શિંદેને ગૃહ મંત્રાલય નહીં મળે! ભાજપ આ વિભાગ શિવસેના-એનસીપીને આપવા છે તૈયાર

Maharashtra Government Cabinet: મહાયુતિના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન ભાગીદારો વચ્ચે વિભાગની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાજપ 20 મંત્રી પદ જાળવી રાખશે જ્યારે શિવસેનાને 12 અને NCPને 10 મંત્રી પદ મળશે.

Written by Ankit Patel
December 12, 2024 07:10 IST
શિંદેને ગૃહ મંત્રાલય નહીં મળે! ભાજપ આ વિભાગ શિવસેના-એનસીપીને આપવા છે તૈયાર
મહારાષ્ટ્ર સરકાર કેબિનેટ

Maharashtra Government Cabinet: મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર 14 ડિસેમ્બરે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. મહાયુતિના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન ભાગીદારો વચ્ચે વિભાગની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાજપ 20 મંત્રી પદ જાળવી રાખશે જ્યારે શિવસેનાને 12 અને NCPને 10 મંત્રી પદ મળશે.

5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા જ્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને NCP વડા અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારે ફડણવીસે મીડિયાને કહ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા થશે, જે 16 ડિસેમ્બરથી શરૂ થશે.

વિભાગોના વિભાજન પર જૂની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે

વિભાગોના સંદર્ભમાં, ત્રણેય પક્ષો અગાઉની સ્થિતિ જાળવી રાખવા તરફ આગળ વધી શકે છે. મતલબ કે ચૂંટણી પહેલા તેમની પાસે જે ટોચનો પોર્ટફોલિયો હતો તે અકબંધ રહેશે. અન્ય વિભાગોમાં નાના ફેરફારો થઈ શકે છે. ફડણવીસ પાસે ગૃહ મંત્રાલય હશે જ્યારે નાણા મંત્રાલય ફરી એકવાર અજિત પવાર પાસે જશે. શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળવાની ખાતરી છે, જે તેઓ સીએમ હતા ત્યારે તેમની પાસે હતું.

શિંદે ડેપ્યુટી સીએમ પદ માટે સંમત થયા પછી, શિવસેનાએ માંગ કરી હતી કે પાર્ટીને ગૃહ વિભાગ મળવો જોઈએ. જો કે, ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. મહાયુતિના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે શિવસેનાને તેની ઈચ્છા કરતા એક વિભાગ ઓછો મળ્યો છે, જ્યારે એનસીપીની માંગ 10 વિભાગોની હતી, જે તેને મળી ગઈ છે.

ભાજપ આ વિભાગ પોતાની પાસે રાખશે

ભાજપ ગૃહ, આવાસ, મહેસૂલ, સામાન્ય વહીવટ વિભાગ, કાયદો અને ન્યાયતંત્ર, ગ્રામીણ વિકાસ, પાવર, જળ સંસાધન, આદિજાતિ કલ્યાણ, ઓબીસી અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગો જાળવી રાખે તેવી શક્યતા છે. શિવસેનાના મુખ્ય વિભાગોમાં શહેરી વિકાસ, શાળા શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને જાહેર બાંધકામ વિભાગોનો સમાવેશ થાય છે. NCP પાસે નાણાં, સહકાર, કૃષિ, ખાદ્ય અને ઔષધ વહીવટ અને મહિલા અને બાળ કલ્યાણ હશે.

આ પણ વાંચોઃ- Migratory Birds: પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ, આ શિયાળામાં આવ્યા 150 થી વધુ પ્રજાતિના પ્રવાસી પક્ષીઓ

એનસીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “પહેલી જ મીટિંગમાં, પાર્ટીના ટોચના નેતૃત્વએ ભાજપને સ્પષ્ટપણે કહ્યું હતું કે કેબિનેટ પદોની સંખ્યાને લઈને કેટલાક લેવા-દેવા થઈ શકે છે. પરંતુ જ્યારે વિભાગોની વાત આવે છે, ત્યારે પક્ષને યથાસ્થિતિ જાળવવામાં કોઈ સમસ્યા નથી.

આંતરિક સૂત્રોએ જણાવ્યું કે શિવસેના રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ પદ માટે સખત સોદાબાજી કરી રહી છે. જો કે, ભાજપની અંદરનો એક મોટો વર્ગ માને છે કે સૌથી વધુ બેઠકો ધરાવતો પક્ષ હોવાને કારણે તેણે વિધાન પરિષદના અધ્યક્ષ સહિત મુખ્ય બંધારણીય હોદ્દા પર સમાધાન ન કરવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ