દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - એક દિવસ અખંડ ભારત બનાવીશું અને પાકિસ્તાન ઉપર પણ ભારતનો તિરંગો લહેરાવીશું

Maharashtra Vidhan Sabha Election 2024 : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - ઓમર અબ્દુલ્લાએ પણ સાત દાયકા પછી પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે ભારતના બંધારણના શપથ લીધા છે. આનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઈ શકે

Maharashtra Vidhan Sabha Election 2024 : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - ઓમર અબ્દુલ્લાએ પણ સાત દાયકા પછી પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે ભારતના બંધારણના શપથ લીધા છે. આનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઈ શકે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
devendra fadnavis, Maharashtra Vidhan Sabha Election 2024

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા સીએમ બનશે (તસવીર - દેવેન્દ્ર ફડણવીસ ટ્વિટર)

Maharashtra Vidhan Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ પહેલા રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમે એક દિવસ અખંડ ભારત બનાવીશું અને એક દિવસ પાકિસ્તાન ઉપર પણ ભારતનો તિરંગો લહેરાવીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સાત દાયકા પછી પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે ભારતના સંવિધાનની શપથ લેવી પડી.

Advertisment

સમાચાર એજન્સી એએનઆઈ પર સ્મિતા પ્રકાશે કાશ્મીરના મુદ્દે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સવાલ કર્યો તો તેમણે જવાબ આપ્યો કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં કાશ્મીરનો મુદ્દો કેમ નહીં ઉભો થાય. આ મરાઠાઓની ભૂમિ છે. આ કંઈ સંકુચિત વિચારોવાળી ભૂમિ નથી. જો હું દેશભક્ત છું તો હું કેવી રીતે આવી સંકુચિત વિચારસરણી કરી શકું કે કાશ્મીરને કંઈ પણ થઈ શકે છે, તે મારા માટે સારું છે. કાશ્મીર આપણા ગૌરવની વાત છે. ભારતની ઓળખ કાશ્મીર સાથે જોડાયેલી છે. બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સાત દાયકા સુધી કાશ્મીરમાં લાગુ ન હતું. આપણો ત્રિરંગો ઝંડો ત્યાં ફરકાવવામાં આવતો ન હતો. જોકે 370 હટ્યા પછી લાલ ચોકમાં તિરંગો લહેરાય છે તો મારું દિલ ગદગદ થઇ જાય છે.

ઓમર અબ્દુલ્લાએ સાત દાયકા પછી ભારતના બંધારણમાં શપથ લીધા

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લાએ પણ સાત દાયકા પછી પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે ભારતના બંધારણના શપથ લીધા છે. આનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઈ શકે. આપણું એક જ સપનું છે કે એક દિવસ આપણે અખંડ ભારત બનાવીશું. એક દિવસ પાકિસ્તાન ઉપર પણ ભારતીય ધ્વજ ફરકાવવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસે ઔરંગઝેબ મુદ્દે શું કહ્યું

ચૂંટણી દરમિયાન ઉઠાવવામાં આવેલા ઔરંગઝેબના મુદ્દે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે આ મુદ્દો ઉઠાવતા નથી. ઓવૈસીએ પોતાના ભાષણોમાં કહ્યું છે કે કેવી રીતે સંભાજી નગરનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું. સંભાજીનો શું સંબંધ છે? જ્યારે તેમની સભાઓમાં કહેવામાં આવે છે કે આ જમીન રઝાકરોની છે, ત્યારે મારે તેમને યાદ અપાવવું પડશે કે આ જમીન છત્રપતિ શિવાજી મહારાજની છે, આ આપણા પૂર્વજોની ભૂમિ છે, રઝાકરોએ તેના પર કબજો કર્યો હતો અને તે સમયે આપણા પૂર્વજો પર અત્યાચાર કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજે આપેલા બલિદાનને ઇતિહાસમાં સૌ કોઇ જાણે છે, આપણે તેને શા માટે છુપાવવા માંગીએ છીએ.

Advertisment

આ પણ વાંચો - અનામતના મુદ્દે પીએમ મોદીએ કહ્યું – છેલ્લા 10 વર્ષથી OBC સમાજના પ્રધાનમંત્રી તેમને સહન થઇ રહ્યા નથી

અજિત પવારને જનતાનો મૂડ સમજવામાં સમય લાગશે: દેવેન્દ્ર ફડણવીસ

ઉપમુખ્યમંત્રી અજિત પવારની યુપીના સીએમ યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટેંગે'ના નારાને કોઈ સ્થાન નથી તેવી ટિપ્પણી પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે દાયકાઓથી અજિત પવાર એવી વિચારધારા સાથે રહ્યા છે ધર્મનિરપેક્ષ અને હિંદુ વિરોધી છે. જે લોકો પોતાને ધર્મનિરપેક્ષ કહે છે તેમનામાં કોઈ વાસ્તવિક ધર્મનિરપેક્ષતા નથી. તેઓ એવા લોકો સાથે રહ્યા છે જેમના માટે હિન્દુત્વનો વિરોધ કરવો એ બિનસાંપ્રદાયિકતા છે. લોકોના મૂડને સમજવામાં તેમને થોડો સમય લાગશે. આ લોકો કાં તો લોકોની ભાવનાને સમજી શક્યા ન હતા અથવા તો આ નિવેદનનો અર્થ સમજી શક્યા ન હતા અથવા કદાચ બોલતી વખતે કંઈક બીજું કહેવા માંગતા હતા.

કોંગ્રેસના આરોપો પર દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું

કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયને વિભાજીત કરવાની કોશિશ કરી રહી છે તેવા પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધી અમેરિકામાં આ વાતનો સંકેત આપી ચૂક્યા છે. બંધારણ અને આરક્ષણો અંગે અમેરિકામાં કરેલા તેમના નિવેદનોથી તેમની માનસિકતા છતી થઈ હતી. જે રીતે તેઓ લોકોને જાતિના આધારે વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પીએમ મોદીએ સાચી વાત કહી છે.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઓબીસીમાં 350 જાતિઓ છે. આ 350 જ્ઞાતિઓ મળીને ઓબીસી જૂથ બનાવે છે, તેથી એક દબાણ જૂથ છે કે ઓબીસીનું કલ્યાણ થવું જોઈએ. જો 350 જ્ઞાતિઓને અલગ કરવામાં આવે તો આ જૂથનું અસ્તિત્વ મટી જશે અને તેમનું દબાણ ખતમ થઈ જશે.

વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્ર congress ભાજપ