ભાભી vs નણંદ: મહારાષ્ટ્રની બારામતી બેઠક પર એક પરિવારના બે સભ્ય વચ્ચે જંગ, લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે?

Sunetra Pawar vs Supriya Sule At Baramati Maharashtra Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024માં ઘણી બેઠકો એવી છે જ્યાં એક પરિવારના સભ્યો એકબીજાની સામે ઉભા છે. જેમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક છે જ્યાં એક જ પરિવારના ભાભી અને નણંદ વચ્ચે રાજકીય જંગ લડાશે.

Written by Ajay Saroya
March 31, 2024 11:44 IST
ભાભી vs નણંદ: મહારાષ્ટ્રની બારામતી બેઠક પર એક પરિવારના બે સભ્ય વચ્ચે જંગ, લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે?
મહારાષ્ટ્રની બારામતી બેઠક પર અજિત પવારની પત્ની સુનેત્રા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે લોકસભા ચૂંટણીના ઉમેદવાર છે. (Photo - @SunetraA_Pawar)

Sunetra Pawar vs Supriya Sule At Baramati Maharashtra Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી 2024માં રસપ્રદ મુકાબલો જોવા મળશે. આવી ઘણી બેઠકો પણ સામે આવી છે જ્યાં પરિવારના સભ્યો એકબીજાની સામે ઉભા છે. મહારાષ્ટ્રના બારામતીમાં આ વખતે સૌથી મોટો રાજકીય જંગ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી મેદાનમાં ઊભા છે, તો બીજી તરફ શરદ પવારની પાર્ટીએ આ બેઠક પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. આ બારામતીમાં એક જ પરિવારના ભાભી અને નણંદ વચ્ચે રાજકીય જંગ લડાશે.

બારામતી પર એક પરિવારના બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

પહેલેથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે ચૂંટણી જંગ પરિવારના બે સભ્યો વચ્ચે લડાશે. હવે શનિવારે આ મામલે પણ મહોર લાગી છે. પહેલાં તો અજિત પવારે સુનેત્રાના નામની જાહેરાત કરી તો પછી પાછળથી શરદ પવારની પાર્ટીએ પણ રાજકીય વળતો હૂમલો કરીને સુપ્રિયા સુળેને આગળ કરી દીધા. આમ જોવા જઈએ તો આ સીટ સુપ્રિયા સુલેનો મજબૂત ગઢ ગણી શકાય.

ajit pawar, sharad pawar, supriya sule
અજિત પવાર, શરદ પવાર અને સુપ્રિયા સુલે (એક્સપ્રેસ)

એનસીપીનું વિભાજન

હકીકતમાં ગત વર્ષે અજિત પાવરના નેતૃત્વમાં થયેલા વિભાજન બાદ એનસીપી પોતે જ નબળી પડી ગઈ છે. શરદ પવાર પહેલી વાર 1984માં બારામતીથી જીત્યા હતા. 1991માં, તેમના પ્રિય ઉમેદવાર અજિત પવાર જીત્યા હતા અને બાદમાં તેમના કાકાને સમાવવા માટે આ બેઠક ખાલી કરી હતી.

પવારના નજીકના સહયોગી બાપુસાહેબ થિટેએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે થોડાં વર્ષોને બાદ કરતાં બારામતીનું પ્રતિનિધિત્વ 1996થી પહેલા પવાર અને ત્યારબાદ સુપ્રિયા સુળે કરી રહ્યા છે. તેઓ 2009થી સાંસદ છે.

હવે જ્યારે એનસીપી વિભાજીત થઈ ગઈ છે અને ઉપમુખ્યમંત્રી અજીતે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની મદદથી સુલેને હરાવવા માટે જોરદાર અભિયાન શરૂ કર્યું છે, ત્યારે શરદ પવારે પોતાની દીકરીની મદદ માટે બારામતીમાં પોતાના જૂના સાથી પક્ષો, પ્રતિસ્પર્ધીઓ અને વિવિધ સમુદાયો સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે.

આમ જોવામાં આવે તો આ વખતે બારામતીની બેઠક પર એક તરફ મોદીની ગેરંટી જોવા મળશે અને બીજી તરફ શરદ પવારની ભાવનાત્મક અપીલ હાવી થઈ જશે. સમજવા જેવી વાત એ છે કે, એનસીપી બે ભાગમાં વિભાજીત થઇ ગઈ હોવાથી જમીન પરનું સમીકરણ પણ બદલાઈ ગયું છે.

આ પણ વાંચો | પીએમ મોદી મેરઠથી લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ ફૂંકશે, 2014-19માં જાટલેન્ડથી શરૂઆત કરી હતી; જાણો શું છે રણનીતિ

એક રીતે જોઈએ તો લોકસભા ચૂંટણી 2024 માં બારામતી બેઠક શરદ પવાર અને અજિત પવાર બંને માટે લિટમસ ટેસ્ટ બની રહેવાની છે. એક પાર્ટીના વિભાજનથી કોને ફાયદો થઈ શકે છે, હવે તેની સૌથી મોટી કસોટી થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ