ઈસરોના ચંદ્રયાન 3 કરતા બહુ ખાસ છે ચંદ્રયાન 4, બે તક્કામાં લોન્ચ થશે, જાણો નવા મૂન મિશન વિશે વિગતવાર

ISRO Chandrayaan 4 Mission Launch In Two Phases : ઈસરો ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ચંદ્રયાન 4 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન 4 સેટેલાઈનના વિવિધ પાર્ટ્સની ખાસિયતો અને શું કામગીરી કરશે તેના વિશે વિગતવાર જાણો.

ISRO Chandrayaan 4 Mission Launch In Two Phases : ઈસરો ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ચંદ્રયાન 4 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન 4 સેટેલાઈનના વિવિધ પાર્ટ્સની ખાસિયતો અને શું કામગીરી કરશે તેના વિશે વિગતવાર જાણો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
isro | Chandrayaan 4 | Chandrayaan 3 | ISRO Moon Mission | ISRO Chandrayaan Moon Mission

ઈસરોએ ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચ્યો છે. (Photo - @isro)

ISRO Chandrayaan 4 Mission Launch In Two Phases : ઈસરો મૂન મિશન ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ ઉતરણ કરાવ્યા બાદ હવે ચંદ્રયાન 4 લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું ચંદ્રયાન 4 એ ચંદ્રયાન 3 કરતા ઘણું અલગ અને ખાસ હશે. આ મૂન મિશન ચંદ્ર પર માનવયાન મોકલવાના ઈસરોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે બહું અગત્યનું માનવામાં આવે છે. ચાલો ઈસરોના ચંદ્રયાન 4 મિશન વિશે જાણીયે…

Advertisment

ચંદ્રયાન 4 બે તક્કામાં લોન્ચ કરાશે

ચંદ્રયાન 4 એ ચંદ્રયાન 3 કરતા બહુ અગલ અને ખાસ હશે. ચંદ્રયાન 4 મિશન બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન ચંદ્રની સપાટી પર માનવ મોકલવાના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ રહેશે.

ચંદ્રયાન 4 સેટેલાઈની ખાસિયત

ચંદ્રયાન 4 સેટેલાઈટ ઘણી ખાસિયતો ધરાવે છે. ચંદ્રયાન 3માં ત્ણ મુખ્ય કોમ્પોનન્ટ હતા - એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડ્યૂલ. જ્યારે ચંદ્રયાન 4 વધારે જટિલ હશે. ચંદ્રયાન 4 સેટેલાઈટમાં પાંચ અંતરિક્ષ યાન મોડ્યૂલ સામેલ હશે, જે પ્રત્યેક એખ મિશનની સફળતાની ખાતરી માટે એક ખાસ ભૂમિકા ભજવશે. ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે એક રાષ્ટ્રીય અંતરિક્ષ વિજ્ઞાન સંમેલનમાં આ જાણકારી આપી હતી.

ચંદ્રયાન 4 કેવી રીતે લેન્ડિંગ કરશે

ચંદ્રયાન 4 સેટેલાઈટના મોડ્યૂલમાં પ્રોપલ્શન મોડ્યૂલ, ડિસેન્ડર મોડ્યૂલ, એસેન્ડર મોડ્યૂલ, ટ્રાન્સફર મોડ્યૂલ અને રી એન્ટ્રી મોડ્યૂલ સામેલ છે. આ પાંચેય મોડ્યૂલ અલગ અલગ પ્રકારની મહત્વપૂર્ણ કામગીરી કરશે.

Advertisment

પ્રોપલ્શન મોડ્યૂલ : પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રયાન 4 ને છુટું પડવાની પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં ડાયરેક્શન આપશે.
ડિસેન્ડર મોડ્યૂલ : ડિસેન્ડર મોડ્યૂલ ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરની જેમ મૂન લેન્ડિંગ કરાવશે.
એસેન્ડર મોડ્યૂલ : એસેન્ડર મોડ્યૂલ લેન્ડરથી અલગ થઇ જશે અને ચંદ્રની સપાટી પરથી સેમ્પલ એક્ઠાં કરશે અને ત્યારબાદ ધરતી પર પરત આવવાની યાત્રા શરૂ કરશે.
ટ્રાન્સફર મોડ્યૂલ : ટ્રાન્સફર મોડ્યૂલ એસેન્ડર મોડ્યૂલને પકડી લેવા અને તેને ચંદ્રની ભ્રમણકક્ષામંથી બહાર કાઢવા માટે જવાબદાર હશે. પહાડ અને માટીના નમૂના સાથે કેપ્સલૂ અલગ થવાની પહેલા તે પૃથ્વી પર પરત આવશે.
રિએન્ટ્રી મોડ્યૂલ : રિએન્ટ્રી મોડ્યૂલ ચંદ્રની માટી લાવનાર કેપ્સૂલ છે. ચંદ્રની સપાટીના નમૂનાને ધરતી પર સફળતાપૂર્વક લાવવાની જવાબદારી તેની હશે.

આ પણ વાંચો | ગગનયાન મિશન: ચાર ભારતીય જવાનો કેવા પ્રકારની તાલીમ લઈ રહ્યા છે? યોગા વર્ગનો પણ સમાવેશ

બે લોન્ચિંગ વ્હીકલનો ઉપયોગ થશે

ઈસરો પ્રમુખના જણાવ્યા અનુસાર, ભારતના સૌથી ભારે લોન્ચ વ્હીકલ LVM-3 ત્રણ કમ્પોનન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે,જેમાં પ્રોપલ્શન મોડ્યૂલ, ડિસેન્ડર મોડ્યૂલ અને એસેન્ડર મોડ્યૂલ હશે. તે 2023માં લોન્ચ કરાયેલા ચંદ્રયાન 3 ની સમાન જ હશે. ત્યારબાદ ટ્રાન્સફર મોડ્યૂલ અને રિએન્ટ્રી મોડ્યૂલને પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV) પર લોન્ચ કરવામાં આવશે. જો કે ચંદ્રયાન 4 કયારે લોન્ચ કરવામાં આવશે તે વિશે ઈસરોએ કોઇ સત્તાવાર જાણકારી આપી નથી.

મૂન મિશન science ISRO Chandrayaan 3