/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Jaya-Kishori-Net-Worth-and-Fees.jpg)
જયા કિશોરી સંપત્તિ, આવક અને ફી (ફોટો - સોશિયલ મીડિયા)
Jaya Kishori Net Worth, Fees, Income Source : જયા કિશોરી ઘણા લાંબા સમયથી સમાચાર અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. ખૂબ ઓછા સમયમાં કથાકાર જયા કિશોરીની લોકપ્રિયતા ઝડપથી વધી છે. જયા કિશોરી જેટલી પોતાની મોટિવેશનલ વાતોને કારણે સમાચારમાં રહે છે, તેટલી જ તે પોતાની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે.
જયા કિશોરીએ ખૂબ જ નાની ઉંમરે કથાકાર તરીકે શરૂઆત કરી હતી. જયા કિશોરી સામાન્ય રીતે જીવનમાં નૈતિકતા, શાંતિ અને કરુણા અપનાવવાનો સંદેશ આપતા જોવા મળે છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સોશિયલ મીડિયા ક્રિએટર એવોર્ડ પણ આપ્યો હતો. તેઓ માત્ર એક સફળ આધ્યાત્મિક ગુરુ જ નથી, પણ એક મહાન પ્રેરક વક્તા (મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી) પણ છે.
જયા કિશોરી ફી (Jaya Kishori Fees)
થોડા સમય પહેલા 'ધ યુથ'એ જયા કિશોરીની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીને ટાંકીને કહ્યું હતું કે, જયા કિશોરી એક કથા માટે 9.5 લાખ રૂપિયા ફી લે છે. તે કથા પહેલા અડધા પૈસા એડવાન્સમાં લે છે, જ્યારે બાકીની રકમ કથા શરૂ થયા પછી લેવામાં આવે છે. જયા કિશોરીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ફીના પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે, તેના વિશે જાણવું ખૂબ જ સરળ છે. તેમની વેબસાઈટ પરથી કથા બુક કરાવી શકાય છે અને વેબસાઈટ પર આપેલા ફોન નંબર પર કોલ કરીને બુકિંગ, ફી જેવી માહિતી પણ મેળવી શકાય છે.
જયા કિશોરી નેટ વર્થ (Jaya Kishori Net Worth)
ઉલ્લેખનીય છે કે, જયા કિશોરીની કુલ સંપત્તિ અને ધન દોલતનો સત્તાવાર રીતે ક્યારેય ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તેણી તેની કમાણીનો મોટો ભાગ દાનમાં આપી દે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા કિશોરી પાસે 1-1.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
જયા કિશોરીની આવક (Jaya Kishori Income)
જયા કિશોરી માત્ર કથાઓ કહીને પૈસા કમાતી નથી. જયા કિશોરી પાસે મોટી કમાણી કરવાની બીજી ઘણી રીતો છે. જયા કિશોરી જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. તે તેમના ભાષણથી ઘણું કમાય છે. તેમની યુટ્યુબ ચેનલ પર તેના 3.32 મિલિયન (33 લાખ) થી વધુ ફોલોઅર્સ છે. જયા કિશોરીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ કથા અને ભજનના વીડિયોને લાખો વ્યુઝ મળે છે. તેનો અર્થ એ કે, કથા અને લાઇવ શો સિવાય, જયા કિશોરીની આવકનો સૌથી મોટો સ્ત્રોત YouTube પણ છે. જયા કિશોરી ઈન્સ્ટાગ્રામ પરથી પણ કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે, જયા કિશોરીને ઈન્સ્ટા પર 1.1 કરોડથી વધુ લોકો ફોલો કરે છે.
જયા કિશોરી દાન (Jaya Kishori Donations)
લાખો અને કરોડો રૂપિયા કમાતી જયા કિશોરી આટલા પૈસા ક્યાં ખર્ચે છે? આનો જવાબ ખૂબ જ સરળ છે, કારણ કે તે જાણીતું છે કે, જયા કિશોરી તેમની કથાઓ અને મુલાકાતોમાં દાન પર ઘણો ભાર મૂકે છે. જયાએ તેના જીવનમાં પણ આનો અમલ કર્યો છે. જયા કિશોરી નારાયણ સેવા સંસ્થા સાથે સંકળાયેલી છે. જયા કિશોરી પોતાની કમાણીનો મોટો ભાગ આ ચેરિટેબલ ટ્રસ્ટને દાનમાં આપે છે. તમને જણાવી દઈએ કે આ સંસ્થા દિવ્યાંગોના કલ્યાણ અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે.
જયા કિશોરીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તે ભારત સરકારના બેટી પઢાવો, બેટી બચાવો અભિયાનમાં પણ દાન આપે છે. આ ઉપરાંત જયા કિશોરી પર્યાવરણ પર પણ ભાર મૂકે છે અને તે વૃક્ષારોપણના અભિયાન પર પણ ભાર મૂકે છે.
જયા કિશોરી એજ્યુ
જયા કિશોરીએ પ્રારંભિક શિક્ષણ કોલકાતાની શ્રી શિક્ષાતન કોલેજમાંથી કર્યું હતું. આ પછી તે કોલકાતાની મહાદેવી બિરલા વર્લ્ડ એકેડમી ગઈ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us