એક્સપ્રેસ અડ્ડામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - ઘણા જિલ્લાઓમાં લવ જેહાદ એક વાસ્તવિકતા

Devendra Fadnavis Guest At Express Adda : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક્સપ્રેસ અડ્ડા કાર્યક્રમમાં ખાસ મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ધ ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથે ખાસ વાતચીત કરી

Devendra Fadnavis Guest At Express Adda : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક્સપ્રેસ અડ્ડા કાર્યક્રમમાં ખાસ મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ધ ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથે ખાસ વાતચીત કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
devendra fadnavis, Express Adda

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક્સપ્રેસ અડ્ડા કાર્યક્રમમાં ખાસ મહેમાન બન્યા હતા (Express photo/Narendra vaskar)

Maharashtra CM Devendra Fadnavis Guest At Express Adda : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક્સપ્રેસ અડ્ડા કાર્યક્રમમાં ખાસ મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ધ ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે "લવ જેહાદ" ના વિવાદાસ્પદ વિષય પર વાત કરતા કહ્યું કે, જ્યારે આ શબ્દ ઘણીવાર ચર્ચામાં રહે છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં પ્રેમ સંબંધોની આડમાં શોષણના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ઘણા જિલ્લાઓમાં લવ જેહાદ એક વાસ્તવિકતા છે.

Advertisment

ફડણવીસે આ મુદ્દાની આસપાસ વધતી જતી જાહેર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે જ્યારે લવ જેહાદ વિશે વાત કરવામાં આવે છે ત્યારે તમને લાગે છે કે ક્યારેક તે અતિશયોક્તિ છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં તે એક હકીકત છે. તેમણે સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે જ્યારે દરેક કેસ ચિંતાજનક નથી, ત્યારે ચોક્કસ પેટર્ન ચિંતા ઉભી કરે છે.

ફડણવીસે કહ્યું કે હું આંતરજાતિ કે આંતરધાર્મિક લગ્નોની વિરુદ્ધ નથી.પરંતુ જ્યારે છોકરીઓને લગ્ન માટે લલચાવીને શોષણ કરવામાં આવે છે, ત્યારે તે એક ગંભીર મુદ્દો છે. ફડણવીસના મતે આ બાબતે તેમના જાહેર નિવેદનો વિશ્વસનીય ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી જ શરૂ થયા હતા. જ્યારે આવા કિસ્સાઓ સામે આવ્યા ત્યારે મેં તેના વિશે બોલવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - ગુજરાત, કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં યોજાશે મોકડ્રીલ, મોદી સરકાર ફરી મોકડ્રીલ કેમ કરાવી રહી છે?

Advertisment

વોટ જેહાદની પણ એક પેટર્ન હતી - સીએમ ફડણવીસ

સીએમ ફડણવીસે ભારતના લોકશાહી તાણાવાણા માટે ઉભરી રહેલા જોખમો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે યુવાનો મોટી સંખ્યામાં આઈએસઆઈએસમાં શા માટે જોડાઈ રહ્યા છે? લઘુમતીઓનું કટ્ટરપંથીકરણ એ વાસ્તવિકતા છે. તમે તથ્યોને નજરઅંદાજ કરી શકો નહીં. ફડણવીસે કહ્યું કે લવ જેહાદની જેમ મહારાષ્ટ્રમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી દરમિયાન પણ વોટ જેહાદની પણ એક પેટર્ન હતી.

ફડણવીસે શરદ પવારના કર્યા વખાણ

ફડણવીસે એનસીપી-એસસીપી સુપ્રીમો શરદ પવારના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે હું સતત શરદ પવારના સતત વખાણ કરું છું. આ ઉંમરે પણ જીત કે હારની પરવા કર્યા વગર તેઓ સતત કામ કરતા રહે છે. તેમને સવાલ કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદેમાંથી કોણ વધુ સારી રીતે કમ્યુનિકેટ કરે છે. તો તેમણે કહ્યું હતું કે તેમાંથી કોઈ પણ કમ્યુનિકેટ કરવામાં સારા નથી. હું આશા રાખું છું કે તેમને ખોટું લાગશે નહીં.

દેવેન્દ્ર ફડણવીસ એક્સપ્રેસ અડ્ડા મહારાષ્ટ્ર ભાજપ