ગુજરાત, કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં યોજાનારી મોકડ્રીલ સ્થગિત

Mock Drill News: કેન્દ્ર સરકારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીર, ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં મોકડ્રીલ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે બાદમાં.આ મોકડ્રીલ સ્થગિત રખાઇ છે

Written by Ashish Goyal
Updated : May 29, 2025 00:09 IST
ગુજરાત, કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં યોજાનારી મોકડ્રીલ સ્થગિત
Mock Drill : મોકડ્રીલ દરમિયાન સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સજાગ કરવામાં આવી રહ્યા છે (ANI)

Mock Drill News: કેન્દ્ર સરકારે દ્વારા જમ્મુ-કાશ્મીર, ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં મોકડ્રીલ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે આ મોકડ્રીલ સ્થગિત રાખવામાં આવી છે . ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા આવતીકાલની મોકડ્રિલ સ્થગિત રાખવામાં આવી છે. વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે.

છેલ્લી મોકડ્રીલ દરમિયાન શું થયું?

હવે આપણી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે ફરીથી મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. આ પહેલા 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા 6 મે ની રાત્રે સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાઓનો સફાયો કરી દેવામાં આવ્યો. લશ્કરથી જૈશ સુધીના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

ઓપરેશન સિંદૂરથી શું મળ્યું?

ભારત સરકારે આપેલી માહિતી મુજબ ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. મુરીદકે અને બહાવલપુરમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી હતી અને તેના દ્વારા અઝહર મસુદ અને હાફિઝ સઈદને સીધી ચોટ પહોંચાડી હતી. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો. સતત બે દિવસની રાત્રે તેમણે સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાનનો ડ્રોન હુમલો

એ વાત અલગ હતી કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનમાંથી ડ્રોનને નષ્ટ કરી દીધા હતા અને બાદમાં વાયુસેનાએ પાકિસ્તાનના ઘણા એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સરકારને આ તણાવમાંથી બોધપાઠ પણ મળ્યો કે લોકોને જાગૃત કરવા જરૂરી છે, યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે. આ કારણોસર હવે ફરી આ મોકડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે 3 સરકારોએ સાથે મળીને કામ કરવાની જરૂર

શું છે મોકડ્રીલ?

મોકડ્રીલ એ એક પ્રકારનો અભ્યાસ છે, જે દરમિયાન લોકોને કટોકટી માટે તૈયાર કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને આગ, ભૂકંપ, તબીબી કે આતંકવાદી હુમલા જેવી કટોકટી માટે તૈયાર કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન એ જોવામાં આવે છે કે ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન લોકોની પ્રતિક્રિયા કેવી રહેવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ