ભારતના ટોચના સેના અધિકારીનો દાવો, ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા

Operation Sindoor : ત્રણ દિવસના આક્રમણ દરમિયાન ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે સેવા આપનારા લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના નુકસાનનું પ્રમાણ તેમની સેના દ્વારા જાહેર કરાયેલા મરણોત્તર પુરસ્કારોની અસામાન્ય રીતે મોટી સંખ્યા પરથી અંદાજી શકાય છે

Operation Sindoor : ત્રણ દિવસના આક્રમણ દરમિયાન ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે સેવા આપનારા લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના નુકસાનનું પ્રમાણ તેમની સેના દ્વારા જાહેર કરાયેલા મરણોત્તર પુરસ્કારોની અસામાન્ય રીતે મોટી સંખ્યા પરથી અંદાજી શકાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Operation Sindoor, Lt Gen Rajiv Ghai

ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ (તસવીર - એએનઆઈ સ્ક્રીનગ્રેબ)

Operation Sindoor : ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ મંગળવારે જણાવ્યું હતું કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન અને પીઓકેમાં નિયંત્રણ રેખા પાર આતંકવાદી માળખાને નિશાન બનાવતી વખતે 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

Advertisment

ત્રણ દિવસના આક્રમણ દરમિયાન ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે સેવા આપનારા લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના નુકસાનનું પ્રમાણ તેમની સેના દ્વારા જાહેર કરાયેલા મરણોત્તર પુરસ્કારોની અસામાન્ય રીતે મોટી સંખ્યા પરથી અંદાજી શકાય છે. યુએન ટ્રુપ કોન્ટ્રીબ્યુટીંગ નેશન્સના આર્મી ચીફ્સના કોન્ક્લેવમાં આ વાત કહી હતી.

પાકિસ્તાનના 11 વાયુસેના મથકો પર હુમલો કર્યો હતો

સંકલિત લશ્કરી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ આપતા લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) એ 9 અને 10 મેની રાત્રે અનેક પાકિસ્તાની વાયુસેના મથકો પર સચોટ હુમલા કર્યા હતા. બંને DGMO વચ્ચે અગાઉથી વાતચીત થઈ હોવા છતાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ભારતીય હવાઈ ક્ષેત્રમાં વારંવાર ઉલ્લંઘન કર્યા પછી આ કાર્યવાહી કરાઇ હતી.

તેમણે કહ્યું કે અમે તેમના 11 વાયુસેના મથકો પર હુમલો કર્યો. આઠ વાયુસેના મથકો, ત્રણ હેંગરો અને ચાર રડારને નુકસાન થયું હતું. પાકિસ્તાની હવાઈ સંપત્તિ નાશ પામી હતી. એક C-130 વિમાન, એક AEW&C, અને ચારથી પાંચ ફાઇટર જેટ હવામાં નાશ પામ્યા હતા.

Advertisment

ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં હાઇ એલર્ટ પર હતી

લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ કહ્યું કે ભારતીય નૌકાદળને પણ અરબી સમુદ્રમાં હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. જો દુશ્મને તેને આગળ વધારવાનો નિર્ણય લીધો હોત તો તે તેમના માટે વિનાશક બની શક્યું હોત, માત્ર સમુદ્રથી જ નહીં પરંતુ અન્ય પરિમાણોથી પણ. તેમના મતે પાકિસ્તાને ઓપરેશન શરૂ થયાના 88 કલાકની અંદર દુશ્મનાવટ બંધ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ભારતે લક્ષિત, નિયંત્રિત અને બિન-વધારાની કાર્યવાહી દ્વારા તેના તમામ રાજકીય અને લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે, જેમાં પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી લડશે

IAF ચીફ એર ચીફ માર્શલ એપી સિંહે પણ પુષ્ટિ કરી હતી

આ મહિનાની શરૂઆતમાં, IAF ચીફ એર ચીફ માર્શલ એપી સિંહે પણ પુષ્ટિ આપી હતી કે હુમલામાં પાકિસ્તાની હેંગરમાં પાર્ક કરેલા C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ચારથી પાંચ ફાઇટર જેટ, કદાચ F-16, ને નુકસાન થયું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે F-16 અને JF-17 વર્ગના ઘણા અદ્યતન ફાઇટર સાથે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW&C) અથવા સિગ્નલ્સ ઇન્ટેલિજન્સ (SIGINT) એરક્રાફ્ટનો નાશ કરવામાં આવ્યો હતો.

ભારત પાકિસ્તાન સંઘર્ષ ઓપરેશન સિંદૂર Indian army india ભારતીય વાયુસેના