શું સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધ છે? લદ્દાખના ડીજીપીએ ટીવી કાર્યક્રમનો ઉલ્લેખ કરીને ઉઠાવ્યો સવાલ

Sonam Wangchuk News : લેહમાં હિંસા અને ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા પર્યાવરણ કાર્યકર્તા વિરુદ્ધ લગાવવામાં આવેલા આક્ષેપો વચ્ચે સીબીઆઈ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોનમ વાંગચુક પર પાકિસ્તાન સાથે કનેક્શન હોવાના આરોપ પણ લાગી રહ્યા છે અને તેમનું ભંડોળ પણ શંકાના દાયરામાં આવ્યું છે

Written by Ashish Goyal
September 27, 2025 19:16 IST
શું સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધ છે? લદ્દાખના ડીજીપીએ ટીવી કાર્યક્રમનો ઉલ્લેખ કરીને ઉઠાવ્યો સવાલ
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને શુક્રવારે લદ્દાખ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ અટકાયત કરી હતી. (Photo: Express)

Sonam Wangchuk News : લેહમાં હિંસા અને ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા પર્યાવરણ કાર્યકર્તા વિરુદ્ધ લગાવવામાં આવેલા આક્ષેપો વચ્ચે સીબીઆઈ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોનમ વાંગચુક પર પાકિસ્તાન સાથે કનેક્શન હોવાના આરોપ પણ લાગી રહ્યા છે અને તેમનું ભંડોળ પણ શંકાના દાયરામાં આવ્યું છે. આ દરમિયાન લદ્દાખના ડીજીપી એસડી સિંહ જામવાલે કહ્યું કે પોલીસ વાંગચુકના કથિત પાકિસ્તાની કનેક્શનની પણ તપાસ કરી રહી છે.

લદ્દાખના ડીજીપી જામવાલે લેહમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે તાજેતરમાં એક પાકિસ્તાની પીઆઈઓ (ગુપ્તચર ઓપરેટિવ)ની ધરપકડ કરી છે જે તેમના વિશે રિપોર્ટિંગ કરી રહ્યો હતો. ડીજીપીએ સોનમ વાંગચુકની પાકિસ્તાન મુલાકાત અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેથી તેમના પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે.

સોનમ વાંગચુકના ફંડિંગની તપાસ ચાલી રહી છે

લદ્દાખના ડીજીપી જામવાલે કહ્યું કે વાંગચુકનો લોકોને ઉશ્કેરવાનો લાંબો ઇતિહાસ છે, જ્યારે તેમણે આરબ સ્પ્રિંગ, નેપાળ અને બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એફસીઆરએના ઉલ્લંઘન માટે તેમના ભંડોળના સોર્સની તપાસ કરવામાં આવી રહી છે.

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને શુક્રવારે લદ્દાખ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ અટકાયત કરી હતી. બે દિવસ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા

ભૂખ હડતાલ પર ઉતરેલા સોનમ વાંગચુક લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશને માન્યતા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ માંગણીઓ પર બુધવારે વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

આ પણ વાંચો – બબાલ પછી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – બરેલીના મૌલાના ભૂલી ગયા છે કે સત્તામાં કોણ છે

વાંગચુક પર લાગ્યા છે આરોપ

સમાચાર એજન્સી એએનઆઈનો રિપોર્ટ બતાવે છે કે આપવામાં આવ્યો છે કે તેમણે અગાઉ પણ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા. તેમણે કહ્યું કે 24 સપ્ટેમ્બરના રોજ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને નાગરિકો, પોલીસ અધિકારીઓ અને અર્ધસૈનિક દળના જવાનો ઘાયલ થયા હતા.

જામવાલે વાંગચુકનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં કેટલાક કહેવાતા પર્યાવરણીય કાર્યકરોનો સમાવેશ થાય છે; તેમની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ