Kargil Vijay Diwas, કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્વાંજલિ, પાકિસ્તાન વિશે શું કહ્યું?

પીએમ નરેન્દ્ર મોદી 25માં કારગિલ વિજય દિવસ પર દ્રાસ પહોંચ્યા છે. તેમણે દ્રાસના કારગિલ વોર મેમોરિયલ જઈને કારગિલની લડાઈમાં શહીદ થનારા જવાનોને શ્રદ્વાંજલિ આપી હતી.

Written by Ankit Patel
Updated : July 26, 2024 11:01 IST
Kargil Vijay Diwas, કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્વાંજલિ, પાકિસ્તાન વિશે શું કહ્યું?
કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્વાંજલિ આપી photo - ANI

Kargil Vijay Diwas, PM Narendra Modi kargil visit, કારગીલ વિજય દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કારગીલની મુલાકાત પર છે. કારગિલ વિજય દિવસના અવસર પર તેઓ 26મી જુલાઈએ વર્ષ 1999માં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી શિંકુન લા ટનલ પ્રોજેક્ટ માટે વર્ચ્યુઅલ રીતે ખાત મુહૂર્ત કર્યું હતું.

આપણા બહાદુર જવાનો આતંકવાદને પૂરી તાકાતથી કચડી રહ્યા છે

કારગિલ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે આજે લદ્દાખની આ મહાન ભૂમિ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની સાક્ષી બની રહી છે. કારગિલ વિજય દિવસ આપણને કહે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાન અમર છે. ભાષણ આપતા પીએમ મોદીએ કહ્યું કે આપણા બહાદુર જવાનો આતંકવાદને પૂરી તાકાતથી કચડી રહ્યા છે અને તેને કચડી નાખશે. તેમણે કહ્યું કે કારગીલયુદ્ધમાં વિજયની સાથે અમે સત્ય, સંયમ અને શક્તિનું અદભૂત પ્રદર્શન કર્યું.

પીએમ મોદીએ લાંબા સમય બાદ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું

આજે કારગિલ વિજય દિવસના અવસરે પીએમ મોદીએ લાંબા સમય બાદ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનભૂતકાળમાં તેણે ગમે તેટલા પ્રયત્નો કર્યા, તે હંમેશા પરાજય પામ્યો છે પરંતુ પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરની મદદથી પોતાની જાતને સુસંગત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આજે જ્યારે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકના માલિકો મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

પીએમ નરેન્દ્ર મોદી 25માં કારગિલ વિજય દિવસ પર દ્રાસ પહોંચ્યા છે. તેમણે દ્રાસના કારગિલ વોર મેમોરિયલ જઈને કારગિલની લડાઈમાં શહીદ થનારા જવાનોને શ્રદ્વાંજલિ આપી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે 26 જુલાઈ એ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. અમે 25મો કારગિલ વિજય દિવસ ઉજવીશું. આપણા દેશની રક્ષા કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું કારગિલ સમર મેમોરિયલની મુલાકાત લઈશ અને આપણા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપીશ.

શિંકુન લા ટનલ લગભગ ચાર કિલોમીટર લાંબી હશે

ટ્વીન ટ્યુબ ટનલ – શિંકુન લા ટનલ, નિમુ-પદુમ-દારચા રોડ પર 15,800 ફૂટ પર બાંધવામાં આવશે, તે 4.1 કિલોમીટર લાંબી હશે. આ ટનલ લેહને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે, જે સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ અવરજવર સુનિશ્ચિત કરશે, પરંતુ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચોઃ- કારગિલ વિજય દિવસ: તે શહીદ સપૂત જેણે 22 દિવસ સહન કરી પાકિસ્તાની સેનાની હેવાનિયત, છતા એકપણ રહસ્ય ખોલ્યું ન હતું

ભારત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં ઘણી ટનલ બનાવી રહ્યું છે

ભારત સરકાર દ્વારા વ્યૂહાત્મક કારણોસર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ઘણી ટનલ બનાવવામાં આવી રહી છે. આ સમગ્ર વિસ્તાર વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવે છે. નવી ટનલના નિર્માણ દ્વારા એલઓસી અને એલએસી પર સેના અને અન્ય અર્ધલશ્કરી દળોની અવરજવર સરળ બની રહી છે. ટનલ તમામ હવામાન પરિસ્થિતિઓમાં લશ્કરી સાધનો અને સૈનિકોની હિલચાલની સુવિધા આપે છે. આ ઉપરાંત ટનલના નિર્માણ દ્વારા પ્રાદેશિક વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ