/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Jaipur-Fire-Tragedy-Five-killed.jpg)
જયપુર આગ દુર્ઘટનામાં પાંચના મોત (ફોટો - પ્રતિકાત્મક)
Jaipur Fire Tragedy : રાજસ્થાનના જયપુરમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જયપુરના વિશ્વકર્મા વિસ્તારના જેસલ્યા ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 5 લોકોના ગંભીર રીતે દાઝી જવાથી દર્દનાક રીતે મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
બિહારના મધુબનીથી રોજી-રોટી માટે થોડા સમય પહેલા જયપુર આવ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ આગ ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. તે થોડા સમય પહેલા જ બિહારથી જયપુર રોજી-રોટી માટે આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પરિવારમાં કોઈ બચ્યું નથી.
#WATCH जयपुर, राजस्थान: एक मकान में सिलेंडर में आग लगने से पांच लोग मृत्यु हो गई। आगे की जांच जारी है। pic.twitter.com/R29w1a3I6V
— ANI_HindiNews (@AHindinews) March 21, 2024
આગથી બચવા ઘરના ખૂણામાં સંતાયા, બહાર નીકળવાની તક જ ન મળી
પોલીસના જણાવ્યા અનુસાર, બિહારના મધુબનીનો રહેવાસી આ પરિવાર અહીં ભાડેથી રહેતો હતો. રાત્રે ઘરના તમામ સભ્યો સૂતા હતા ત્યારે ઘરમાં આગ લાગી હતી. સિલિન્ડર ગેસનો બાટલો દરવાજા પાસે મુકેલો હતો, જેને પગલે લોકોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા બધા એક ખૂણામાં ગયા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ઘરની બહાર નીકળવાની તક ન મળતા બધા મૃત્યુ પામ્યા.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો
जयपुर के विश्वकर्मा में भीषण आग की चपेट में आने से 5 नागरिकों के असामयिक निधन का समाचार हृदय विदारक है।
परमपिता परमात्मा से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने तथा घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूं।
घायलों को…— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 21, 2024
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'વિશ્વકર્મા, જયપુરમાં ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો - પ્રદીપ શર્મા : 25 વર્ષમાં 112 એન્કાઉન્ટર, અંડરવર્લ્ડ સાથેના સંબંધોના આરોપો, ચૂંટણી લડી… અને હવે આજીવન કેદ થઈ
ફાયર વિભાગ અનુસાર, અકસ્માત અંગે પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં તમામના મોત થઈ ચૂક્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એફએસએલની ટીમ પણ સ્થળ પર તપાસ કરી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us