Maha Kumbh 2025: મહા કુંભ 2025થી યુપીના અર્થતંત્રને બુસ્ટર ડોઝ, દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો કેવી રીતે બન્યો બિઝનેસ હબ

Maha Kumbh Mela 2025 Prayagraj: મહા કુંભ મેળા 2025 થી ઉત્તર પ્રદેશના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળવાની આશા છે. મહા કુંભ મેળા માટે યોગી આદિત્યનાથની ભાજપ સરકારે 6990 કરોડના બજેટમાં 549 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. નાના મોટા વેપારીઓ, ટ્રાન્સપોર્ટ, હોટેલ રેસ્ટોરેન્ટથી લઇ હોડીના નાવિકોને સારી કમાણી થવાની અપેક્ષા છે.

Maha Kumbh Mela 2025 Prayagraj: મહા કુંભ મેળા 2025 થી ઉત્તર પ્રદેશના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળવાની આશા છે. મહા કુંભ મેળા માટે યોગી આદિત્યનાથની ભાજપ સરકારે 6990 કરોડના બજેટમાં 549 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. નાના મોટા વેપારીઓ, ટ્રાન્સપોર્ટ, હોટેલ રેસ્ટોરેન્ટથી લઇ હોડીના નાવિકોને સારી કમાણી થવાની અપેક્ષા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Maha Kumbh Mela 2025 Prayagraj | | Maha Kumbh Mela 2025 Prayagraj

Maha Kumbh Mela 2025 Prayagraj : મહા કુંભ મેળો 2025 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી થી 24 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. (Photo: @MahaKumbh_2025)

Maha Kumbh Mela 2025 Prayagraj In Uttar Pradesh: મહા કુંભ 2025 પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી થી શરૂ થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશનો મહા કુંભ મેળો એક ધાર્મિક કાર્યક્રમ હોવાની સાથે સાથે એક વિશાળ આર્થિક તાકાત બની ગયો છે. 13 જાન્યુઆરીથી શરૂ થનારા આ મેળામાં અંદાજે 40 કરોડ શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરશે. ઐતિહાસિક રીતે કુંભ મેળો હંમેશાથી આસ્થા અને આર્થિક સંગમ રહ્યો છે.

Advertisment

યુપી સરકારે મહા કુંભ માટે 6900 કરોડ ફાળવ્યા

આ વખતે યોગી આદિત્યનાથ સરકારે 6,990 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે, જેના કારણે મેળા સ્થળ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં મોટો સુધારો થયો છે. આ મેળાએ વેપાર-ધંધા, રોકાણકારો અને કંપનીઓને આકર્ષીને રાજ્યના અર્થતંત્ર પર ઉંડી અસર કરી છે. મહા કુંભ મેળા પાછળ એક મોટી આર્થિક તાકાત છુપાયેલી છે.

https://twitter.com/MahaKumbh_2025/status/1877994752546857331

40 દિવસના મહા કુંભ મેળામાં ઘણું નવું થશે

સાતમી સદીમાં, ચીની મુસાફર હ્યુએન સાંગને કુંભ મેળામાં શ્રદ્ધા અને વાણિજ્યનું મિશ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં શાસકો અને વેપારીઓ પવિત્ર જળમાં સ્નાન કરીને ભિક્ષા આપતા હતા. આ ભાવના હજી પણ અસ્તિત્વમાં છે, અને મેળો એક વિશાળ વેપાર અને ધાર્મિક સંગમમાં ફેરવાઈ ગયો છે જે 40 દિવસ સુધી ચાલ્યો હતો. આ મેળો એક મોટું બજાર બની ગયું છે, જ્યાં દરેક નિર્ણય, પછી તે ફૂડ સ્ટોલ સ્થાપવાનો હોય, ટેન્ટ સિટી ભાડે આપવાનો હોય, અથવા ફ્લોટિંગ જેટી બનાવવાનો હોય, તે જોખમ અને તક બંને સાથે સંકળાયેલા છે.

યોગી આદિત્યનાથની ભાજપ સરકારે 6990 કરોડના બજેટમાં 549 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે, જેમાં મેળા સાઇટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્વચ્છતા સુધીના વિકાસને આવરી લેવામાં આવ્યો છે. તેની સરખામણીમાં 2019માં કુંભ મેળામાં 3700 કરોડ રૂપિયાના 700 પ્રોજેક્ટ હતા. અધિકારીઓનો અંદાજ છે કે આ મેળાથી 25000 કરોડ રૂપિયાની આવક થશે અને રાજ્યની અર્થવ્યવસ્થા પર તેની કુલ 2 લાખ કરોડ રૂપિયા અસર થશે.

Advertisment

એક રાત માટે એક લાખ રૂપિયા સુધીના લક્ઝરી ટેન્ટથી માંડીને આકર્ષક કોર્પોરેટ સ્પોન્સરશિપ, ધમધમતા પૂજા બજારો અને નાના વેપારીઓને પોતાનો વ્યવસાય વધારવાની તક મળે છે. ગંગાના નાવિકો પણ આ મહા કુંભ મેળાથી આજીવિકા થવાની આશા રાખી રહ્યા છે.

પ્રયાગરાજે અનેક કુંભ મેળા જોયા છે અને આ વર્ષે સરકારે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષવા માટે મોટા પાયે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે સરકાર મેળા દ્વારા મોટી આર્થિક અસર કરવાની યોજના ધરાવે છે. આગામી 40 દિવસ સુધી 4,000 એકરમાં ફેલાયેલા મેળા વિસ્તારમાં યાત્રાળુઓ માટે વિવિધ તંબુઓ અને ભોજનના વિકલ્પો હશે.

maha kumbh 2025 | prayagraj maha kumbh mela | akhada tradition | akhada history | akhada in Hinduism
Maha Kumbh 2025 Akhada Tradition: મહા કુંભ મેળામાં અખાડાના સાધુઓના શાહ સ્નાનનું ઘણું મહત્વ હોય છે. (Photo:@MahaaKumbh)

મહા કુંભ મેળાના સ્થળે સ્ટોલ લગાવવા માટે ખાનગી કંપનીઓ તરફથી બિડ મળી હતી. અત્યાર સુધીમાં 1-2 કરોડની બોલી લગાવીને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આનાથી ઉંડી આર્થિક અસર થઇ છે.

યુપી સરકારે રહેવાની અને ખાણી પીણીની સુવિધાઓમાં સુધારો કર્યો છે. અત્યાર સુધીમાં 1,000 ગાઇડ, 7,000 વિક્રેતાઓ અને 100 હોમસ્ટેનું રજિસ્ટ્રેશન થયું છે. કેટલીક અગ્રણી બ્રાન્ડ્સે પણ તેમની સેવાઓ પ્રદાન કરવા માટે મેળામાં રોકાણ કર્યું છે. ખોરાક અને આતિથ્ય આ પોપ-અપ અર્થતંત્રના સૌથી મોટા ચાલકો છે. આ મેળામાં અનેક કંપનીઓએ રોકાણ કર્યું છે, જેમાં અગ્રણી ફૂડ બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો | અખાડા મહા કુંભ મેળાનું અભિન્ન અંગ, કોણે અને કેમ શરૂઆત કરી, જાણો ઇતિહાસ અને મહત્વ

E

E

આવાસમાં પણ મોટું રોકાણ થયું છે. 1.6 લાખ જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી 2,200 લક્ઝરી ટેન્ટ છે. આ ટેન્ટનું ભાડું 18,000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા પ્રતિ દિવસ હોય છે, જ્યારે કેટલાક પ્રીમિયમ ટેન્ટની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ રાત હોય છે. મહા કુંભ મેળા 2025એ રોકાણકારો અને કંપનીઓને આકર્ષિત કર્યા છે, કારણ કે અહીં વધતી જતી ભીડ અને વેપાર ધંધાની તકોએ આ કાર્યક્રમને એક મોટું આર્થિક કેન્દ્ર બનાવ્યું છે.

મહાકુંભ એક્સપ્રેસ એક્સપ્લેન ઉત્તર પ્રદેશ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ દેશ