Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના Dy CM અજિત પવારનું બારામતીમાં વિમાન ક્રેશ, વિમાનમાં સવાર તમામના મોત

Ajit Pawar Plane Crash at Baramati Latest News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે સવારે બારામતી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું. અહેવાલો અનુસાર, રનવે પર લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું.

Ajit Pawar Plane Crash at Baramati Latest News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે સવારે બારામતી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું. અહેવાલો અનુસાર, રનવે પર લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું.

author-image
Ankit Patel
New Update
Ajit Pawar Plane Crashes

મહારાષ્ટ્રના Dy CM અજિત પવારનું બારામતીમાં વિમાન ક્રેશ Photograph: (social media)

Ajit Pawar Plane Crash Death News Live Updates: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે સવારે બારામતી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું. અહેવાલો અનુસાર, રનવે પર લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત પછી તરત જ વિમાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

Advertisment

પ્લેન ક્રેશમાં અજીત પવારનું નિધન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન મહારાષ્ટ્રના બારામતીમાં ક્રેશ થયું છે. તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે. અકસ્માતના વીડિયો ભયાનક છે, જેમાં આગની જ્વાળાઓ દેખાય છે. સુપ્રિયા સુલે અને અન્ય નેતાઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. અહેવાલ છે કે અજિત પવાર એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રેશ થયું હતું.

Ajit Pawar Plane Crash Today News:  વિમાનમાં સવાર તમામ લોકોના મોત, DGCAની પુષ્ટી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું વિમાન બારામતીમાં તૂટી પડ્યાના થોડા સમય પછી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ કહ્યું છે કે "પ્રારંભિક માહિતી મુજબ, દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી".

Advertisment

ડીજીસીએ મુજબ, પવાર "વધુ 2 કર્મચારીઓ (1 પીએસઓ અને 1 એટેન્ડન્ટ) અને 2 ક્રૂ (PIC+FO) સભ્યો" સાથે હતા. તેઓ VSR એવિએશન દ્વારા સંચાલિત લિયરજેટ 45 વિમાનમાં સવાર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું, અને ઉમેર્યું હતું કે વિમાનમાં પાઇલટ સહિત છ લોકોની બેઠક ક્ષમતા છે.

વિમાન બળીને રાખ થઈ ગયું

લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ થયું, જેના કારણે રનવે પર અરાજકતા ફેલાઈ ગઈ. વિમાનમાંથી ધુમાડો નીકળતો જોઈને સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારની સ્થિતિ અને અકસ્માતના કારણ વિશે હજુ માહિતીની રાહ જોવાઈ રહી છે. વહીવટીતંત્રે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાઓની ગંભીરતા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

દેશ અજિત પવાર મહારાષ્ટ્ર