/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Rohini-Acharya.jpg)
Rohini Acharya : રોહિણી આચાર્ય સાથે પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવી યાદવ. (Photo: @RohiniAcharya2)
Rohini Acharya Emotional Post: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તેજસ્વી યાદવના નજીકના સહયોગી સંજય યાદવને લઈને લાલુ યાદવ પરિવારમાં હંગામો મચી ગયો છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય રાજદ પાર્ટી અને પરિવારથી અલગ થઈ ગયા છે. રોહિણી આચાર્યએ શનિવાર પછી રવિવારે ફરી એકવાર નવી પોસ્ટ શેર કરી છે.
લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'ગઈકાલે એક દીકરી, એક બહેન, એક પરિણીત મહિલા, એક માતાનું અપમાન કરવામાં આવ્યું, ગંદા ગાળો, માર મારવા માટે ચપ્પલ ઉપાડ્યું, મેં મારા સ્વાભિમાન સાથે સમાધાન કર્યું નહીં, સત્યનો સાથે છોડ્યો નહીં, માત્ર ને માત્ર આ કારણે મને અપમાનનો સામનો કરવો પડ્યો.
રોહિણી આચાર્યે વધુમાં લખ્યું હતું કે, ગઈકાલે એક દીકરી મજબૂરીમાં પોતાના રડતા માતા-પિતા અને બહેનોને છોડીને આવી, મને મારા માતા-પિતાનું ઘર છોડાવી દેવામાં આવ્યું. મને અનાથ બનાવી દેવામાં આવી… તમારે ક્યારેય મારા માર્ગ પર ન ચાલતા, રોહિણી જેવી કોઈ દીકરી અને બહેને કોઈના પણ ઘરમાં જન્મ ન લેવો જોઈએ.
कल मुझे गालियों के साथ बोला गया कि मैं गंदी हूँ और मैंने अपने पिता को अपनी गंदी किडनी लगवा दी , करोड़ों रूपए लिए , टिकट लिया तब लगवाई गंदी किडनी .. सभी बेटी - बहन , जो शादीशुदा हैं उनको मैं बोलूंगी कि जब आपके मायके में कोई बेटा - भाई हो , तो भूल कर भी अपने भगवान रूपी पिता को…
— Rohini Acharya (@RohiniAcharya2) November 16, 2025
અગાઉ રોહિણી આચાર્યએ પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, હું રાજકારણ છોડી રહી છું. આ સાથે જ, હું મારા પરિવાર સાથેના સંબંધો પણ તોડી રહ્યો છું. સંજય યાદવ અને રમીઝે મને જે કરવાનું કહ્યું છે તે હું કરી રહી છું. હું બધો દોષ મારા પર લઈ રહી છું.
कल एक बेटी, एक बहन , एक शादीशुदा महिला , एक माँ को जलील किया गया , गंदी गालियाँ दी गयीं , मारने के लिए चप्पल उठाया गया , मैंने अपने आत्मसम्मान से समझौता नहीं किया, सच का समर्पण नहीं किया , सिर्फ और सिर्फ इस वजह से मुझे बेइज्जती झेलनी पडी ..
कल एक बेटी मजबूरी में अपने रोते हुए…— Rohini Acharya (@RohiniAcharya2) November 16, 2025
લાલુ યાદવના પરિવારમાં ચાલી રહેલા વિખવાદની વાર્તા નવી નથી. આ ચૂંટણી પહેલા જ લાલુ યાદવ પરિવાર વચ્ચેનો વિવાદ જગજાહેર થઇ ગયો હતો. તે દરમિયાન તેજ પ્રતાપ યાદવે પોતાને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) થી અલગ કરી દીધા હતા અને પોતાની નવી પાર્ટી બનાવી હતી. તેજ પ્રતાપ યાદવે આરજેડીથી અલગ થયા બાદ કહ્યું હતું કે તેમના પિતાની પાર્ટીને ઘણા જયચંદોએ હાઇજેક કરી છે.
આ પણ વાંચો |શું બિહાર ચૂંટણીમાં હાર બાદ પ્રશાંત કિશોર રાજકારણ છોડશે? પાર્ટી અધ્યક્ષે જવાબ આપ્યો
થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેજસ્વી યાદવના સાથી સંજય યાદવની હરકતોથી રોહિણી કેમ નારાજ છે? એવું કહેવામાં આવી રહ્યું હતું કે રોહિણી આચાર્ય કહી રહી હતી કે તમારે સંજય યાદવને સાંસદ અથવા ધારાસભ્ય બનાવવો જોઈએ, પરંતુ લાલુજી ખુરશી પર નથી બેઠાડી શકતા, આ રોહિણીની નારાજગીનું કારણ હતું. આનાથી તેમના સમર્થકો પણ નારાજ થયા હતા અને લાલુ પરિવારનો વિવાદ હવે જાહેરમાં જોવા મળ્યો હતો. તેજસ્વી યાદવની હાજરીમાં 'રોહિણી ઝિંદાબાદ'ના નારા લગાવવામાં આવી રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us