Maharashtra News: નાગપુરની SBL એનર્જી કંપનીમાં બ્લાસ્ટ, 16 લોકોના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

Nagpur SBI Energy Blast : મહારાષ્ટ્રના નાગપુરમાં એસબીએલ એનર્જી કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 કામદારોના મોત થયા છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ તપાસના આદેશ આપ્યા છે.

Nagpur SBI Energy Blast : મહારાષ્ટ્રના નાગપુરમાં એસબીએલ એનર્જી કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 કામદારોના મોત થયા છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ તપાસના આદેશ આપ્યા છે.

author-image
Ajay Saroya
New Update
Nagpur SBI Energy Blast

Nagpur SBI Energy Blast : નાગપુરની એસએલબી એનર્જી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. Photograph: (Laksatta)

Nagpur SBI Energy Blast: નાગપુર જિલ્લાના કલમેશ્વર તાલુકાના રાઉલગાંવમાં એસબીએલ એનર્જી લિમિટેડ કંપનીમાં વિસ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 16 કામદારોના મોત થયા છે અને 18 અન્ય ઘાયલ થયા છે. નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે જાનહાનિની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલી રહી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment

પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે થયો હતો. નાગપુરના રાઉલગાંવ સ્થિત એસબીએલ એનર્જી કંપની ખાણકામમાં ઉપયોગમાં લેવાતા ડિટોનેટર અને અન્ય વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે. જ્યારે કામદારો રાબેતા મુજબ કામ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે ડિટોનેટર ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે યુનિટનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આકાશમાં ધુમાડાના મોટા મોટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ સમયે અસરગ્રસ્ત વિસ્તારમાં 25 થી 30 કામદારો હાજર હતા. આગ અને કાટમાળને કારણે, આશંકા છે કે કેટલાક કામદારો હજી પણ અંદર ફસાયેલા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને કાબૂમાં લેવા અને ફસાયેલા મજૂરોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisment

ગ્રામજનોમાં ગભરાટ

આ ભારે વિસ્ફોટથી રાઉલગાંવ અને આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો છે. ઘટના સ્થળે ઘણા ગ્રામજનો એકઠા થયા હતા. વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. આ દરમિયાન ઘાયલ મજૂરોના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને તેમની હાલત અંગે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાએ કટોલ તાલુકાને હચમચાવી નાખ્યો છે અને વિસ્ફોટક ફેક્ટરીઓમાં સલામતીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

મુખ્યમંત્રી એ દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નાગપુર જિલ્લાના રાઉલગાંવમાં વિસ્ફોટક ફેક્ટરીમાં વિસ્ફોટ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ છે. હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે હાજર છે. રાહત કાર્ય વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયા છે. હું સ્વર્ગસ્થ લોકોને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારોના દુ:ખમાં સહભાગી છીએ. ”

મહારાષ્ટ્ર દેશ અકસ્માત દેવેન્દ્ર ફડણવીસ