Kargil Vijay Diwas: પાકિસ્તાને કારગીલ ને કેમ નિશાન બનાવ્યું હતુ? નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફની શું હતો પ્લાન?

Kargil Vijay Diwas : કારગીલ વિજય દિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે. 1999માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને પરવેજ મુશર્રફે અટલ બિહારી વાજપાઈ સાથે દગો કર્યો હતો, અને ભારતમાં ઘુસણખોરીનું કાવતરૂ રચ્યું હતુ.

Written by Kiran Mehta
July 26, 2024 18:00 IST
Kargil Vijay Diwas: પાકિસ્તાને કારગીલ ને કેમ નિશાન બનાવ્યું હતુ? નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફની શું હતો પ્લાન?
કારગીલ વિજય દિવસ ઈતિહાસ

Kargil Vijay Diwas History : કાશ્મીરમાં શ્રીનગર અને લેહની વચ્ચે આવેલો વિસ્તાર, જેને ભારતનો સિરમૌર કહેવામાં આવે છે, તે લગભગ 6 મહિના સુધી બરફથી ઢંકાયેલો રહે છે. આ કારણોસર ત્યાં કોઈ વસ્તી નથી. કારણ કે જ્યારે તે બરફથી ઢંકાયેલ હોવાથી ત્યાં પરિવહન શક્ય નથી. આમ છતાં આ સ્થાન ભારતનો તાજ માનવામાં આવે છે. પાકિસ્તાને 1999 માં આ જ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો નાપાક પ્રયાસ કર્યો હતો.

ભારત-પાકિસ્તાનનું વિભાજન 1947માં થયું હતું. તે દરમિયાન ભારતે મોટા ભાઈની જેમ પાકિસ્તાનને પોતાનો સ્વતંત્ર દેશ બનાવવા માટે ઘણી બધી રકમ પણ આપી હતી. પરંતુ પાકિસ્તાને હંમેશા બદલામાં દગો અને ઘાવ જ આપ્યા છે. 1948 નો કાશ્મીર આદિવાસી હુમલો હોય કે 1965 નું યુદ્ધ. પછી તે 1971નું યુદ્ધ હોય કે 1999 નું કારગિલ યુદ્ધ. દર વખતે પાકિસ્તાને ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે.

આજે કારગીલ યુદ્ધને 25 વર્ષ થઈ ગયા છે. વર્ષ હતું 1999, તે સમયે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જૂની યાદોને ભૂલીને પાકિસ્તાન સાથે નવી શરૂઆત કરવા દિલ્હી-લાહોર સદા-એ-સરહદ બસ સેવા શરૂ કરવાની પહેલ કરી હતી. 20 ફેબ્રુઆરી 1999ના રોજ અટલ બિહારી વાજપેયીએ બસને લીલી ઝંડી આપી હતી. પરંતુ તેમને શું ખબર હતી કે, જે પાકિસ્તાન અને તેના વડાપ્રધાન નવાઝ શરીફને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે? એ જ શરીફ અને તેમના આર્મી ચીફે વાજપેયી સાથે દગો કર્યો અને 6 મહિનામાં કારગીલ પર હુમલો કર્યો.

શું મુશર્રફે શરીફના નાક નીચે કારગીલ હુમલાનું કાવતરું ઘડ્યું હતું?

એક તરફ અટલ બિહારી વાજપેયી બંને દેશો વચ્ચે શાંતિ અને ભાઈચારાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા. તો, પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફ ભારતના તાજ એવા કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યો હતો. એવું કહેવાય છે કે, નવાઝ શરીફને કારગિલ યુદ્ધ વિશે કોઈ જાણકારી નહોતી. વાસ્તવમાં પરવેઝ મુશર્રફે પોતાના નાક નીચે આ યુદ્ધની યોજના બનાવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શરીફને પણ આ વાતની જાણ નહોતી. જો કે, જો આપણે યુદ્ધ પછીના પરવેઝ મુશર્રફના નિવેદનોને યાદ કરીએ તો સમજી શકાય છે કે, આ યુદ્ધમાં મુશર્રફ અને શરીફની મિલીભગત જ હતી. તે દરમિયાન મુશર્રફે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ ઘણું ઝેર ઓક્યું હતું.

વર્ષ 1998 માં જ મુશર્રફે કારગિલ વિસ્તારમાં ઘૂસણખોરીને લઈને રણનીતિ બનાવવાનું શરૂ કર્યું હતું. આ સંબંધમાં મુશર્રફે ઓક્ટોબર 1998 માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ઉત્તરીય વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. જે બાદ મુશર્રફે વર્ષ 1999 માં ઘૂસણખોરી શરૂ કરી હતી. એપ્રિલ 1999 સુધીમાં, પાક સેનાના ઘણા ઘૂસણખોરો કારગિલ વિસ્તારમાં ભારતીય નિયંત્રણ રેખામાં પ્રવેશવા લાગ્યા.

શ્રીનગરથી લેહ-લદ્દાખ રોડને તોડી પાડવાનું પણ કાવતરું ઘડવામાં આવ્યું હતું

1999 માં પાકિસ્તાની ઘૂસણખોરો આગળ વધતાં, શ્રીનગરથી લેહ-લદ્દાખને જોડતો રસ્તો નેશનલ હાઈવે 1A ની નજીક પહોંચી ગયા હતા. પાકિસ્તાની સેનાનો ઈરાદો એવો હતો કે, જો આ રસ્તો કબજે કરીને બ્લોક કરવામાં આવે તો લેહ ભારતથી કપાઈ જશે અને ઉપર સ્થિત ભારતીય સૈનિકોને ખોરાક અને યુદ્ધ સંબંધિત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી વધી જશે. જોકે, પાકિસ્તાની સેના આમાં સફળ થાય તે પહેલા જ ભારતીય સેનાના બહાદુર યોદ્ધાઓએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.

જો કારગિલ હુમલા પાછળ પાકિસ્તાનના ઈરાદાની વાત કરીએ તો, તેનો ઈરાદો લદ્દાખ પહોંચતા લોજિસ્ટિક્સ સપ્લાયને રોકવાનો હતો. જેથી દ્રાસ અને કારગીલને સરળતાથી કબજે કરી શકાય. આ સાથે, ખીણની પહાડીઓ, બાલ્ટિન અને તુતુર્ક ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીને ભારતને સિયાચીનમાંથી પીછેહઠ કરવા માટે મજબૂર કરવાનો વિચાર રખાઈ રહ્યો હતો. આ સાથે પાકિસ્તાન શિમલા કરારને ખતમ કરીને કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

ભારતે પાકિસ્તાન પર ઓલઆઉટ હુમલો કર્યો

કબજાની રણનીતિથી ભારતમાં ઘૂસી ગયેલી પાકિસ્તાની સેનાને પોતાના દેશમાં પરત ફરવું પડ્યું હતું, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની જાહેરમાં ટીકા થઈ હતી. ભારતીય સરહદમાં પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરીની માહિતી મળતાં જ ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, નેવીએ ‘સફેદ સાગર’ શરૂ કર્યું અને વાયુસેનાએ ‘ઓપરેશન તલવાર’ શરૂ કરી પાકિસ્તાન અને ઘૂસણખોરો પર ઓલઆઉટ એટેક શરૂ કર્યો. ખરાબ હવામાનને કારણે આ યુદ્ધ બે મહિના સુધી ચાલ્યું પરંતુ ભારતીય સૈનિકોના ઊંચા મનોબળને કારણે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું. પાકિસ્તાની સૈનિકો દ્વારા કબજે કરવામાં આવેલા તમામ સ્થળો પર ભારતીય સૈનિકોએ ત્રિરંગો ફરકાવ્યો હતો.

અમેરિકાએ પાકિસ્તાનની ક્લાસ લઈ નિંદા કરી હતી

આ સમય દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાન ચારે બાજુથી નિરાશ થયું હતું. અમેરિકા સહિતના અન્ય દેશોએ પણ પાકિસ્તાનને ફટકાર લગાવીને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, જો પાકિસ્તાન યુદ્ધ ઈચ્છે છે તો ભારત પણ પીછેહઠ નહીં કરે અને અમેરિકા ભારતને સાથ આપશે.

આ પણ વાંચો – Kargil Vijay Diwas, કારગિલ વિજય દિવસ : પ્લેન ક્રેશ બાદ પાકિસ્તાને જેમને કેદ કરી લીધા હતા, એ POW રહેલા ફ્લાઇટ લેફ્ટેનન્ટ નચિકેતાની શૌર્યભરી કહાની

14 જુલાઈ, 1999 ના રોજ, વાયાપેયીએ ઓપરેશન વિજયની જીતની ઘોષણા કરી. 26મી જુલાઈએ જ્યારે પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સૈન્યમાંથી સંપૂર્ણ રીતે ભગાડી દેવામાં આવ્યા ત્યારે ભારતે તે દિવસને દર વર્ષે વિજય દિવસ તરીકે ઉજવ્યો હતો. જો કે, આ યુદ્ધમાં ભારતે તેના 634 બહાદુર સૈનિકો ગુમાવ્યા હતા. પરંતુ તેમની શહાદત પર દેશે તેમને ગર્વથી સલામ કરી અને તેમની બહાદુરીની ગાથા એ બધાને અનેક જન્મો સુધી અમર કરી દીધી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ