જયશંકરે રશિયાથી તેલ ખરીદવા પર અમેરિકા પર કર્યો પ્રહાર, કહ્યું - તમને પસંદ નથી તો ના ખરીદો

US tariffs on India : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું - જો તમને ભારતમાંથી તેલ અથવા રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદવામાં સમસ્યા હોય, તો તેને ખરીદશો નહીં. કોઈ તમને તે ખરીદવા માટે દબાણ કરતું નથી. યુરોપ ખરીદે છે, અમેરિકા ખરીદે છે, તેથી જો તમને તે ન પસંદ હોય, તો તેને ખરીદશો નહીં

US tariffs on India : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું - જો તમને ભારતમાંથી તેલ અથવા રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદવામાં સમસ્યા હોય, તો તેને ખરીદશો નહીં. કોઈ તમને તે ખરીદવા માટે દબાણ કરતું નથી. યુરોપ ખરીદે છે, અમેરિકા ખરીદે છે, તેથી જો તમને તે ન પસંદ હોય, તો તેને ખરીદશો નહીં

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
S Jaishankar, વિદેશ મંત્રી એસ જયશંકર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (X/Jaishankar)

External Affairs Minister S Jaishankar : વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત પર ટેરિફ લગાવવા માટે અમેરિકા અને યૂરોપ પર કટાક્ષ કરતા કહ્યું કે જો તમને ભારત પાસેથી તેલ કે રિફાઈન્ડ પ્રોડક્ટ્સ ખરીદવામાં મુશ્કેલી છે તો ના ખરીદો. કોઈ તમને આમ કરવા માટે દબાણ કરતું નથી. યુરોપ ખરીદે છે, અમેરિકા ખરીદે છે. જો તમને તે ન ગમતું હોય, તો તેને ખરીદશો નહીં.

Advertisment

ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2025માં બોલતા જયશંકરે કહ્યું કે આ હાસ્યાસ્પદ છે કે વેપાર સમર્થક અમેરિકી પ્રશાસનના લોકો અન્ય લોકો પર વેપાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જો તમને ભારતમાંથી તેલ અથવા રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદવામાં સમસ્યા હોય, તો તેને ખરીદશો નહીં. કોઈ તમને તે ખરીદવા માટે દબાણ કરતું નથી. યુરોપ ખરીદે છે, અમેરિકા ખરીદે છે, તેથી જો તમને તે ન પસંદ હોય, તો તેને ખરીદશો નહીં.

વિદેશ મંત્રી જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તણાવ છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જેમાં ભારતમાં 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે 25 ટકા ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ કરવાની વાત કહી છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારત પર આ દંડ લાદવામાં આવ્યો છે.

રશિયા પાસેથી તેલ ખરીદી રાષ્ટ્રીય અને વૈશ્વિક બંનેના હિતમાં છે - જયશંકર

જયશંકરે કહ્યું કે 2022માં જ્યારે તેલના ભાવ વધ્યા ત્યારે દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા માંગે છે, તો તેને ખરીદવા દો. કારણ કે તેનાથી કિંમતો સ્થિર થશે. ભારતની ખરીદીનો હેતુ પણ બજારોને સ્થિર રાખવાનો છે. અમે કિંમતો સ્થિર રાખવા માટે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છીએ. આ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંનેના હિતમાં છે.

Advertisment

વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે રશિયા સાથે વેપાર વધારવા માંગીએ છીએ. મારી રશિયાની મુલાકાત દરમિયાન અમે દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ રહી છે. અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ આવે.

આ પણ વાંચો - રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે મુલાકાત, આ મુદ્દા પર થઇ ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર 19થી 21 ઓગસ્ટ દરમિયાન રશિયાની મુલાકાતે હતા. તેમણે અહીં ભારત-રશિયા આંતરરાષ્ટ્રીય કમિશન ઓન ટ્રેડ, ઇકોનોમિક, સાયન્ટિફિક, ટેકનોલોજીકલ એન્ડ કલ્ચરલ કોઓપરેશન (આઇઆરઆઇજીસી-ટીઇસી)ના 26માં સત્રની સહ-અધ્યક્ષતા કરી હતી.

જયશંકરે કહ્યું, અમેરિકા-ભારત વચ્ચે વેપાર વાતચીત ચાલુ છે

અમેરિકાની સાથે ચાલી રહેલી વેપાર વાતચીત પર જયશંકરે કહ્યું કે વાતચીત ચાલી રહી છે, પરંતુ ભારતનું વલણ મજબૂત છે. વાતચીતમાં ઘણી સીમારેખાઓ છે અને આપણે તેના વિશે સ્પષ્ટ રહેવું પડશે, પરંતુ અમે ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

જયશંકરે કહ્યું કે ભારત સાથે અમેરિકા-ચીનના સંબંધોમાં સહયોગ અને વિવાદ બંને જોવા મળ્યા છે, પરંતુ એકંદરે સ્થિતિ સકારાત્મક રહી છે. અત્યારે કેટલાક મુદ્દાઓ છે, પરંતુ એવું નથી કે અમને અગાઉ ક્યારેય કોઈ સમસ્યા થઇ ન હતી. સંબંધોના અન્ય પાસાં મજબૂત હોય છે. ઓબામાના કાર્યકાળ દરમિયાન વોશિંગ્ટને ચીન સાથે જી2 ફ્રેમવર્કનો વિચાર આપ્યો હતો, પરંતુ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાની વિદેશ નીતિનું વલણ બદલાયું છે.

ભારત-પાકિસ્તાનના સંબંધો પર જયશંકર

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાના સંદર્ભમાં જયશંકરે ભારતમાં એ રાષ્ટ્રીય સર્વસંમતિ પર પ્રકાશ પાડ્યો હતો કે તે તેના પાડોશી સાથે સંબંધિત બાબતોમાં કોઈ પણ મધ્યસ્થતા સ્વીકારતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા india રશિયા એસ જયશંકર યુક્રેન દેશ PM Narendra Modi