6 મહિનામાં આવશે મોટો રાજનીતિક ભૂકંપ, બંગાળમાં પીએમ મોદીએ કહ્યું – વંશવાદી રાજનીતિવાળા ઘણા દળ ખતમ થઇ જશે

Lok Sabha Election 2024 : પીએમ મોદીએ કહ્યું - ટીએમસીએ બંગાળ અને ક્ષેત્રને વિકાસથી વંચિત રાખ્યું છે. લોકો એ પણ સમજી ગયા છે કે પ્રામાણિકતાથી વિકાસ માત્ર ભાજપ જ કરી શકે છે. તમે બંગાળમાં ભાજપને મજબૂત કરો, તમારી દરેક અપેક્ષા ભાજપ પૂરી કરશે

Written by Ashish Goyal
Updated : May 29, 2024 19:43 IST
6 મહિનામાં આવશે મોટો રાજનીતિક ભૂકંપ, બંગાળમાં પીએમ મોદીએ કહ્યું – વંશવાદી રાજનીતિવાળા ઘણા દળ ખતમ થઇ જશે
લોકસભા ચૂંટણી 2024માં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

Lok Sabha Election 2024 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળને લઈને ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે, તેઓ માની રહ્યા છે કે ભાજપ બંગાળમાં જંગી વિજય નોંધાવવા જઈ રહ્યો છે, તે તેની જૂની સંખ્યા કરતા ઘણું સારું પ્રદર્શન કરશે. આ દરમિયાન પીએમ મોદી બુધવારે દક્ષિણ 24 પરગના પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક રેલીને સંબોધિત હતી જયાં પીએમ મોદીએ આ જ રેલીમાં મોટો સંકેત આપવાનું કામ કર્યું છે.

વંશવાદી રાજકારણની મદદથી આગળ વધતા ઘણા પક્ષોનો સફાયો થઈ જશે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે તમારો એક મત આ દેશની દિશા બદલવાનો છે. પરિણામ 4 જૂને આવશે અને ત્યારબાદ આગામી છ મહિનામાં દેશમાં મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાજકારણની મદદથી આગળ વધતા ઘણા પક્ષોનો સફાયો થઈ જશે. હવે પીએમ મોદીએ આગામી 6 મહિનામાં શું થવાનું છે તે કહ્યું નથી, પરંતુ તેમણે બંગાળની ધરતી પરથી આ વાત કહી છે, તેના કારણે તેનો અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.

મોદીનો વિકાસ મંત્ર

દક્ષિણ 24 પરગણામાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ ટીએમસી પર પ્રહાર કર્યો હતો. આ સિવાય ત્યાંની જનતાને એક વિઝન પણ દેખાડ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીએ બંગાળ અને ક્ષેત્રને વિકાસથી વંચિત રાખ્યું છે. લોકો એ પણ સમજી ગયા છે કે પ્રામાણિકતાથી વિકાસ માત્ર ભાજપ જ કરી શકે છે. તમે બંગાળમાં ભાજપને મજબૂત કરો, તમારી દરેક અપેક્ષા ભાજપ પૂરી કરશે.

આ પણ વાંચો – 303ની બહુમતી સાથે પ્રથમ NDA સરકાર રચાઈ, જાણો જીતના મુખ્ય પરિબળો શું હતા

બંગાળમાં અનામતની ખુલ્લી લૂંટ : પીએમ મોદી

પીએમ મોદીએ માત્ર વિકાસનો ઉલ્લેખ જ નથી કર્યો પરંતુ આખા ઈન્ડિયા ગઠબંધન પર તુષ્ટિકરણના ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે ટીએમસી સરકારે તુષ્ટિકરણ માટે દેશના બંધારણ પર ખુલ્લેઆમ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. આપણા બંધારણે દલિતો અને ઓબીસીને અનામત આપી છે, પરંતુ બંગાળમાં તે અનામતની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. મુસ્લિમોના નકલી ઓબીસી પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા છે. કલ્પના કરો કે આ લોકો કેટલી હદે તુષ્ટિકરણ માટે જવા તૈયાર છે. 1 જૂને તમારો એક મત આ ખતરનાક ઈરાદાઓને રોકશે.

વડા પ્રધાને કટ સિસ્ટમને લઇને શું કહ્યું?

પીએમ મોદીએ ટીએમસી સરકાર વિશે કહ્યું હતું કે તે માત્ર કટ સિસ્ટમ પર ચાલે છે, ભ્રષ્ટાચાર ચરમ સીમા પર પહોંચી ગયો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટીએમસીની જીતનું મોટું નુકસાન આ ક્ષેત્રના લાખો માછીમારોને ભોગવવું પડી રહ્યું છે. કેન્દ્ર સરકાર માછીમાર ભાઈઓ અને બહેનો માટે આટલી બધી યોજનાઓ ચલાવી રહી છે. અમે માછલી પાલનકર્તા અને ખેડૂતોને ફિશર ક્રેડિટ કાર્ડની સુવિધા આપી છે. અમે ફિશ કલ્ચર સેન્ટર આપ્યું. ટીએમસી બંગાળમાં મત્સ્યોદ્યોગને લગતા કેન્દ્રીય કાયદાઓને લાગુ કરવાની મંજૂરી આપી રહ્યું નથી. તેમને તો પોતાના કટ-મની સિસ્ટમની ચિંતા છે. શું તમે આવી ટીએમસીને સજા કરશો?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ