Water Crisis : પાણીની અછતને બદલે તેના બગાડ વિશે વિચારવું જરૂરી છે, માત્ર સરકાર પર આરોપો કરવા બેઈમાની છે

Water Crisis : દિલ્હી સહિત ભારતમાં ઉનાળામાં અનેક સ્થળોએ જળ સંકટની સમસ્યા વધી રહી છે, માત્ર સરકાર પર આરોપો લગાવવાને બદલે ભવિષ્યની પેઢી માટે પાણીનો બગાડ ન કરવાનું પણ વિચાવું એટલું જ જરૂરી છે.

Water Crisis : દિલ્હી સહિત ભારતમાં ઉનાળામાં અનેક સ્થળોએ જળ સંકટની સમસ્યા વધી રહી છે, માત્ર સરકાર પર આરોપો લગાવવાને બદલે ભવિષ્યની પેઢી માટે પાણીનો બગાડ ન કરવાનું પણ વિચાવું એટલું જ જરૂરી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
water crisis

જળ સંકટ, લોકો રોજ 30 ટકા પાણી બરબાદ કરે છે (ફોટો - એક્સપ્રેસ)

Water Crisis Delhi, સુધાંશુ મહેશ્વરી : રાજધાની દિલ્હીમાં હાલમાં જળ સંકટ વધી રહ્યું છે. લોકો પાણીના એક-એક ટીપા માટે તલપાપડ છે, ટેન્કરો આવતા જ લડાઈ શરૂ થઈ રહી છે, રાજકારણ પણ ચરમસીમાએ પહોંચી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીમાં આવી સ્થિતિ જોવી પડશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. પરંતુ અત્યારે દિલ્હીને જોઈએ તેટલું પાણી નથી મળી રહ્યું. રાજધાનીને કુલ ત્રણ સ્થળોએથી પાણી મળે છે - હરિયાણાની યમુના નદી, યુપીની ગંગા નદી અને પંજાબની ભાકરા નાંગલથી.

Advertisment

દિલ્હી ત્રણ દાયકાથી પરેશાન

પરંતુ વધતી ગરમીને કારણે પાણીની માંગ પણ વધી રહી છે, વોટર બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીને દરરોજ 129 કરોડ ગેલન પાણીની જરૂર છે. દિલ્હીમાં આ પુરવઠાને પહોંચી વળવા માટે વધુ પાણી નથી હવે, ભૂગર્ભ જળ સ્તર નોંધપાત્ર રીતે નીચે ગયું છે. તેના કારણે પણ અન્ય રાજ્યો પર નિર્ભરતા વધી રહી છે. નવાઈની વાત એ છે કે, દિલ્હીનું જળ સંકટ તાજેતરનું નથી, ત્રણ દાયકા જૂનું છે. મતલબ કે, આટલા વર્ષો પછી પણ કોઈ સરકાર આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી શકી નથી.

બેંગલુરુ પણ પાણી માટે તલપાપડ છે

એ પણ સમજવા જેવું છે કે, આ પ્રકારનું જળ સંકટ એકલા દિલ્હીમાં જોવા નથી મળી રહ્યું, બલ્કે દેશના અનેક મહાનગરોમાં આવી જ સ્થિતિ સર્જાઈ છે. ઉનાળાના આગમનની સાથે જ વહીવટી વ્યવસ્થાઓ ઠપ થઈ જાય છે અને સામાન્ય જનતા પાણી માટે વલખા મારવા લાગે છે. આ વર્ષે બેંગલુરુમાં પણ પાણીની તંગીને કોઈ ભૂલી શક્યું નથી. બેંગલુરુને કાવેરી નદીમાંથી 145 કરોડ લિટર પાણી મળે છે, 60 કરોડ લિટર બાની બોરવેલમાંથી આવે છે. હવે આ બંને સ્ત્રોત સુકાઈ રહ્યા છે અને આઈટી હબમાં હોબાળો મચી ગયો છે. આ પ્રકારની સ્થિતિએ દરેકને ચિંતામાં મૂકી દીધા છે, બાળપણમાં એક સમયે પુસ્તકોમાં ચોક્કસપણે શીખવવામાં આવ્યું હતું કે, આવનારા વર્ષોમાં પાણીની કટોકટી આવશે, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે, આપણે આટલી જલ્દી તેનો સામનો કરવો પડશે.

પાણીનો બગાડ પણ એક મોટી સમસ્યા છે

ઘણા અહેવાલો દર્શાવે છે કે, ભારતમાં પાણીની અછત છે, સ્વચ્છ પાણીની વધુ અછત છે અને તેથી પણ વધુ, તેના બગાડને કારણે જમીન પર પરિસ્થિતિ વિસ્ફોટક બની છે. સરકારો પર આરોપો લગાવવા સહેલી વાત છે, તેમની જવાબદારી છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ આ જળસંકટ માત્ર તેમના સમર્થનથી ખતમ થઈ શકે તેમ નથી. સવા સો કરોડની આ વસ્તી દરાવતા દેશમાં જળસંકટ માત્ર ઓછા પાણીને કારણે નથી, પરંતુ જે રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે, તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

Advertisment

તમે અને હું કેવી રીતે જવાબદાર?

ડાઉન અર્થના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 33 ટકા લોકો એવા છે કે, જેઓ નહાતી વખતે અથવા દાંત સાફ કરતી વખતે પાણીના નળ ખુલ્લા છોડી દે છે. જેના કારણે ટૂંકા ગાળામાં પણ ઘણું પાણી વેડફાય છે. અન્ય એક અહેવાલ દર્શાવે છે કે, માણસો એક દિવસમાં જે પાણી વાપરે છે, તેમાંથી 30 ટકા પાણી માત્ર વેડફાય છે. ત્યાં પણ 27 ટકા પાણીનો ઉપયોગ માત્ર નહાવા અને શૌચાલય માટે થઈ રહ્યો છે. તો, જો ઘરનો નળ લીક થતો હોય, તો દરરોજ એક લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો - ભાજપ અને આરએસએસ વચ્ચે તિરાડ? મોહન ભાગવતના હિન્દુત્વને પડકારી રહ્યા છે પીએમ મોદી?

સૌથી મોટી ભૂલ ક્યાં થઈ?

નવાઈની વાત તો એ છે કે, ટોઈલેટ ફ્લશ કરીને દરરોજ 25 લીટર પાણી વેડફાઈ રહ્યું છે. જો આપણે માત્ર આંકડાની વાત કરીએ તો, ભારતમાં દરરોજ 4,84,20,000 કરોડ ઘનમીટર પાણીનો માત્ર બગાડ થઈ રહ્યો છે, અને તે પણ ત્યારે જ્આરે 600 મિલિયન લોકો એવા છે જે શુદ્ધ પાણી માટે તરસી રહ્યા છે. બેદરકારીની હદ એટલી વધી ગઈ છે કે, દર ત્રીજો ભારતીય પોતાના ઘરમાં પાણીનો નળ ખુલ્લો મૂકી દે છે, તે દર મિનિટે પાંચ લીટર પાણી વેડફી રહ્યો છે, શાવર દ્વારા પણ પ્રતિ મિનિટ 10 લીટર પાણી વેડફાઈ રહ્યું છે.

દિલ્હી ઉનાળો એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ