લોકસભા ચૂંટણી 2024 : વરુણ ગાંધી નવા જુની કરવાના મૂડમાં! ઉમેદવારી પેપરને લઇને ચર્ચામાં

Lok Sabha Elections 2024 : પીલીભીત લોકસભા સીટ માટે પહેલા તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે આજથી ઉમેદવારી શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી

Lok Sabha Elections 2024 : પીલીભીત લોકસભા સીટ માટે પહેલા તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે આજથી ઉમેદવારી શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Varun Gandhi, lok sabha elections 2024

ભાજપના સાંસદ વરુણ ગાંધી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપે હજુ સુધી પીલીભીત બેઠક પરથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ચર્ચા છે કે ભાજપ આ વખતે વરુણ ગાંધીને ટિકિટ નહીં આપે. આ ચર્ચાઓ વચ્ચે પીલીભીતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે વરુણ ગાંધીના પ્રતિનિધિએ પીલીભીતથી સાંસદના ઉમેદવારી પત્રો ખરીદ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરુણ ગાંધીના પ્રતિનિધિ દિલ્હીથી આવ્યા હતા. તેમણે ચાર સેટ નોમિનેશન પેપર ખરીદ્યા અને દિલ્હી ચાલ્યા ગયા હતા.

Advertisment

મીડિયા રિપોર્ટ અનુસાર વરુણ ગાંધીને જો ભાજપમાંથી ટિકિટ ના મળે તો અપક્ષ ઉમેદવાર તરીકે પીલીભીતથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે લોકસભા સીટોના નામને લઈને હજુ સુધી પીએમ મોદીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક થવાની બાકી છે. આ બેઠકમાં વરુણને ટિકિટ મળશે કે નહીં તે નક્કી થશે. મીડિયા રિપોર્ટ અનુસાર કોર કમિટીની બેઠકમાં રાજ્ય સ્તરે ભાજપના તમામ નેતાઓએ વરુણ ગાંધીને ટિકિટ આપવાનો વિરોધ કર્યો છે.

પીલીભીતથી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી

તમને જણાવી દઈએ કે પીલીભીત લોકસભા સીટ માટે પહેલા તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે આજથી ઉમેદવારી શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી. આ બેઠક પરથી વરુણ ગાંધી સાંસદ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વરુણ ગાંધી અનેક વાર રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે તેમની ભાજપ પ્રત્યેની નારાજગી જગજાહેર છે. પરંતુ તે ચોક્કસપણે છે કે કેટલાક સમય માટે વરુણ ગાંધી તેમના સત્તાવાર એક્સ હેન્ડલથી પીએમ મોદીની પોસ્ટને રિપોસ્ટ કરતા રહે છે.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી, ચૂંટણી ઢંઢેરામાં આ વાતો પર ફોક્સ કરશે

Advertisment

સમાજવાદી પાર્ટીએ વરુણ ગાંધી માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે

મંગળવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે સંકેત આપ્યા હતા કે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી વરુણ ગાંધીને ટિકિટ આપવામાં આવી શકે છે. અખિલેશ યાદવ અહીં એક બિઝનેસ મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમને વરુણ ગાંધી વિશે સવાલ કરવામાં આવ્યા હતા.

વરુણ ગાંધી વિશે પૂછાયેલા સવાલના જવાબમાં અખિલેશે કહ્યું હતું કે ભાજપનો મુદ્દો છે કે તે કોને ટિકિટ આપે છે અને કોને નથી આપતી. અમારી સમિતિ દરેક બાબતને ધ્યાનમાં લે છે. એટલે કે સમાજવાદી પાર્ટીએ વરુણ ગાંધી માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે અને પાર્ટી રાજકીય સ્થિતિ પર નજર રાખી રહી છે તે સ્પષ્ટ છે.

લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ દેશ ભાજપ