ચાર મહિના સુધી રાહુલ ગાંધીને મળવાનો પ્રયાસ કર્યા બાદ અશોક ચવ્હાણને ત્રણ શબ્દનો આવો મેસેજ મળ્યો

Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ અને નહેરુ-ગાંધી પરિવારના રાજકીય વારસાના વારસદાર રાહુલ ગાંધીની રાજકીય શૈલી ઘણીવાર પાર્ટીમાં તણાવ અને વિખવાદનું કારણ બની છે. રાહુલ ગાંધીની કેસી વેણુગોપાલ પરની નિર્ભરતા વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસથી મોહભંગ કરી રહી છે.

Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ અને નહેરુ-ગાંધી પરિવારના રાજકીય વારસાના વારસદાર રાહુલ ગાંધીની રાજકીય શૈલી ઘણીવાર પાર્ટીમાં તણાવ અને વિખવાદનું કારણ બની છે. રાહુલ ગાંધીની કેસી વેણુગોપાલ પરની નિર્ભરતા વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસથી મોહભંગ કરી રહી છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ashok chavan, rahul gandhi

ચાર મહિના સુધી મુલાકાત લેવાનો પ્રયાસ કર્યા બાદ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા (Express photo by Sankhadeep Banerjee.)

ashok chavan : લોકસભા ચૂંટણી પહેલા 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની 15 સીટો (ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક) માટે મતદાન થઈ રહ્યુ છે. કોંગ્રેસ નબળી પડવાના પણ સમાચાર છે. આ ત્રણેય જગ્યાએથી ક્રોસ વોટિંગ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સત્તારૂઢ યુપીમાં કોંગ્રેસના સહયોગી સપાના ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કર્યું છે. કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના એક વિધાયકે ક્રોસ વોટિંગ કર્યું છે અને કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાંથી કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરિણામ આવ્યા બાદ જ કન્ફર્મ ન્યૂઝ મળશે, પરંતુ હિમાચલ પ્રદેશથી આવી રહેલા સમાચાર વધુ ચોંકાવનારા છે. કોંગ્રેસના સાંસદ અને નહેરુ-ગાંધી પરિવારના રાજકીય વારસાના વારસદાર રાહુલ ગાંધીની રાજકીય શૈલી ઘણીવાર પાર્ટીમાં તણાવ અને વિખવાદનું કારણ બની છે.

Advertisment

હિમાચલ પ્રદેશમાં અભિષેક મનુ સિંહ કોંગ્રેસના ઉમેદવાર છે

હિમાચલ પ્રદેશમાં અભિષેક મનુ સિંહ કોંગ્રેસના ઉમેદવાર છે અને એવું માનવામાં આવે છે કે ત્યાંના ઘણા ધારાસભ્યો તેમને બહારના ગણીને તેમને જીતાડવાના પક્ષમાં નથી. રાજ્યસભા માટે ઉમેદવારોના નામ નક્કી થયા બાદ પણ પાર્ટીની અંદર વિખવાદ બહાર દેખાવા લાગ્યો છે. રાહુલ ગાંધીની કેસી વેણુગોપાલ પરની નિર્ભરતા વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસથી મોહભંગ કરી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને રાજ્યસભામાં જવાની ઈચ્છા હતી. વરિષ્ઠ પત્રકાર કુમી કપૂરે ધ ઇન્ડિયન એક્સપ્રેસની પોતાની સાપ્તાહિક કોલમ 'ઇનસાઇડ ટ્રેક'માં લખ્યું છે કે જો કમલનાથ જેવા દિગ્ગજો પોતાનો અસંતોષ છુપાવવામાં અસમર્થ છે, તો તેનું કારણ એ છે કે મધ્ય પ્રદેશની હાર બાદ રાહુલ ગાંધી ખુલ્લેઆમ તેમનું અપમાન કરી રહ્યા હતા. કેટલાક અહેવાલોમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે કમલનાથે મધ્ય પ્રદેશમાં ભાજપને મદદ કરી હતી.

આ પણ વાંચો - પ્રિયંકા ગાંધીએ પોતાના સહયોગીઓને ચૂંટણીની તૈયારી કરવાની સૂચના આપી નથી, શું કોંગ્રેસ અમેઠી પછી રાયબરેલી પણ છોડશે?

Advertisment

કુમી કપૂર લખે છે આવા અહેવાલોથી ગુસ્સે ભરાયેલા કમલનાથે જવાબ આપ્યો હતો કે જો તેમને એક ચૂંટણી હારવા બદલ ભાજપ પ્રત્યે નરમ બતાવવામાં આવી રહ્યા છે, પછી તો રાહુલને ભાજપના પ્રમુખ સહયોગી માનવા જોઈએ, કારણ કે તેમના નેતૃત્વમાં ડઝનેક ચૂંટણીઓ હારી ગઈ છે.

કપૂર આગળ લખે છે કે રાહુલ સાથે ચાર મહિના સુધી મુલાકાત લેવાનો પ્રયાસ કર્યા બાદ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. રાહુલ તરફથી ચવ્હાણને એક જ સંદેશો મળ્યો હતો – કેસી સાથે વાત કરો (કેસી વેણુગોપાલ સાથે વાત કરો).

કોંગ્રેસ પોતાના જ નેતાઓને કાયર અને ગદ્દાર કહી રહી છે

કપૂરે તેની કોલમમાં પંજાબનું એક ઉદાહરણ આપ્યું છે. પંજાબના કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પક્ષ સમક્ષ દલીલ કરી હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી કારણ કે વિધાનસભાની રાજનીતિમાં તેમની મહત્વની ભૂમિકા છે. તેમની અરજીને માત્ર નકારી કાઢવામાં આવી ન હતી, પરંતુ કાયરતા અને ભાજપ અથવા આપ સાથે ગઠબંધન કરવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો.

પોતાની યુપી મુલાકાતની શરૂઆતમાં રાહુલે જાહેરમાં રાજ્ય પક્ષના એક વરિષ્ઠ કાર્યકરને મજાકમાં કહ્યું હતું કે આશા છે કે તમારા અંદરનો ભાજપાઇ ખતમ થઇ ગયો હશે. તે પદાધિકારી પહેલા ભાજપમાં હતા.

કપૂર લખે છે કે હતાશ કોંગ્રેસીઓને લાગે છે કે તેમના નેતાની સૌથી ખરાબ ગુણવત્તા તેમના સલાહકારોમાં વધુ પડતો વિશ્વાસ છે. ચૂંટણીમાં હાર બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પીસીસી અધ્યક્ષો અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓને હટાવી દેવામાં આવ્યા, પરંતુ રાજ્યોના પ્રભારી મહાસચિવોને બદલવામાં આવ્યા નહીં. જોકે આ બધું હોવા છતાં રાહુલની માતાને પોતાના પુત્રની નેતૃત્વ ક્ષમતા પર પૂરો ભરોસો છે.

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 રાહુલ ગાંધી congress