્થિતિ વિશે સરકાર જાણકારી આપશે.
- May 11, 2025 08:03 IST
ચિનાબ નદીના સલાલ ડેમમાંથી પાણી છોડાયું
ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ દરમિયાન ચીનાબ નદી પર બાંધવામાં આવેલા સલાલ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે. સલાલ ડેમના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા છે.
watch रियासी, जम्मू-कश्मीर: वीडियो चेनाब नदी पर बने सलाल बांध से है। बांध के कई गेट खुले हुए दिखाई दे रहे हैं।
(वीडियो सुबह 6:30 बजे शूट किया गया है।) pic.twitter.com/mbJjktkFWK— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
- May 11, 2025 08:00 IST
જમ્મુ કાશ્મીરના રાજોરી અને પુંછમાં સ્થિતિ સામાન્ય
જમ્મુ કાશ્મીરના રાજોરીમાં સ્થિતિ સામાન્ય દેખાઇ રહી છે. રાતે કોઇ ડ્રોન, ગોળીબાર કે હુમલાની જાણકારી મળી નથી. તેવી જ રીતે પુંછ જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય દેખાય છે.
watch जम्मू-कश्मीर: पुंछ में स्थिति सामान्य दिख रही है। रात भर किसी ड्रोन, गोलीबारी या गोलाबारी की खबर नहीं मिली। pic.twitter.com/ZmA6oS29NU
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us