હિમાચલ પ્રદેશ : બિલાસપુરમાં બસ પર પહાડનો કાટમાળ પડ્યો, 15 લોકોનાં મોત

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. પર્વત પરથી ઘણા પથ્થરો સાથે કાટમાળ એક બસ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે

Written by Ashish Goyal
Updated : October 07, 2025 23:23 IST
હિમાચલ પ્રદેશ : બિલાસપુરમાં બસ પર પહાડનો કાટમાળ પડ્યો, 15 લોકોનાં મોત
હિમાચલ પ્રદેશ ભૂસ્ખલનથી ઘણા પથ્થરો સીધા બસની છત પર પડ્યા હતા અને બસ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઇ હતી (તસવીર - સોશિયલ મીડિયા)

landslide hits bus in himachal pradesh : હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. પર્વત પરથી ઘણા પથ્થરો સાથે કાટમાળ એક બસ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે. બચાવ કામગીરી ચાલી રહી છે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

લોકો પહાડના કાટમાળ નીચે દબાઈ ગયા

જણાવવામાં આવી રહ્યું છે કે બિલાસપુર જિલ્લાના બરઠી નજીક એક બસ 30 મુસાફરો સાથે જઈ રહી હતી. તે સમયે પર્વત પરથી પથ્થરો પડવા લાગ્યા અને ઘણો કાટમાળ પણ નીચે પડી ગયો. ઘણા પથ્થરો સીધા બસની છત પર પડ્યા હતા અને બસ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ અકસ્માત એટલો પીડાદાયક હતો કે ઘણા લોકો પહાડના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 15 મૃતદેહો મળી આવ્યા છે.

અકસ્માત બાદ તરત જ ઘટના સ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. કાટમાળ એટલો બધો પડી ગયો હતો કે લોકોને બચાવવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જેસીબીની મદદથી મોટા પથ્થરો હટાવવામાં આવ્યા હતા અને મુસાફરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી : 2020ની વિધાનસભામાં શું હતી સ્થિતિ, કોને મળી હતી સૌથી વધારે બેઠકો, જાણો

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ એ શું કહ્યું

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ એ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ જારી કરી છે. આ અકસ્માત અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે બિલાસપુર જિલ્લાના ઝંડુતા વિધાનસભા મત વિસ્તારના બાલુઘાટ (ભલ્લુ પુલ) નજીક ભારે ભૂસ્ખલનના સમાચારે મનને હચમચાવી નાખ્યું છે. એક ખાનગી બસ ભૂસ્ખલનની ચપેટમાં આવ્યા બાદ 10 લોકોના મોતના દુ:ખદ સમાચાર મળ્યા છે અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

તેમણે કહ્યું કે અધિકારીઓને સંપૂર્ણ મશીનરી લગાવવાની સૂચના આપવામાં આવી છે. હું સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છું અને સમગ્ર બચાવ કામગીરી વિશે ક્ષણે ક્ષણે માહિતી મેળવી રહ્યો છું. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે. આ મુશ્કેલ ઘડીમાં હું તમામ પ્રભાવિત પરિવારો સાથે છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ