Train Fare Hike : ટ્રેન મુસાફરી મોંઘી થઇ, રેલવે 26 ડિસેમ્બરથી ટ્રેન ભાડા વધાર્યા, જુઓ નવા ટિકિટ દર

Indian Railways Train Fare Hike : રેલવે દ્વારા 26 ડિસેમ્બરથી ટ્રેનના ટિકિટ ભાડા વધાર્યા છે.મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના એસી અને નોન એસી કોચ ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કર્યો છે.

Indian Railways Train Fare Hike : રેલવે દ્વારા 26 ડિસેમ્બરથી ટ્રેનના ટિકિટ ભાડા વધાર્યા છે.મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના એસી અને નોન એસી કોચ ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કર્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
indian railways | train | indian railways rules | trains news | Train Ticket fare | Train Ticket rules

Indian Railways : ભારતીય રેલવે. (Photo: Freepik)

Indian Railways Train Fare Hike : ટ્રેનમાં મુસાફરી મોંઘી થઇ છે. ભારતીય રેલવે વિભાગે ટ્રેનનું ભાડું વધાર્યું છે. ટ્રેનના નવા ભાડા 26 ડિસેમ્બર, 2025ના રોજ લાગુ થશે. રેલવે વિભાગે 26 ડિસેમ્બર 2025થી નવા ભાડા સિસ્ટમ લાગ કરવાની ઘોષણા કરી છે. જે મુજબ, જનરલ કોચમાં 215 કિમી સુધીની મુસાફરી પર કોઇ ભાડું વધશે નહીં. 215 કિમી થી વધુની ટ્રેન મુસાફરી પર જનરલ કોચમાં પ્રતિ કિમી 1 પૈસા ભાડું વધારવામાં આવ્યું છે.

Advertisment

ટ્રેન ટિકિટ કેટલી મોંઘી થઇ?

રેલવેના નવા ટિકિટ દર મુજબ 215 કિલોમીટરથી વધુનું અંતર કાપતા મુસાફરો માટે ભાડું વધારવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ ઓર્ડિનર કોચમાં પ્રતિ કિલોમીટર દીઠ એક પૈસા વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મેલ-એક્સપ્રેસ, નોન-એસી અને એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર બે પૈસા વધારવામાં આવ્યા છે.

ટ્રેન ટિકિટ દરમાં વધારાને આપણે ઉદાહરણ સાથે સમજીએ તો અત્યારે દિલ્હીથી પટનાનું અંતર લગભગ 1000 કિલોમીટર છે અને થર્ડ એસી કોચનું ભાડું લગભગ 2,395 રૂપિયાની આસપાસ છે. પરંતુ 26 ડિસેમ્બર, 2025 પછી, જો કોઈ મુસાફર તે જ રૂટ પર રાજધાની ટ્રેનમાં મુસાફરી કરે છે, તો પ્રતિ કિલોમીટર બે પૈસાના વધારાને કારણે, તેણે તેની ટિકિટ પર વધારાના 20 રૂપિયા ચૂકવવા પડશે.

રેલવેની કમાણી 600 કરોડ વધશે

તો મેલ / એક્સપ્રેસ નોન એસી અને એસી કોચમાં પ્રતિ કિમી 2 પૈસા ટ્રેન ભાડું વધારવામાં આવ્યું છે. આ ફેરફારથી રેલવેને લગભગ 600 કરોડ રૂપિયા વધારાની આવક થશે. ઉદાહરણ તરીકે ટ્રેનના નોન એસી કોચમાં 500 કિમી સુધીના અંતર મુસાફરે હવે 10 રૂપિયા વધારે ભાડું ચૂકવવું પડશે.

Advertisment

છેલ્લા દાયકામાં, રેલવેએ તેના નેટવર્ક અને કામગીરીનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે, જે દેશના સૌથી દૂરના ખૂણા સુધી પણ પહોંચી છે. આ ઉચ્ચ સ્તરની કામગીરીને ટેકો આપવા અને સલામતીને વધુ વધારવા માટે, રેલવે તેના માનવબળમાં વધારો કરી રહી છે.

"પરિણામે, માનવશક્તિનો ખર્ચ વધીને રૂ. 1,15,000 કરોડ થયો છે. પેન્શન ખર્ચ વધીને રૂ. 60,000 કરોડ થયો છે. 2024-25માં કામગીરીનો કુલ ખર્ચ વધીને રૂ. 2,63,000 કરોડ થયો છે , " એમ એક નિવેદનમાં જણાવાયું છે.

રાષ્ટ્રીય પરિવહન કંપનીએ જણાવ્યું હતું કે, ઊંચા માનવબળ ખર્ચને પહોંચી વળવા માટે તે મુસાફરોના ભાડામાં થોડી રકમની સાથે કાર્ગો લોડિંગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

"સલામતી અને સુધારેલા કામગીરી પરના આ પ્રયાસોને કારણે, રેલ્વે સલામતીમાં નોંધપાત્ર સુધારો કરવામાં સફળ રહી છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો કાર્ગો વહન કરતો રેલ્વે દેશ બન્યો છે.

રેલવે બિઝનેસ