કોલકાતા રેપ કેસ: શું રાજ્યપાલની વિનંતી પર રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે? શું કહે છે કલમ 356?

Kolkata Rape Case : કોલકાતા રેપ કેસ બાદ ડોક્ટર્સ ની સ્ટ્રાઈક હજુ ચાલુ જ છે, રાજ્યપાલ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની અટકળો તેજ થઈ હતી, તો જોઈએ શું છે રાષ્ટ્રપતિ શાસન નો નિયમ, શું રાષ્ટ્રપતિ મુર્મુ રાજ્યપાલના કહેવા પર આવો નિર્ણય આપી શકે છે?

Kolkata Rape Case : કોલકાતા રેપ કેસ બાદ ડોક્ટર્સ ની સ્ટ્રાઈક હજુ ચાલુ જ છે, રાજ્યપાલ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની અટકળો તેજ થઈ હતી, તો જોઈએ શું છે રાષ્ટ્રપતિ શાસન નો નિયમ, શું રાષ્ટ્રપતિ મુર્મુ રાજ્યપાલના કહેવા પર આવો નિર્ણય આપી શકે છે?

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Kolkata Rape Case West Bengal President Rule

કોલકાતા રેપ કેસ, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે?

Kolkata Rape Case : કોલકાતા રેપ કેસને લઈને પશ્ચિમ બંગાળમાં તણાવ વધી રહ્યો છે. ઘણા દિવસો પછી પણ આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને રસ્તા પર ડોક્ટરોની સ્ટ્રાઈક હજુ ચાલુ છે. આ દરમિયાન રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા જઈ રહ્યા છે. તેમણે કેટલાક એવા નિવેદનો આપ્યા છે જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, શું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? શું રાષ્ટ્રપતિ મુર્મુ રાજ્યપાલના કહેવા પર આવો નિર્ણય આપી શકે છે?

Advertisment

રાષ્ટ્રપતિ શાસન: નિયમ શું કહે છે?

હવે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે, રાષ્ટ્રપતિ શાસન ક્યારે અને કોણ લાદી શકે છે. બંધારણના અનુચ્છેદ 356માં રાષ્ટ્રપતિ શાસન વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિ પાસે કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સંપૂર્ણ સત્તા છે. તેમને ફક્ત એ વાતથી સંતુષ્ટ કરવા પડશે કે હાલમાં રાજ્ય સરકાર બંધારણની જોગવાઈઓ મુજબ કામ કરી રહી નથી. મોટી વાત એ છે કે, રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે માત્ર રાજ્યપાલના રિપોર્ટની જરૂર નથી.

રાષ્ટ્રપતિ શાસન, બાદ કેન્દ્રની સત્તા વધે છે

જો રાજ્યપાલનો રિપોર્ટ આવશે તો, તેના આધારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. જો કોઈ રિપોર્ટ ન આવે તો પણ તે સ્થિતિમાં પણ રાષ્ટ્રપતિ આવા મોટા નિર્ણયો લઈ શકે છે. જો કે, જ્યારે પણ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્યારે કેન્દ્રમાં જે પણ સરકાર સત્તામાં હોય છે, તે સંપૂર્ણપણે શક્તિશાળી બની જાય છે. જો કોઈ રાજ્યમાં રમખાણ જેવી સ્થિતિ હોય અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તો, કેન્દ્ર સરકાર ત્યાં પોતાની સત્તા સ્થાપિત કરી શકે છે. હવે જો પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય લેવામાં આવશે તો ત્યાં પણ કેન્દ્ર સરકાર વધુ શક્તિશાળી બનશે.

કટોકટીનો ઇતિહાસ

જો કે દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો લાંબો ઈતિહાસ છે. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. એ જ રીતે નેહરુ અને અટલી બિહારી વાજપેયીના સમયમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

Advertisment

એક આંકડો દર્શાવે છે કે, છત્તીસગઢ અને તેલંગાણા સિવાય, ભારતના તમામ રાજ્યોમાં 123 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 વખત લાદેલ સામેલ નથી. તેના ઉપર બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, મણિપુર અને કેરળમાં સૌથી વધુ વખત સરકારોને બરતરફ કરવામાં આવી છે.

અંતિમ અવધિના સંદર્ભમાં, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરે તેની અસર ભોગવી છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ શાસન બે મહિના માટે અમલમાં રહે છે, સિવાય કે સંસદ તેને છ મહિના માટે લંબાવે નહી.

Mamata Banerjee west bengal ગુજરાતી ન્યૂઝ politics દેશ