મહારાષ્ટ્રમાં MVA પર સંકટના વાદળો! પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ ઠાકરને કહી દીધું નમસ્તે, જાણો કેમ

Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે સીટ વહેંચણીથી નારાજ થઇને ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી

Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે સીટ વહેંચણીથી નારાજ થઇને ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Prakash Ambedkar, Lok Sabha Election 2024, MVA, Maharashtra

બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકર સીટ વહેંચણીથી નારાજ છે (ફાઇલ ફોટો)

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 હવે નજીક આવી ગઇ છે. ચૂંટણી પંચે મતદાનનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો સતત પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં વિપક્ષી દળોના ઇન્ડિયા એલાયન્સના ઘણા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીને ઝટકો લાગ્યો છે. કારણ કે વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકર સીટ વહેંચણીથી નારાજ થઇને ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે.

Advertisment

રિપોર્ટ છે કે પ્રકાશ આંબેડકરે રવિવારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સાથે સંબંધ તોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે જો 26 માર્ચ સુધી ગઠબંધન નહીં બને તો ગઠબંધન સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓને મોટો ઝટકો લાગી શકે છે.

આંબેડકર એ જ છે જેમણે શિવસેના સાથે ભીમશક્તિ-શિવશક્તિ ગઠબંધન બનાવ્યું હતું. હવે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ઉદ્ધવની શિવસેનાથી માંડીને કોંગ્રેસ અને શરદ પવારના જૂથની એનસીપી સુધી સૌ પોતપોતાના રાજકીય હિતોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે અને વીબીએની અવગણના કરી રહ્યા છે.

પ્રકાશ આંબેડકરે શું કહ્યું?

પ્રકાશ આંબેડકરનું આ વલણ બતાવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી 2024માં તેઓ એકલા ચૂંટણીમાં ઉતરી શકે છે. આ અંગે પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે મેં 26 માર્ચે એમવીએને અલ્ટીમેટમ આપ્યું છે. ત્યાં સુધીમાં બેઠકોની વહેંચણી પૂરી થઈ જવી જોઈએ. આ વાત અનિશ્ચિત કાળ સુધી ચાલી શકે તેમ નથી અને આ વિલંબથી અમે ખુશ નથી, આવી ચૂંટણીઓમાં વિપક્ષ કેવી રીતે આગળ વધશે.

Advertisment

ઉદ્ધવ જૂથની શિવસેના (યુબીટી) સાથેનું જોડાણ તોડવા અંગે આંબેડકરે કહ્યું હતું કે તે અર્થહીન છે કારણ કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી હવે એમવીએનો ભાગ બની ગઈ છે. એમવીએના કોઈપણ એક ઘટક સાથે વ્યક્તિગત ભાગીદારીનો કોઈ અર્થ નથી. તમામ નિર્ણયો સામૂહિક રીતે લેવા જોઈએ.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : મુસ્લિમો ક્યાં સુધી ભાજપથી દૂર રહેશે? પાર્ટીના ઉમેદવાર અબ્દુલ સલામે કહી મોટી વાત

શિવસેનાએ પણ દેખાડ્યા છે તેવર

આ ગઠબંધન તૂટવાની સંભાવના વચ્ચે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે ભીમશક્તિ શિવશક્તિ ગઠબંધન રાજનીતિથી પ્રેરિત નથી અને તેની રચના સામાજિક હેતુ માટે કરવામાં આવી છે કારણ કે ઉદ્ધવના દાદા કેશવ ઠાકરે અને વીબીએના પ્રમુખ દાદા ડો.બી.આર.આંબેડકરે જાતિવાદ વિરુદ્ધ સાથે મળીને કામ કર્યું હતું. સંજય રાઉતે કહ્યું કે બી.આર.આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને આશા છે કે આંબેડકર પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે અને ભાજપ અને તેની સરમુખત્યારશાહી સામેની લડાઈમાં એક સંયુક્ત એજન્ડા બનાવશે.

તમને જણાવી દઈએ કે જ્યારે 2022માં શિવસેનામાં ભાગલા પડ્યા હતા ત્યારે દલિત મતોને સાધવાની નીતિ હેઠળ ઉદ્ધવ ઠાકરેએ એક વ્યૂહાત્મક પગલું ભર્યું હતું અને વીબીએ સાથે જોડાણ કર્યું હતું. આવી સ્થિતિમાં 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા જ આ જોડાણનું ભંગાણ મહા વિકાસ આઘાડી માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે.

મહત્વની સીટ શેરિંગ પર માથાપચ્ચી!

આ મુદ્દે એમવીએના અન્ય એક ઘટક એવા કોંગ્રેસના પીઢ નેતા બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે એમવીએનું વિઝન હંમેશા સમાન વિચારધારા ધરાવતા બિનસાંપ્રદાયિક પક્ષોને એકજૂથ કરવાનું રહ્યું છે. વીબીએ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમે ઇચ્છીએ છીએ કે તે એમવીએમાં રહે.

એમવીએના ઘટકોમાં ભલે એવું કહેવામાં આવી રહ્યું હોય કે પ્રકાશ આંબેડકર તેમના માટે મહત્વના છે, પરંતુ તેઓ બેઠકોની વહેંચણીના મુદ્દે કોઈ સર્વસંમતિ સાધી શકતા નથી, જે વિરોધ પક્ષો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. જેના કારણે મહારાષ્ટ્રમાં નવા રાજકીય તોફાનને કારણે વિપક્ષમાં હલચલ મચી રહી છે.

ઇન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 દેશ