એકનાથ શિંદેની પાર્ટી જેટલી સીટ પણ ના જીતી શક્યું MVA ગઠબંધન, હવે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર શું કરશે?

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે અસલી શિવસેના અને અસલી એનસીપી કોણ છે

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે અસલી શિવસેના અને અસલી એનસીપી કોણ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sharad pawar, Uddhav Thackeray

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Maharashtra Election Result 2024, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સત્તામાં વાપસી માટે તૈયાર છે. મહાયુતિ 229 બેઠકો પર આગળ ચાલી રહી છે. એમવીએ 51 બેઠકો પર આગળ છે. મહાયુતિ ગઠબંધનમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને એનસીપીના અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે.

Advertisment

ભાજપ સૌથી મોટી પાર્ટી બની

મહાયુતિ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. હાલ ભાજપ 132, શિવસેના (એકનાથ શિંદે) 55 બેઠકો, એનસીપી (અજિત પવાર) 40 અને અન્ય બે બેઠકો પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડીની વાત કરવામાં આવે તો 51 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. એમવીએમાં શિવસેના (યુબીટી) 19, એનસીપી (શરદ પવાર) 11, કોંગ્રેસ 18 અને અન્ય ત્રણ બેઠકો પર આગળ છે.

એકનાથ શિંદેની શિવસેના સમગ્ર એમવીએ પર ભારે

આવી સ્થિતિમાં જો બંને જૂથોનું વિશ્લેષણ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ છે કે શિવસેના (એકનાથ શિંદે) જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે. તેટલી સીટો પર વિપક્ષી ગઠબંધન એમવીએ નથી. શિંદે જૂથ 55 બેઠકો પર આગળ છે, જ્યારે સમગ્ર એમવીએ 51 બેઠકો પર આગળ છે. આ અર્થમાં એકનાથ શિંદેની શિવસેના સમગ્ર એમવીએ પર ભારે પડતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો - સીએમની ખુરશી પર ફડણવીસનો દાવો મજબૂત, શું એકનાથ શિંદે થશે સહમત?

Advertisment

ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ પર સવાલો

એકનાથ શિંદેની શિવસેનાની આ લીડે ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ હવે શું કરશે તે અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ પ્રશ્ન એટલા માટે પણ ખૂબ જ મહત્વનો બની જાય છે કારણ કે બંને જૂથોના ચૂંટણી પ્રતીકોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જોકે ચૂંટણી પંચે એકનાથ શિંદેને અસલી શિવસેના માની છે, જ્યારે અસલી એનસીપી અજિત પવાર જૂથને ગણાવ્યું છે. જોકે ચૂંટણી પંચે આમાં પણ અનેક ટર્મ શરતો લગાવી છે. એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથે તેનું પાલન કરવું પડશે.

પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે અસલી શિવસેના અને અસલી એનસીપી કોણ છે. મહારાષ્ટ્રની જનતાના મતે અસલી શિવસેના શિંદે જૂથ અને અસલી એનસીપી અજિત જૂથ તરીકે ગણી શકાય. જેમ કે અત્યાર સુધીના ટ્રેન્ડમાં જોવા મળ્યું છે.

વિધાનસભા ચૂંટણી ચૂંટણી પરિણામ 2024 અજિત પવાર શરદ પવાર શિવસેના મહારાષ્ટ્ર congress ભાજપ