અકોલામાં પીએમ મોદીનો કોંગ્રેસ પર કહ્યું - સત્તામાં આવવા પર શાહી પરિવારનું ATM બની જાય છે રાજ્ય

PM Modi in Akola rally : પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યો "શાહી" પરિવારના એટીએમ બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ મહા વિકાસ આઘાડી એટલે ભ્રષ્ટાચાર અને હજારો કરોડના કૌભાંડો.

PM Modi in Akola rally : પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યો "શાહી" પરિવારના એટીએમ બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ મહા વિકાસ આઘાડી એટલે ભ્રષ્ટાચાર અને હજારો કરોડના કૌભાંડો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi, PM Modi

મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી (Pics : @BJP4India)

PM Modi in Akola : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે અને તેમણે અકોલામાં જનસભા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર મોટો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યો "શાહી" પરિવારના એટીએમ બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ મહા વિકાસ આઘાડી એટલે ભ્રષ્ટાચાર અને હજારો કરોડના કૌભાંડો. પીએમ મોદીએ દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને એકજૂટ રહેવાની અપીલ કરી હતી અને "એક હૈ તો સુરક્ષિત હૈ"નું સૂત્ર આપ્યું હતું.

Advertisment

મહારાષ્ટ્રની જનતાના વખાણમાં પીએમ મોદીએ શું કહ્યું

મહારાષ્ટ્રના લોકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે મિત્રો 2014 થી 2024 સુધી, આ 10 વર્ષ મહારાષ્ટ્રે ભાજપને ખુલ્લા દિલથી આશીર્વાદ આપ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપમાં આ વિશ્વાસનું એક કારણ પણ છે અને આ છે અહીંના લોકોની દેશભક્તિ અને રાજકીય સમજ અને દ્રષ્ટિ. એટલે મહારાષ્ટ્રની સેવા કરવાનો આનંદ મારા માટે કંઈક અલગ જ છે.

પીએમ મોદીએ કહ્યું છે કે અમારી સરકારને કેન્દ્રમાં 5 મહિના થયા છે, આ 5 મહિનામાં લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સાથે સંબંધિત મોટી સંખ્યામાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ છે.

આ પણ વાંચો - નારાયણ રાણેએ કહ્યું – બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર અનુસૂચિત જાતિ સમુદાયને એકજૂથ રહેવાની હાકલ કરી હતી અને ચેતવણી આપી હતી કે કોંગ્રેસ તેમની વચ્ચેના મતભેદો અને ભાગલાનો ફાયદો ઉઠાવવા માંગે છે. જો તમે એકજૂટ નહીં રહો અને તમારી જ્ઞાતિઓમાં વહેંચાઈ જશો તો કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવીને એસસી સમુદાયના અધિકારો છીનવી લેશે.

રવિવારે જાહેર થશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો

પીએમ મોદીએ કોંગ્રેસ સહિત સમગ્ર એમવીએ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને એમવીએ એસસી સમુદાયને નબળો પાડીને તેમની સરકાર બનાવશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરનાર છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્ર congress ભાજપ PM Narendra Modi