ઓપરેશન સિંદૂર : ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આ આતંકી અડ્ડાને બનાવ્યા નિશાન

Operation Sindoor Full List : ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનમાં કયા કયા સ્થળોને નિશાન બનાવ્યા છે

Operation Sindoor Full List : ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનમાં કયા કયા સ્થળોને નિશાન બનાવ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Operation Sindoor, Sindoor Operation

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે

Indian Army Strike : પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે 6-7 મે ની રાત્રે પાકિસ્તાનમાં જોરદાર સ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં જબરદસ્ત ગભરાટનો માહોલ છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનમાં કયા કયા સ્થળોને નિશાન બનાવ્યા છે.

Advertisment

ભારતીય સેનાએ નવ સ્થળોએ એર સ્ટ્રાઇક કરી

ભારતીય સેનાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન અને પીઓકેમાં મરકઝ સુભાન અલ્લાહ- બહાવલપુર, મરકઝ તૈયબા- મુરીદકે, સરજાલ/તેહરા કલાં, મહમૂદ જોયા ફેસિલિટી-સિયાલકોટ, મરકઝ અહલે હદીસ બરનાલા- ભીમબેર, મરકઝ અબ્બાસ- કોટલી, મસ્કર રાહીલ શાહિદ-કોટલી અને મુઝફ્ફરાબાદમાં શાવઇ નાલા કૈમ અને મરકઝ સૈયદના બિલાલ છે.

ભારતીય સેનાએ કહ્યું છે કે જે નવ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પીઓકેમાં હતા.

Advertisment

ઓપરેશન સિંદૂરમાં ભારતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા નવ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો - પાકિસ્તાન પર હુમલા બાદ ભારતે ‘બાહુબલી’ તરીકે ઓળખાતી S-400 સિસ્ટમ એક્ટિવ કરી, જાણો વિશેષતા

પાકિસ્તાની ગોળીબારમાં ત્રણનાં મોત

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા પારથી ભારે ગોળીબાર કર્યો હતો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ નાગરિકો માર્યા ગયા છે.

એર સ્ટ્રાઈક ઓપરેશન સિંદૂર પાકિસ્તાન india જમ્મુ અને કાશ્મીર