/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Israel-Iran-War.jpg)
ઈરાનનો ઈઝરાયલ પર મિશાઈલ હુમલો - photo - X
Israel Iran War Updates: ઈરાને ઈઝરાયેલના શહેર તેલ અવીવ પર 200 થી વધુ મિસાઈલો છોડી છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું હતું કે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો ગયા અઠવાડિયે હિઝબોલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા તેમજ આ વર્ષની શરૂઆતમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યાના જવાબમાં કરવામાં આવ્યો હતો. IDF કહે છે કે નાગરિકોને બોમ્બ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા છે અને હુમલાનો બદલો લેવામાં આવશે.
ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને સેનાને હાલમાં કોઈ ખતરો નથી. તેમણે એક ટેલિવિઝન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોકો આશ્રયસ્થાનમાંથી સુરક્ષિત રીતે બહાર આવી શકે છે.
ઈઝરાયેલ પરના આ હુમલા બાદ અમેરિકાના રક્ષા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે, અમેરિકાએ કહ્યું છે કે તે ઈઝરાયેલની સુરક્ષા માટે તૈયાર છે. IDFએ માહિતી આપી છે કે ઈરાન તરફ છોડવામાં આવેલી મિસાઈલો જેરુસલેમ શહેરમાં પણ પડી હતી.
અહીં હુમલા સંબંધિત તમામ મુખ્ય અપડેટ્સ જાણો
- ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ દ્વારા એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. ઇઝરાયલે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે અને તમામ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી દેવામાં આવી છે.
- ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કહેવું છે કે તેણે ઈઝરાયલ પર ડઝનેક મિસાઈલો છોડી છે અને આ હુમલાની પ્રથમ બેચ હતી.
- આઈડીએફએ કહ્યું કે અંદાજે 10 મિલિયન નાગરિક ઈરાનીઓ ઈરાનના નિશાના પર છે. આ દરમિયાન IDFએ એક તસવીર પણ શેર કરી છે. જે તમે અહીં જોઈ શકો છો.
RAW FOOTAGE: Watch as Iranian missiles rain over the Old City in Jerusalem, a holy site for Muslims, Christians and Jews.
This is the target of the Iranian regime: everyone. pic.twitter.com/rIqUZWN3zy— Israel Defense Forces (@IDF) October 1, 2024
- અમેરિકાએ આ હુમલા અંગે ઈઝરાયેલને થોડા કલાકો પહેલા જ ચેતવણી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે મુલાકાત કરી હતી. અમેરિકાએ પહેલા જ પોતાના નાગરિકો અને ઈઝરાયેલમાં દૂતાવાસને સુરક્ષાને લઈને ચેતવણી આપી હતી.
- ઈઝરાયલે કહ્યું છે કે તેલ અવીવમાં શ્રાપનેલના કારણે ઓછામાં ઓછા બે લોકોને સામાન્ય ઈજા થઈ છે.
- લેબનોન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે અને લાખો લોકોએ સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us