/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/adnan-abu-al-haija.jpg)
ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મધ્યસ્થી કરવા અંગે મોટું નિવેદન આપ્યું (ANI)
Israel Hamas War: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે કરેલી કાર્યવાહીમાં પેલેસ્ટાઈનને જાનમાલનું મોટું નુકસાન થયું છે. હવે ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મધ્યસ્થી કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે તે ભારત પાસેથી મધ્યસ્થતાની આશા રાખે છે.
દિલ્હીમાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ કહ્યું કે, તેમને ભારત જેવા મિત્ર તરફથી મધ્યસ્થીની ભૂમિકા નિભાવે તેવી આશા છે. હું જાણું છું કે ભારત એક શાંતિપૂર્ણ દેશ છે, તેથી અમે તેમને તે ભૂમિકા નિભાવવા માટે કહી રહ્યા છીએ. તેઓ બંને દેશોના મિત્ર છે.
અમેરિકા અને બ્રિટન ઇઝરાયેલ-હમાસના યુદ્ધવિરામ પર કામ કરી રહ્યા છે
અમેરિકા અને બ્રિટનની વિદેશી ગુપ્તચર એજન્સીઓના વડાઓએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે સતત કામ કરી રહ્યા છે. અમેરિકાના સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને યુકેના એમઆઈ 6 ચીફ રિચર્ડ મૂરેએ કહ્યું હતું કે તેમની એજન્સીઓએ સંયમ રાખવા અને તણાવ ઘટાડવા માટે અમારા ગુપ્તચર તંત્રનો ઉપયોગ કર્યો છે.
#WATCH | Delhi: Palestinian Ambassador to India Adnan Abu Al-Haija says, " We are always looking for a friend like India to play a mediator role. I know that India is a peaceful country so we are calling them to play that role...they (India) are a friend of both (countries). To… pic.twitter.com/YjSLSZxXaY
— ANI (@ANI) September 8, 2024
આ પણ વાંચો - ચીનના દેવાએ કમર તોડી, માલદીવ ભારત તરફ કેમ વળ્યું
ન્યૂઝ એજન્સી ભાષા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફાઇનાન્સિયલ ટાઇમ્સ માટે લખાયેલા એક લેખમાં બંને ગુપ્તચર વડાઓએ જણાવ્યું હતું કે ઇઝરાઇલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ પેલેસ્ટાઇનના નાગરિકોની પીડા અને વિનાશક જાનહાનિનો અંત લાવી શકે છે અને 11 મહિનાની નરકની કેદ પછી બંધકોને ઘરે લાવી શકાય છે.
બિડેને પણ આપી ચુક્યા છે સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં કહ્યું હતું કે ફક્ત થોડા વધુ મુદ્દાઓ વણઉકેલાયેલા છે. જોકે ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે સફળતાનો અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે. અમેરિકા અને બ્રિટન બંને ઇઝરાયેલના કટ્ટર સાથીઓ છે. જોકે લંડને સોમવારે વોશિંગ્ટનથી અલગ વલણ અપનાવીને ઇઝરાયેલને શસ્ત્રોની કેટલીક નિકાસ અટકાવી દીધી હતી. ઇંગ્લેન્ડને ડર હતો કે તેના દ્વારા આપવામાં આવેલા હથિયારોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય નિયમો તોડવા માટે થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us