જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલામાં 1 જવાન શહીદ, 4 ઘાયલ

Terror Attack in Punch Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં 1 જવાન શહીદ થયો છે અને 4 ઘાયલ થયા છે. હાલ સેના દ્વારા હુમલો કરનારા આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.

Written by Ajay Saroya
Updated : May 04, 2024 23:57 IST
જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલામાં 1 જવાન શહીદ, 4 ઘાયલ
થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. (Express Photo)

Terror Attack in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ પોતાના નાપાક ષડયંત્રને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. પુંછમાં આતંકીઓએ વાયુસેનાની ગાડીઓના કાફલા પર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. આમાં 5 સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જો કે કોઇ મોટનું નુકસાન થયું નથી.

પુંછ આંતકી હુમલામાં એર ફોર્સનો 1 જવાન શહીદ, 4 ઘાયલ

જમ્મુ – કાશ્મીરના પુંછ જિલ્લામાં એર ફોર્સના વાહન પર થયેલા આતંકી હુમલામાં 5 જવાન ઘાયલ થયા હતા, જેમા સારવાર દરમિયાન એક સૈનિકે જીવ ગુમાવ્યો છે. તેમજ એક સૈનિકની હાલત ગંભીર છે અને સારવાર ચાલી રહી છે. સુરક્ષા દળના અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ 3 સૈનિકોની હાલત સ્થિર છે.

આ હુમલા અંગે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો પૂંછના સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. આ કારણે ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓને આ વિસ્તારમાં મોકલવામાં આવી છે.

હુમલા બાદ તરત જ રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલો કરનારા આતંકવાદી ઓની શોધખોળ શરૂ કરી દીધી છે. સાથે જ જે વાયુસેનાના વાહનો પર હુમલો થયો હતો તેમને શહીતર પાસે એરબેઝની અંદર સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ