ભાગલા પાડો અને રાજ કરો! ભાજપને હરાવવા માટે કેજરીવાલની નવી રણનીતિ તૈયાર, અમિત શાહે આપ્યો જવાબ?

Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024 : અરવિંદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થયા બાદ ભાજપ સામે નવી રમનીતિ સાથે પ્રચાર કરી રહ્યા છે, તેમના ભાષણમાં ભાજપ નેતાઓ વચ્ચે અંદરો અંદર ફૂટ પડે તેવી માઈન્ડ ગેમ ચાલી રહી હોવાનું જણાઈ રહ્યું છે.

Written by Kiran Mehta
Updated : May 11, 2024 20:52 IST
ભાગલા પાડો અને રાજ કરો! ભાજપને હરાવવા માટે કેજરીવાલની નવી રણનીતિ તૈયાર, અમિત શાહે આપ્યો જવાબ?

Lok Sabha Election 2024 | સુધાંશુ મહેશ્વરી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. ભલે તે થોડા દિવસો માટે હોય, આમ આદમી પાર્ટી માટે આ એક મોટી રાહતના સમાચાર છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ અરવિંદ કેજરીવાલનું પહેલું મોટું ભાષણ, મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે જે કઠોરતા બતાવી તે પહેલાં ક્યારેય જોવા મળી નથી. તેમની શૈલી જૂની છે, પરંતુ તેમનું વલણ વધુ ધારદાર બન્યું છે.

કેજરીવાલ ભાજપની અંદર જ ગહયુદ્ધ શરૂ કરાવશે?

શનિવારે અરવિંદ કેજરીવાલે આપેલા ભાષણમાં એક વાત ધ્યાને લેવા જેવી છે. તેઓ ચોક્કસપણે ભાજપ પર પ્રહાર કરતા આવ્યા છે, પરંતુ આ વખતે તેમણે અલગ વ્યૂહરચના સાથે હુમલો કરી રહ્યા છે. એવું જોવામાં આવ્યું હતું કે, કેજરીવાલ ભાજપની અંદર અલગ પ્રકારનું યુદ્ધ શરૂ કરવા માગે છે. તેઓ નેતાઓને એકબીજા સામે ઉશ્કેરી રહ્યા હતા, અવિશ્વાસની દિવાલ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના ભાષણ દ્વારા દિલ્હીના સીએમએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું, અમિત શાહ પર નિશાન સાધ્યું અને પછી પીએમ મોદી વિશે પણ મોટા દાવા કર્યા.

યોગી અંગે નિવેદન, શંકા ઉભી થશે?

સીએમ કેજરીવાલે કહ્યું કે, હું ભાજપને પૂછું છું કે તમારો પીએમ કોણ હશે? મોદીજી આવતા વર્ષે 75 વર્ષના થઈ રહ્યા છે, 2014માં, મોદીજીએ પોતે જ ભાજપમાં નિયમો બનાવ્યા હતા કે, જે કોઈ ભાજપમાં 75 વર્ષનો થશે તે નિવૃત્ત થશે. હવે મોદીજી નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જો તેમની સરકાર બને તો સૌથી પહેલા તેઓ બે મહિનામાં યોગીજીનો નિકાલ કરશે, તે પછી આવતા વર્ષે સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેઓ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. મોદીજી પોતાના માટે વોટ નથી માંગી રહ્યા, તેઓ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.

કેજરીવાલને નેતાઓનું બલિદાન કેમ ગમે છે?

હવે અહીં કેજરીવાલે કહ્યું કે. યોગીની સીએમની ખુરશી મુશ્કેલીમાં છે, બીજા નિવેદનમાં તેમણે તે તમામ નેતાઓનો ઉલ્લેખ કર્યો, જેમના રાજકીય બલિદાન ભાજપે માંગ્યા હતા. તેમણે અડવાણીજી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજનની રાજનીતિનો અંત લાવ્યો. મધ્યપ્રદેશની ચૂંટણીમાં જીત મેળવનાર શિવરાજ સિંહ ચૌહાણને સીએમ ન બનાવવામાં આવ્યા, તેમની રાજનીતિનો અંત આવી ગયો. વસુંધરા રાજે, ખટ્ટર સાહેબ, રમણ સિંહનું રાજકારણ ખતમ થઈ ગયું, હવે આગળનો વારો યોગી આદિત્યનાથનો છે. જો તે આ ચૂંટણીઓ જીતી જશે તો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બે મહિનામાં બદલાઈ જશે, આ સરમુખત્યારશાહી છે.

હવે આ નિવેદનો દ્વારા ભાજપના અસંતુષ્ટ નેતાઓમાં નારાજગી ભરવાનો પ્રયાસ જોવા મળ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણ પાસેથી CMની ખુરશી છીનવાઈ, આ સત્ય છે. પૂર્વ સીએમને આનું ખોટુ લાગ્યું, આ પણ સાચું છે. એ જ રીતે 15 વર્ષ સુધી સીએમ રહેલા રમણ સિંહે પણ તેમના પર નારાજગી વ્યક્ત કરી હતી. એટલે કે કેજરીવાલે એવા નેતાઓનો ઉલ્લેખ કર્યો, જેઓ બીજેપી હાઈકમાન્ડથી કોઈને કોઈ રીતે નારાજ છે અથવા જેમને તાજેતરમાં મોટો રાજકીય આંચકો લાગ્યા છે.

ભાજપના મુદ્દા, કેજરીવાલ કરશે તેમાં હસ્તક્ષેપ!

આમ તો માત્ર ભાજપને જ ભાજપના અંગત મુદ્દાઓ પર વિચારવાનો અધિકાર છે, પરંતુ અહીં અરવિંદ કેજરીવાલે ગંગા ઉલ્ટી વહાવી દીધી છે. તેમના તરફથી બીજેપીના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે, પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણને આખા દેશની સામે મુકવામાં આવી છે. કહેવાય છે કે, યોગીની સીએમની ખુરશીને કોઈ ખતરો નથી, પરંતુ તેમણે જનતાના મનમાં એવી શંકા મૂકી છે કે, યોગીને બે મહિનામાં જ મુખ્યમંત્રી પદ ગુમાવવું પડશે.

એ જ રીતે મોટો દાવો કરતા તેમણે અમિત શાહને વડાપ્રધાન બનાવવાની વાત કરી છે. લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ચોક્કસપણે ચર્ચા ચાલી રહી છે કે, મોદી પછી ભાજપ યોગીને પીએમના દાવેદાર તરીકે રજૂ કરશે. પરંતુ તે ધારણાને તોડવા માટે કેજરીવાલે અમિત શાહનું નામ આગળ કર્યું. ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોદીની ગેરેન્ટીના નામે વોટ ચોક્કસ માંગવામાં આવી રહ્યા છે, પરંતુ બાદમાં અમિત શાહને પીએમ બનાવવામાં આવશે.

શું તમે મોદીની ગેરંટીની હવા કાઢશો?

હવે આ નિવેદન દ્વારા કેજરીવાલે પણ એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તરફ જનતામાં ‘મોદીની ગેરંટી’ સ્લોગનનું મૂલ્ય સંપૂર્ણપણે ઘટી ગયું છે, તો બીજી તરફ ભાજપની અંદર એવો સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, તમારા લોકપ્રિય નેતા મોદી હવે PM બનવાના નથી અથવા તો તેઓ તેથી તેઓ તે પોસ્ટ બીજા કોઈને સોંપશે. અવિશ્વાસની આ રમત બળવાનો પાયો નાખે છે અને કોઈપણ પક્ષ માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે. હવે આ પહેલીવાર છે જ્યારે કેજરીવાલે ખુદ ભાજપની મદદથી ભાજપ પર પ્રહારો કર્યા છે. અગાઉ માત્ર આરોપો લગાવવામાં આવ્યા હતા કે, આમ આદમી પાર્ટીને બરબાદ કરવાનું ષડયંત્ર છે.

આ પણ વાંચો – જો તેઓ ચૂંટણી જીતશે તો મોદી બે મહિનામાં યુપીના મુખ્યમંત્રી બદલી દેશેઃ અરવિંદ કેજરીવાલ

કેજરીવાલની માઈન્ડ ગેમ!

પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે નવી રમત શરૂ કરી છે. આ ગેમ હેઠળ તેઓ ભાજપના કાર્યકરો સાથે માઈન્ડ ગેમ રમી રહ્યા છે. તેમના મનમાં આ અવિશ્વાસ પેદા થઈ રહ્યો છે કે, તેમના નેતાઓ વધુ સમય સક્રિય રહેવાના નથી. આની ઉપર, એવા નેતાઓને ઇરાદાપૂર્વક વિકલ્પ તરીકે આગળ મૂકવામાં આવી રહ્યા છે કે, જેના પર ભાજપમાં જ સર્વસંમતિ ન હોય, જેનો અર્થ એ થાય કે ફરીથી બળવાનો રાફડો ફાટશે.

અમિત શાહે અરવિંદ કેજરીવાલને આપ્યો જવાબ

અરવિંદ કેજરીવાલના નિવેદન પર અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે. અમિત શાહ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમને આ સવાલ પૂછવામાં આવ્યો. અમિત શાહે કહ્યું, “અરવિંદ કેજરીવાલ મોટી ભૂલ કરી રહ્યા છે કે PM મોદી જ્યારે 75 વર્ષના થશે ત્યારે તેઓ રાજીનામું આપશે. હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓને કહેવા માંગુ છું કે, ભાજપના બંધારણમાં એવું કંઈ નથી કે 75 વર્ષ પછી પીએમ પદ પર ન રહી શકે. પીએમ મોદી માત્ર આ કાર્યકાળમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ દેશનું નેતૃત્વ કરશે અને આ અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.

કેજરીવાલ અંગે અમિત શાહે કહ્યું કે, તેમને માત્ર વચગાળાના જામીન મળ્યા છે અને તે કામચલાઉ છે. શાહે કહ્યું, “એવું નથી કે અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં દોષમુક્ત કરવામાં આવ્યા છે. તેમના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે. જો અરવિંદ કેજરીવાલ જામીનને ક્લીનચીટ માને છે, તો તેમની કાયદાની સમજ નબળી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ