/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Paracetamol-Disadvantages.jpg)
પેરાસીટામોલના ગેરફાયદા
Paracetamol Disadvantages : એડિનબર્ગ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ પેરાસિટામોલ લીવરને નુકસાન પહોંચાડે છે. પેરાસીટામોલનો ઓવરડોઝ મૃત્યુનું કારણ બની શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પેરાસિટામોલના ઓવરડોઝને કારણે 227 લોકોના મોત થયા છે. પેરાસીટામોલ એ એક્યુટ હેપેટોટોક્સિસીટીનું મહત્વનું કારણ છે. 2020 ના અભ્યાસમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં લીવર નિષ્ફળતાના અડધાથી વધુ કેસોમાં પેરાસિટામોલ ફાળો આપતું પરિબળ હોવાનું જાણવા મળ્યું છે. પેરાસીટામોલનો ઉપયોગ તાવ, દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધીની બેચેનીની સારવાર માટે થાય છે.
પેરાસીટામોલનું સેવન ગોળીઓના રૂપમાં અને બાળકો માટે પ્રવાહી સ્વરૂપમાં થાય છે. તેને એસિટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરાસીટામોલનો ઉપયોગ માથાનો દુખાવો, પીરિયડનો દુખાવો, દાંતનો દુખાવો, પીઠનો દુખાવો, અસ્થિવા, શરદી અથવા ફ્લૂને કારણે થતો દુખાવો અને તાવ ઘટાડવા માટે થાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, તાવ, દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, બેચેની અને શરીરની બીજી અનેક સમસ્યાઓને દૂર કરતી આ દવા લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ કે, પેરાસીટામોલ લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને તેનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરી શકાય.
પેરાસીટામોલ લીવરને કેવી રીતે નુકસાન કરે છે?
એસિટામિનોફેન માં ઈબુપ્રોફેન અને નેપ્રોક્સેનની તુલનામાં સુરક્ષાની સાંકડી વિન્ડો હોય છે. નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs) પણ તમને બીમાર કરી શકે છે, પરંતુ તેમનો ઓવરડોઝ ખતરનાક છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગ પર ઉપલબ્ધ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વધુ પડતુ એસિટામિનોફેન લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે. કેટલીકવાર એસિટામિનોફેન અથવા પેરાસીટામોલનો ઓવરડોઝ લીવર ટ્રાન્સપ્લાન્ટ અથવા મૃત્યુ તરફ દોરી જાય છે.
હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગના એક અહેવાલ મુજબ, શરીર આ દવાના સામાન્ય ડોઝમાં મોટાભાગના એસિટામિનોફેનને તોડી નાખે છે અને તેને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર પણ કરે છે. પરંતુ કેટલીક દવાઓ આડપેદાશમાં પરિવર્તિત થાય છે, જે લીવર માટે ઝેરી હોય છે. જો તમે પેરાસીટામોલનું વધુ પડતું સેવન કરો છો, અથવા રોજ દવાને એક સાથે ઘણા દિવસો સુધી લો છો, તો શરીર તેને હેન્ડલ કરવામાં અસમર્થ થઈ જાય છે અને શરીરમાં વધુ ઝેર એકઠુ થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
પેરાસીટામોલના સેવનની સલામત મર્યાદા શું છે?
WHO અનુસાર, પેરાસિટામોલની મર્યાદિત માત્રા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક પુખ્ત વ્યક્તિએ એક માત્રામાં 1,000 મિલિગ્રામ પેરાસિટામોલથી વધુ અને દરરોજ 4,000 મિલિગ્રામથી વધુ ન લેવું જોઈએ. પેરાસીટામોલની સામાન્ય માત્રા શરીરના વજનના કિલોગ્રામ દીઠ 15 મિલિગ્રામ છે. જે લોકોને લીવરની સમસ્યા હોય તેઓ પેરાસિટામોલની માત્રા ઘટાડી શકે છે.
બાળકો માટે પેરાસીટામોલનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, બાળકો માટે પેરાસિટામોલનો ઉપયોગ ત્યારે જ કરો, જ્યારે તેમના શરીરનું તાપમાન 101.3 ડિગ્રી ફેરનહીટથી ઉપર જાય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us